શોધખોળ કરો

Deepotsav 2024: 25 લાખથી વધુ દીવડાઓથી ઝળહળી ઉઠ્યું અયોધ્યા, બનાવ્યા બે નવા વર્લ્ડ રેકોર્ડ

અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી દરમિયાન ઉત્તર પ્રદેશે બે નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા

Ayodhya Deepotsav: આ વર્ષે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ પ્રથમ દિવાળી ઉજવવામાં આવી રહી છે. અયોધ્યાની દિવાળી છેલ્લા ઘણા સમયથી દુનિયાભરમાં પ્રખ્યાત છે અને ફરી એકવાર આ દિવાળી ચર્ચામાં આવી છે. બુધવારે (30 ઓક્ટોબર) અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી દરમિયાન ઉત્તર પ્રદેશે બે નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા.

આ રેકોર્ડ સૌથી વધુ સંખ્યામાં લોકો દ્ધારા એક સાથે દીવા પ્રગટાવવા અને સૌથી મોટા તેલના દીવાઓનું પ્રદર્શન છે. આ રેકોર્ડ ઉત્તર પ્રદેશ સરકારના પ્રવાસન વિભાગ અને અયોધ્યા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 25,12,585 લાખ દીવા પ્રગટાવીને બનાવ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાર્યક્રમ દરમિયાન ગિનીસ અધિકારી પાસેથી સર્ટિફિકેટ લીધું હતું.

25 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા

આઠમા દીપોત્સવ નિમિત્તે સરયુ નદીના કિનારે 25 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, જેણે સૌથી વધુ સંખ્યામાં દીવા પ્રગટાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક કારીગરોને દીવાઓનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આદિત્યનાથે સમારોહનું નેતૃત્વ કર્યું અને તેમના કેબિનેટ સભ્યો સાથે પ્રથમ થોડા દીવાઓ પ્રગટાવીને દીપોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના પ્રવાસન મંત્રી જયવીર સિંહ પણ હાજર રહ્યા હતા. આ વર્ષે 22 જાન્યુઆરીએ રામ લલા મંદિરના અભિષેક બાદ આ પહેલો દીપોત્સવ હતો.

આ પ્રસંગે સમગ્ર શહેરને શણગારવામાં આવ્યું હતું અને ભગવાન રામને સમર્પિત સંગીતની ધૂન ગુંજી રહી હતી. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક સહિત અનેક મંત્રીઓ અને મહાનુભાવોએ રામ મંદિરની મુલાકાત લીધી હતી.

બુધવારે અયોધ્યામાં ઉત્સવનો માહોલ હતો, જ્યારે આઠમા દીપોત્સવના ભાગ રૂપે રામાયણના પાત્રોની જીવંત ઝાંખીઓ સાથેની શોભાયાત્રા મંદિરના નગરમાંથી પસાર થઈ હતી. અંતમાં પૌરાણિક પાત્રોને લઈને નીકળેલી શોભાયાત્રાનું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 'આરતી' સાથે સ્વાગત કર્યું હતું.

દીપોત્સવ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અયોધ્યા માત્ર ભગવાન રામનું જન્મસ્થળ જ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું વૈશ્વિક કેન્દ્ર પણ છે. મુખ્યમંત્રીએ આ કાર્યક્રમની સફળતા માટે અયોધ્યાના લોકો અને સ્થાનિક વહીવટીતંત્રની પ્રશંસા કરી હતી અને તેને એક એવો ઉત્સવ ગણાવ્યો હતો જે ભારતની સંસ્કૃતિ, એકતા અને ધાર્મિક ભક્તિનું પ્રતીક છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parshottam Pipaliya: પાટીદાર આગેવાન પરશોત્તમ પીપળીયાના રાદડિયા પર પ્રહારKheda News: ખેડાના લગ્ન પ્રસંગે મોટા અવાજે સામ સામે DJ વગાડવા મુદ્દે કાર્યવાહીViramgam Teacher Murder Case: અમદવાદમાં વિરમગામની ખાનગી શાળાના પ્રાથમિક શિક્ષકની હત્યાથી હડકંપGovind Dholakia : લેબગ્રોન ડાયમંડના કારણે હીરામાં મંદીનો ગોવિંદ ધોળકીયાનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
EPF  એકાઉન્ટની બેન્ક ડિટેઇલ્સ કરવી છે ચેન્જ? જાણી લો સમગ્ર પ્રોસેસ
EPF એકાઉન્ટની બેન્ક ડિટેઇલ્સ કરવી છે ચેન્જ? જાણી લો સમગ્ર પ્રોસેસ
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
Embed widget