![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad News: દિવાળીના તહેવારને લઇને AMCએ મહત્વનો નિર્ણય, આ કામ માટે ફળવાયા 1 કરોડ
અમદાવાદ કોર્પોરેશન દ્રારા અમદાવાદને દિવાળીના પર્વે રોશન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ અવસરે અમદાવાદ શહેરના મુખ્ય બ્રીજ પર લાઇટિંગ કરવામાં આવશે.
![Ahmedabad News: દિવાળીના તહેવારને લઇને AMCએ મહત્વનો નિર્ણય, આ કામ માટે ફળવાયા 1 કરોડ AMC took an important decision regarding the festival of Diwali, 1 crore was spent for decorate city Ahmedabad News: દિવાળીના તહેવારને લઇને AMCએ મહત્વનો નિર્ણય, આ કામ માટે ફળવાયા 1 કરોડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/02/0047541647e8b9f6f113fb2f74cb285c169893348296181_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ahmedabad News:અમદાવાદમાં દિવાળીના તહેવારને લઇને AMCએ મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકારી હોસ્પિટલમાં 24 કલાક તબીબોને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી છે. અલગ અલગ શિફ્ટમાં કામગીરી કરવા સરકારી હોસ્પિટલના તબીબોને આદેશ આપવામાં આવ્યા છે.ઉલ્લેખનિય છે કે, દિવાળીના તહેવારમાં આતિશબાજી સમયે દુર્ઘટના થવાની શક્યતા રહે છે. આ સમયે દાઝ્યાના કેસ સાથે આંખમાં ઇજાઓના કેસ વધવાની આશંકાના પગલે તબીબોને હાજર રહેવા સુચના અપાઇ છે.
અમદાવાદ કોર્પોરેશન દ્રારા અમદાવાદને દિવાળીના પર્વે રોશન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ અવસરે અમદાવાદ શહેરના મુખ્ય બ્રીજ પર લાઇટિંગ કરવામાં આવશે. અમદાવાદને દિપાવલીમાં રોશન કરવા માટે લાઇટિંગનો ખર્તે અંદાજિત 1 કરોડ ફાળવવામાં આવ્યા છે.
Ahmedabad News:અમદાવાદમાં વધતી જતી ગુનાખોરી મુદ્દે શહેર પોલીસ કમિશનરે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
અમદાવાદમાં ગુનાખોરી મુદ્દે પોલીસ કમિશનર જી એસ મલિકે મોટું નિવેદન આપ્યું છે. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે,ગુનાઓ બે-પાંચ ટકા વધે કે ઘટે તેનાથી કોઈ ફરક નથી પડવાનો, ગભરાવાની જરૂર નથી, શહેરમાં ગુનાખોરી કાબુમાં છે. ગુનો નોંધાય છે તે મહત્વની વાત છે. તેમણે વધુમાં કહ્યું કે, દરેક વાહનની તપાસ કરવી શક્ય નથી પણ હા રિવરફ્રન્ટ પર CCTV જરૂરી છે. આ મુદ્દે સંબંધિત વિભાગને જાણ કરવામાં આવશે
ઉલ્લેખનિય છે કે, હાલ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફાયરિંગ અને આત્મહત્યાના મામલે તપાસ ચાલી રહી છે. આ પહેલા શાહપુર અને વટવામાં પણ હત્યાની ઘટના બની હતી. સતત બની રહેલી ગુનાખોરીની ઘટનાને લઇને અમદાવાદ પોલીસ કમિશનરે ઘટના અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, માધ્યમોમાં બતાવવામાં આવે છે કે, અમદાવાદ ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે પરંતું ગુનાખોરીની માત્રા વધતી ઘટતી રહે તેના માટે પેનિક થવાની જરૂર નથી. રિવરફ્રન્ટવાળી ઘટના મર્ડર કે ફાયરિંગની નથી તેમાં સ્મિતે ડરના માર્યા આપઘાત કર્યો છે.
શું હતી અમદાવાદ રિવરફ્રન્ટની ઘટના
વિરમગામ અને અમદાવાદમાં રિવરફ્રન્ટ પર થયેલી હત્યા કેસનો ભેદ ઉકેલાયો છે. પૈસાની લેતી દેતીમાં મિત્રોએ હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો હતો. વિરમગામમાં રવિન્દ્ર લુહારની સ્મિત ગોહિલ અને યશ રાઠોડે હત્યા કરી હતી,ળી મારી હત્યા કરી લાશને સળગાવી દીધી હતી. હત્યા કર્યા બાદ સ્મિત ગોહિલ અને યશ રાઠોડ અમદાવાદ આવ્યા હતા. સ્મિત ગોહિલ પોતે ગુનામાં સામેલ હોવાથી પકડાઈ જવાનો ડર સતાવતો હતો. જેથી યશ પાસેથી હથિયાર લાવીને રિવરફ્રન્ટ પર પોતાને ગોળી મારી સ્મિતે આપઘાત કરી લીધો હતો. સાબરમતી નદીમાંથી ક્રાઈમ બ્રાન્ચે હથિયાર પણ કબ્જે કર્યું હતું. બાદ યશ રાઠોડની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી હતી. હવે આ કેસમાં યશ રાઠોડ બંને કેસનો મુખ્ય આરોપી છે. બંને મૃતક અને યશ વર્ષોથી મિત્રો હતા. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળ્યું કે, યશ અને સ્મિત હત્યા માટે મધ્યપ્રદેશના મુરેનાથી હથિયાર લાવ્યા હતા. યશની ધરપકડ કરીને પોલીસે સધન પૂછપરછ હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)