શોધખોળ કરો

અમદાવાદ કોર્પોરેશને KFC અને રોયલ એનફિલ્ડના શોરૂમને કેમ મારી દીધું સીલ? જાણો વિગત

એસજી હાઇવે પર આવેલો રોયલ એનફીલ્ડેનો શો રૂમ સિલ કરાયો છે. AMC દ્વારા શો રૂમ સિલ કરવામાં આવ્યો છે. સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ થતો હોવાથી AMCએ કરી કામગીરી કરી છે.

અમદાવાદઃ દિવાળી પછી શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર હરકતમાં આવી ગયું છે. તેમજ કોરોનાના કેસો પર નિયંત્રણ માટે પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. આ જ પ્રક્રિયાને પગલે શહેરના પ્રહલાદનગર ખાતે આવેલા કેએફસીને કોર્પોરેશને સીલ મારી દીધું છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું ન હોવાથી કોર્પોરેશને કાર્યવાહી કરી છે અને કેએફસીને સીલ મારી દીધું છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા AMCનો સોલિડ વેસ્ટ વિભાગ છેલ્લા 2 દિવસથી હરકતમાં આવ્યો છે. બુધવાર સંજથી શહેરના વિવિધ વિસ્તારમાં 150થી વધુ ટીમ ઉતારીને સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ખાણીપીણીની લારી કે દુકાનોએ કોરોના મહામારીના નિયમોનો ભંગ થતા જણાતા આવા યુનિટો બંધ કરવામાં આવે છે અને કેટલાક યુનિટોને સિલ પણ કરવામાં આવ્યા છે. AMCની આ કામગીરી આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે. આ મામલે કેએફસીએ નિવેદન આપ્યું છે કે, અમે જમીનના કાયદા માટે સર્વોચ્ચ સમ્માન રાખે છે અને સરકારના તમામ નિયમો અને રેગ્યુલેશનનું પાલન કરે છે. અમને આ ઘટનાની જાણ કરવામાં આવી છે અને સંબંધિત ટીમો અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે. સ્થાનિક અધિકારીઓના નિર્દેશનનું સમ્માન કરતાં, અમે અસ્થાયી રૂપે રેસ્ટોરન્ટ બંધ કરી રહ્યા છીએ. અમારા ગ્રાહકોને થતી કોઈપણ અસુવિધા બદલ અમે દિલગીર છીએ. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું હતું કે, દિવાળી હોવાથી લોકોને આર્થિક નુકશાન ન જાય તે માટે કામગીરી કરી નહોતી. ભીડ થતા તમામ એકમો પર કાર્યવાહી થશે. સંક્રમણ વધ્યું છે લોકો હવે સહકાર આપે. જ્યાં સુધી ભીડ એકઠી થવાની બાંહેધરી નહિ મળે ત્યાં સુધી એકમો નહિ ખોલવામાં આવે. એસજી હાઇવે પર આવેલો રોયલ એનફીલ્ડેનો શો રૂમ સિલ કરાયો છે. AMC દ્વારા શો રૂમ સિલ કરવામાં આવ્યો છે. સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ થતો હોવાથી AMCએ કરી કામગીરી કરી છે.અમદાવાદના ઘાટલોડીયા પ્રભાત ચોક વિસ્તારમાં આજે લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવવા લાઈન લગાવી હતી. અત્યાર સુધી આ વિસ્તારમાં 100 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકીના 50 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે ગઈ કાલે આ વિસ્તારમાં ૨૫થી ૩૦ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. અહીં રોજના દોઢસો લોકોનું ટેસ્ટિંગ થતું હોય છે. જોકે તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે આ કોરોનાની બીજી લહેરની શરૂઆત થઇ હોય તેવું લાગ્યું છે પણ લોકો જાગૃત થયા છે. પોતાના સ્વાસ્થ્ય અંગે અને એટલા જ માટે જ્યાં કોરોના સેન્ટર હોય ત્યાં ટેસ્ટિંગ કરવા માટે લોકો લાઈનમાં ઊભા રહેતા હોય છે. નોંધનીય છે કે, આજની તારીખે અમદાવાદમાં કોરોનાના કુલ 2845 એક્ટિવ કેસ છે. સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 477 એક્ટિવ કેસ , બીજા નંબરે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 452 એક્ટિવ કેસ, ત્રીજા નંબરે પશ્ચિમ ઝોનમાં 446 એક્ટિવ કેસ, ચોથા નંબરે દક્ષિણ ઝોનમાં 427 એક્ટિવ કેસ, પાંચમા નંબરે પૂર્વ ઝોનમાં 398 એક્ટિવ કેસ , છઠ્ઠા નંબરે ઉત્તર ઝોનમાં 371 એક્ટિવ કેસ અને સૌથી ઓછા મધ્ય ઝોનમાં 274 એક્ટિવ કેસ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget