શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

કોરોનાની ત્રીજી લહેર મુદ્દે AMAના પૂર્વ પ્રમુખે શું આપ્યું મોટું નિવેદન? લોકોને શું આપી સલાહ?

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખે લોકોને તકેદારી રાખવાની સલાહ આપી છે. સંક્રમણ ઘટતા  રાજ્ય સરકારે કોરોનાના નિયમો હળવા કર્યા છે તેમજ આવતી કાલથી શરૂ થતી નવરાત્રિમાં શેરી ગરબાને પરમશીન આપી છે. 

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમું પડ્યું છે અને કોરોનાની બીજી લહેર અંત તરફ છે,  ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખે લોકોને તકેદારી રાખવાની સલાહ આપી છે. નોંધનીય છે કે, સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે કોરોનાના નિયમો હળવા કર્યા છે તેમજ આવતી કાલથી શરૂ થતી નવરાત્રિમાં શેરી ગરબાને પરમશીન આપી છે. 

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઇએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોનાનું રસીકરણ ખૂબ જ સારું છે. ગુજરાતમાં પણ ઘણાં બધા લોકોએ રસી લઈ લીધી છે. લગભગ 82 ટકા રસીકરણ થઈ ગયું છે. જેને કારણે ફરીથી કોરોના માથું ઉંચકે તો તેનાથી પરિસ્થિતિ ગંભીર થવાની સંભાવના ઘણી ઓછી છે. પણ એનો અર્થ એવો નથી કે આપણે લોકો બેદરકારીથી ફરીએ. આપણે તમામે હજુ પણ માસ્ક પહેરવું જ પડશે. કારણ કે, ઘણા બધા લોકો એવા છે, જેને હજુ એક જ ડોઝ લીધો છે અને એમનો બીજો ડોઝ લેવાનો બાકી છે. એવા લોકો ઝડપથી બીજો ડોઝ લઈ લે. 

ડો. મોના દેસાઇએ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા નહીંવત હોવાનું પણ જણાવ્યું હતું. જોકે, તેમણે  નવરાત્રિ-દિવાળીના તહેવારોમાં લોકોને કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે. 

ગુજરાતમાં આજે કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,762 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે લાંબા સમય બાદ કોરોના સંક્રમણથી એક મોત થયું નથી. આજે  5,12,552 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 180 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 177 નાગરિકો સ્ટેબલ છે. 8,15,776 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10084 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. લાંબા સમય બાદ  આજે કોરોના સંક્રમણના કારણે એક  દર્દીનું જૂનાગઢમાં મોત થયું છે. વલસાડ 7,  સુરત કોર્પોરેશનમાં 5, સુરત 3, ખેડા 2, રાજકોટ  કોર્પોરેશનમાં 2, અમદાવાદ કોર્પોરેશન 1, જૂનાગઢ 1, નવસારી 1 અને  વડોદરા કોર્પોરેશનમાં  1  કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. 

રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી  18  કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 3899 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 44568 નાગરિકોને  રસીનો પ્રથમ અને 94760  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના  139609   નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 229698 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 5,12,552  કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 6,25,22,653 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

અમદાવાદ,  અમરેલી, આણંદ, અરવલ્લી,  બનાસકાંઠા, ભરુચ,   ભાવનગર, ભાવનગર  કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,  ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન,  જુનાગઢ કોર્પોરેશન,    કચ્છ,   મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા,  પંચમહાલ, પાટણ,  પોરબંદર, રાજકોટ,   સાબરકાંઠા,  સુરેન્દ્રનગર, તાપી  અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Embed widget