શોધખોળ કરો

Gujarat Opinion Poll 2022: હાર્દિકના આવવાથી ભાજપને ફાયદો થશે કે નુકસાન? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Gujarat Opinion Poll 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપની તરફેણમાં વાતાવરણ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે.

Gujarat Opinion Poll 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપની તરફેણમાં વાતાવરણ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસ પણ ભાજપને સત્તા પરથી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. અરવિંદ કેજરીવાલ આ વખતે આ બંને પક્ષો વચ્ચે ત્રીજા ખેલાડી તરીકે મેદાનમાં છે. આવી સ્થિતિમાં સી વોટરે એબીપી ન્યૂઝ માટે પહેલો ઓપિનિયન પોલ કર્યો છે.


Gujarat Opinion Poll 2022: હાર્દિકના આવવાથી ભાજપને ફાયદો થશે કે નુકસાન? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

આ સર્વેમાં કેટલાક ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હાર્દિક પટેલને લઈને પણ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં પૂછવામાં આવ્યું હતું કે, હાર્દિક પટેલને ભાજપમાં લેવાથી પાર્ટીને ફાયદો થશે કે નુકસાન? તો આ અંગે લોકોએ પોતાનો મત રજૂ કર્યો છે. 32.6 ટકા લોકોએ એવું કહી રહ્યા છે કે ભાજપને ફાયદો થશે જ્યારે 67.4 ટકા લોકો એવું કહી રહ્યા છે કે, ભાજપને નુકસાન થશે. તમને જણાવી દઈએ કે એબીપી સી વોટર સર્વેમાં 37528 લોકોએ પોતાના મત રજૂ કર્યો હતો.

ગુજરાતમાં કયા પક્ષને મળશે સત્તાનું સુકાન

આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે. આ ચૂંટણી પહેલાં એબીપી ન્યૂઝ અને સી-વોટરે ગુજરાતમાં સર્વે કરીને જનતાનો મૂડ જાણ્યો છે. આ સર્વેમાં ગુજરાતમાંથી કુલ 37,500થી વધુ લોકોને સવાલ પુછવામાં આવ્યા હતા. જનતાને પુછવામાં આવેલા આ સવાલોના જવાબમાં એક પ્રશ્ન એ પણ હતો કે, તમે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કયા નેતાને જોવા માંગો છો?

CM તરીકે કોને જોવા માંગે છે લોકો?

આ સર્વેમાં મુખ્યમંત્રી તરીકે ગુજરાતના લોકોએ કયા નેતાને પસંદગી કરી તેની ટકાવારી મુજબ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સૌથી વધુ 34.6 ટકા લોકોએ પસંદ કર્યા છે. ત્યાર બાદ વિજય રુપાણીને 9.2 ટકા લોકોએ, નીતિન પટેલને 5 ટકા, શક્તિસિંહ ગોહિલને 4.9 ટકા, ભરતસિંહ સોલંકીને 4 ટકા અને અર્જુન મોઢવાડિયાને 2.8 ટકા લોકોએ પસંદ કર્યા છે. જો કે, આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતાના ચહેરાને 15.6 ટકા લોકોએ મત આપ્યો છે અને અન્ય કોઈ પણ નેતાને મુખ્યમંત્રી તરીકે જોવા માટે 24 ટકા લોકોએ મત આપ્યો છે. 

ઓપનિયન પોલ મુજબ ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકમાંથી

ભાજપને 135 થી 143 બેઠક મળી શકે
કોંગ્રેસને 36 થી 44 બેઠક મળી શકે
આપને 00 થી 02 બેઠક મળી શકે
અન્યને 00 થી 03 બેઠક મળી શકે

ઓપનિયન પોલ મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કયા પક્ષને કેટલા ટકા વોટ મળશે?

ભાજપને 46.8 ટકા વોટ મળી શકે
કોંગ્રેસને 32.8 ટકા વોટ મળી શકે
આપને 17.4 ટકા વોટ મળી શકે
અન્યને 3.55 ટકા વોટ મળી શકે

ગુજરાતમાં કેટલા ટકા લોકો ગુજરાતની વર્તમાન સરકારને બદલવા માંગે છે? ઓપિનિયન પોલમાં લોકોએ શું કહ્યું?

નારાજ છે અને સરકાર બદલવા માંગે છે - 34%
નારાજ છે પણ સરકાર બદલવા નથી માંગતા - 40% 
નારાજ પણ નથી અને બદલવા પણ નથી માંગતા - 26%

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોણ જીતશે, ઓપિનિયન પોલમાં ચોંકાવનારા દાવા

ભાજપ-63%
કોંગ્રેસ-9%
તમે - 19%
અન્ય-2%
હંગ -2%
અજ્ઞાત - 5%

ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કયો મુદ્દો અસરકારક રહેશે? 

ધ્રુવીકરણ - 18%
રાષ્ટ્રીય સુરક્ષા - 28%
મોદી-શાહની કામગીરી - 15%
રાજ્ય સરકારનું કામ - 16%
આમ આદમી પાર્ટી -18%
અન્ય - 5%

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget