શોધખોળ કરો

Palanpur: અયોધ્યા રામ મંદિરમાં વાગશે અમદાવાદની ઘંટડી, આ ગૃપે કરી અર્પણ

પાલનપુર: આગામી ૫ નવેમ્બરના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલ્લાને જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા નિર્મિત હનુમાન ઘંટી અર્પણ કરવામાં આવશે.

પાલનપુર: આગામી ૫ નવેમ્બરના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલ્લાને જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા નિર્મિત હનુમાન ઘંટડી અર્પણ કરવામાં આવશે. ભગવાન શ્રી રામલ્લાના મંદિર ખાતે અર્પણ થનાર હનુમાન ઘંટીનું શકિતપીઠ અંબાજી ખાતે ૨૯ ઓક્ટોબરને મંગળવારના રોજ મંદિર વહીવટદાર કૌશિક મોદી અને જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશ પટેલ દ્વારા વિધિવિધાન સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.

મા અંબાના આશીર્વાદ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના સહયોગથી જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશ પટેલ દ્વારા આ હનુમાન ઘંટી અયોધ્યા ખાતે નવનિર્મિત ભગવાન રામલ્લાના મંદિરે ભેટ ધરવામાં આવશે. આ ઉપરાંત જય ભોલે ગ્રુપ દ્વારા આગામી ૮ નવેમ્બરના રોજ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ખાતે નંદી ઘંટડી અર્પણ કરવામાં આવશે.
 
મંદિરના પ્રવેશ દ્વાર કે ગર્ભગૃહમાં શોભતા ઘંટ વગાડવાનો અનેરો મહિમા છે. તો આરતીમાં શંખનાદ , નગારા અને ઘંટારવ મનને અનેરી શાંતિ પ્રદાન કરી શ્રદ્ધાળુઓને દિવ્યતાનો અનુભવ કરાવે છે. આરતી સમયે જે હાથમાં વગાડવામાં આવે છે તે ઘંટીનું પુરાણોમાં એક શ્લોકમાં વર્ણન જોવા મળે છે, જે આ મુજબ છે.

"आगमार्थं तु देवानां गमनार्थं तु रक्षसाम् ।
घण्टारवं करोम्यादौ देवताह्वान लाञ्छनम् ॥" 
જેનો અનુવાદ કંઇક આ પ્રકારે છે.

("દેવોને આમંત્રિત કરવા અને દાનવોને ભગાડવા માટે, હું શરૂઆતમાં ઘંટ વગાડું છું. તે શુભતાનું પ્રતીક છે.")

આ શ્લોકનું વર્ણન ઘંટી પર કરવામાં આવ્યું છે. તેમજ ઘંટી બનાવવા માટે વેદોમાં જે મટીરીયલ નું વર્ણન છે, તે પ્રમાણેના મટીરીયલમાંથી આ ઘંટી બનાવવામાં આવી છે. જે આગામી ૫ નવેમ્બરના રોજ અયોધ્યા ખાતે  રામ મંદિરને માં અંબા તરફથી જય ભોલે ગ્રુપ દ્વારા  અર્પણ થવા જઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, આ વર્ષે  અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ પ્રથમ દિવાળી ઉજવવામાં આવી હતી . અયોધ્યાની દિવાળી છેલ્લા ઘણા સમયથી દુનિયાભરમાં પ્રખ્યાત છે અને ફરી એકવાર આ દિવાળી ચર્ચામાં આવી છે. બુધવારે (30 ઓક્ટોબર) અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી દરમિયાન ઉત્તર પ્રદેશે બે નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા.

આ રેકોર્ડ સૌથી વધુ સંખ્યામાં લોકો દ્ધારા એક સાથે દીવા પ્રગટાવવા અને સૌથી મોટા તેલના દીવાઓનું પ્રદર્શન છે. આ રેકોર્ડ ઉત્તર પ્રદેશ સરકારના પ્રવાસન વિભાગ અને અયોધ્યા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 25,12,585 લાખ દીવા પ્રગટાવીને બનાવ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાર્યક્રમ દરમિયાન ગિનીસ અધિકારી પાસેથી સર્ટિફિકેટ લીધું હતું.

આ પણ વાંચો..

Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ
અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ
અમદાવાદમાં ક્રૂર હત્યા: જમવામાં કીડી નીકળતા 4 મિત્રોએ ભેગા મળી મિત્રને રહેંસી નાખ્યો
અમદાવાદમાં ક્રૂર હત્યા: જમવામાં કીડી નીકળતા 4 મિત્રોએ ભેગા મળી મિત્રને રહેંસી નાખ્યો
IPL ફાઈનલને લઈ અમદાવાદમાં ક્રિકેટ ફિવર, 2 સ્પેશિયલ ટ્રેન દોડશે, હોટેલમાં એડવાન્સ બુકિંગ શરૂ
IPL ફાઈનલને લઈ અમદાવાદમાં ક્રિકેટ ફિવર, 2 સ્પેશિયલ ટ્રેન દોડશે, હોટેલમાં એડવાન્સ બુકિંગ શરૂ
Ahmedabad Firing Case: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPની ધરપકડ, પો.સ્ટે.માં પોલીસકર્મીઓ સાથે કરી ઝપાઝપી
Ahmedabad Firing Case: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPની ધરપકડ, પો.સ્ટે.માં પોલીસકર્મીઓ સાથે કરી ઝપાઝપી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Embed widget