શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં મૃત્યુદર રાજ્યમાં સૌથી વધારે 5.74 ટકા, ટપોટપ થઈ રહ્યા છે મૃત્યુ

અમદાવાદમાં કોરોનાને લીધે થતાં મૃત્યુમાં સૌથી આગળ કેમ છે, તે બાબત પણ મેડિકલ દ્રષ્ટિએ રિસર્ચનો વિષય છે.

અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના કારણે થતાં મૃત્યુનો દર રાજ્યના અન્ય શહેરો કરતાં ઘણો ઉંચ છે. દેશભરના સરેરાશ મૃત્યુદર કરતાં 2.51 ટકા ઉંચો છે. ગુજરાતના અન્ય શહેરો કે જ્યાં આરોગ્યની સુવિધાઓ અમદાવાદ કરતાં ઘણી ઓછી છે ત્યાં મૃત્યુદર 4.97 ટકા છે, જ્યારે અમદાવાદનો મૃત્યુદર 5.74 ટકા છે. ભારતનો સરેરાશ મૃત્યુદર 3.23 ટકા ગણાય છે. જ્યારે ચીનનો મૃત્યુદર 5.5 ટકા અને અમેરિકાનો 5.9 ટકા રહ્યો છે. અમદાવાદ તેનાથી પણ આગળ નિકળી ગયું છે. અમદાવાદમાં કોરોનાને લીધે થતાં મૃત્યુમાં સૌથી આગળ કેમ છે, તે બાબત પણ મેડિકલ દ્રષ્ટિએ રિસર્ચનો વિષય છે. કોરોનાની કોઈ ચોક્કસ દવા કે સારવાર નથી એટલે સારવારનો વાંક કાઢી શકાય તેમ નથી. પરંતુ દર્દીને ક્યા સમયે કેટલું ટ્રેમ્પ્રેચર હતું, તેને ઓક્સીજનની જરૂર છે કે નહીં, જરૂર હોય તો ઓક્સીજન આપતાં કેટલો સમય થયો ? તેને અપાતી એન્ટીબાયોટિક દવાની સાથે અપાતાં ખોરાકની ગુણવત્તા કેવી છે, પુરતાં પ્રમાણમાં તેને જરૂરી પોષક તત્ત્વો મળી રહે છે કે નહીં, તેને માનસિક સપોર્ટ આપવા સાઈકાટ્રીક કેટલી વખત મળે છે, વગેરે બાબતોનું હેલ્થકાર્ડ રખાય છે ખરું ? આ તમામ બાબતમાં થર્ડ પાર્ટી ઈન્સપેકશન થાય તે જરૂરી છે. પ્રાથમિક સુવિધાના ધાંધિયા સામે અનેક વિડીયો વહેતાં થયા છે, તો મેડિકલ સુવિધા કેવી છે, તે અંગે પણ પ્રશ્નો ઉભા થવા માંડયા છે. ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં ક્યાં ક્ષતિ રહી જાય છે, તે પ્રશ્નનો ઉત્તર શોધવા જેવો છે. બીજી તરફ આ કપરાં સમયમાં મંત્રીઓ, ધારાસભ્યો, મ્યુનિ.ના હોદ્દેદારો, કેમેરા દેખીને હરખાતા આગેવાનો, નિવેદનિયા નેતાઓ કાચબાની જેમ અંગો સંકોરીને સલામત ખૂણાઓ શોધી ક્યાંક લોકડાઉન થઈ ગયા છે, તે પ્રશ્ન છે. કેરાલા, તામીલનાડું, પંજાબ જેવા રાજ્યોએ કઈ રીતે કોરોનાના કન્ટ્રોલમાં રાખ્યો છે, પડોશી રાજ્ય રાજસ્થાનમાં કેમ મૃત્યુદર નીચો છે, વગેરે બાબતોનો અભ્યાસ કરી ગુજરાત માટે કોઈ ચોક્કસ પોલિસીની જાહેરાત કેમ નથી કરાતી ? બધું જ નિયતી ઉપર છોડી દીધું હોય તેમ લાગે છે. અમદાવાદમાં ગ્રીનઝોન ક્યારે અદ્રશ્ય થઈ ગયો, કેસરી ઝોનના વોર્ડ ઘટતા જાય છે અને રેડઝોનના વધતાં જાય છે, એવું કેમ તેનો જવાબ કેમ કોઈનીય પાસે નથી. રાજ્યના કુલ દર્દીઓમાં 70.22 ટકા અમદાવાદના હોય છે. જ્યારે કુલ મૃત્યુમાં 73.35 ટકા માત્ર અમદાવાદના જ હોય છે. સિવીલમાં દાખલ થયેલાં 295 દર્દીઓએ તેના વિકલ્પે હોમ-આઈસોલેશન પસંદ કર્યું, રજા લઈને ટ્રાન્સફર થયા તે બાબત ઘણું બધું કહી જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget