શોધખોળ કરો

Palanpur: અયોધ્યા રામ મંદિરમાં વાગશે અમદાવાદની ઘંટડી, આ ગૃપે કરી અર્પણ

પાલનપુર: આગામી ૫ નવેમ્બરના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલ્લાને જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા નિર્મિત હનુમાન ઘંટી અર્પણ કરવામાં આવશે.

પાલનપુર: આગામી ૫ નવેમ્બરના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલ્લાને જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા નિર્મિત હનુમાન ઘંટડી અર્પણ કરવામાં આવશે. ભગવાન શ્રી રામલ્લાના મંદિર ખાતે અર્પણ થનાર હનુમાન ઘંટીનું શકિતપીઠ અંબાજી ખાતે ૨૯ ઓક્ટોબરને મંગળવારના રોજ મંદિર વહીવટદાર કૌશિક મોદી અને જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશ પટેલ દ્વારા વિધિવિધાન સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.

મા અંબાના આશીર્વાદ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના સહયોગથી જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશ પટેલ દ્વારા આ હનુમાન ઘંટી અયોધ્યા ખાતે નવનિર્મિત ભગવાન રામલ્લાના મંદિરે ભેટ ધરવામાં આવશે. આ ઉપરાંત જય ભોલે ગ્રુપ દ્વારા આગામી ૮ નવેમ્બરના રોજ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ખાતે નંદી ઘંટડી અર્પણ કરવામાં આવશે.
 
મંદિરના પ્રવેશ દ્વાર કે ગર્ભગૃહમાં શોભતા ઘંટ વગાડવાનો અનેરો મહિમા છે. તો આરતીમાં શંખનાદ , નગારા અને ઘંટારવ મનને અનેરી શાંતિ પ્રદાન કરી શ્રદ્ધાળુઓને દિવ્યતાનો અનુભવ કરાવે છે. આરતી સમયે જે હાથમાં વગાડવામાં આવે છે તે ઘંટીનું પુરાણોમાં એક શ્લોકમાં વર્ણન જોવા મળે છે, જે આ મુજબ છે.

"आगमार्थं तु देवानां गमनार्थं तु रक्षसाम् ।
घण्टारवं करोम्यादौ देवताह्वान लाञ्छनम् ॥" 
જેનો અનુવાદ કંઇક આ પ્રકારે છે.

("દેવોને આમંત્રિત કરવા અને દાનવોને ભગાડવા માટે, હું શરૂઆતમાં ઘંટ વગાડું છું. તે શુભતાનું પ્રતીક છે.")

આ શ્લોકનું વર્ણન ઘંટી પર કરવામાં આવ્યું છે. તેમજ ઘંટી બનાવવા માટે વેદોમાં જે મટીરીયલ નું વર્ણન છે, તે પ્રમાણેના મટીરીયલમાંથી આ ઘંટી બનાવવામાં આવી છે. જે આગામી ૫ નવેમ્બરના રોજ અયોધ્યા ખાતે  રામ મંદિરને માં અંબા તરફથી જય ભોલે ગ્રુપ દ્વારા  અર્પણ થવા જઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, આ વર્ષે  અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ પ્રથમ દિવાળી ઉજવવામાં આવી હતી . અયોધ્યાની દિવાળી છેલ્લા ઘણા સમયથી દુનિયાભરમાં પ્રખ્યાત છે અને ફરી એકવાર આ દિવાળી ચર્ચામાં આવી છે. બુધવારે (30 ઓક્ટોબર) અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી દરમિયાન ઉત્તર પ્રદેશે બે નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા.

આ રેકોર્ડ સૌથી વધુ સંખ્યામાં લોકો દ્ધારા એક સાથે દીવા પ્રગટાવવા અને સૌથી મોટા તેલના દીવાઓનું પ્રદર્શન છે. આ રેકોર્ડ ઉત્તર પ્રદેશ સરકારના પ્રવાસન વિભાગ અને અયોધ્યા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 25,12,585 લાખ દીવા પ્રગટાવીને બનાવ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાર્યક્રમ દરમિયાન ગિનીસ અધિકારી પાસેથી સર્ટિફિકેટ લીધું હતું.

આ પણ વાંચો..

Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget