શોધખોળ કરો

CM રુપાણીએ પરિવાર સાથે જગન્‍નાથજી મંદિરમાં કરી આરતી,  નાયબ મુખ્યમંત્રી પણ રહ્યા ઉપસ્થિત

મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે 144મી જગન્નાથજીની રથ યાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભકિત ભાવ પૂર્વક આરતી અને દર્શન કર્યા હતા.

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે 144મી જગન્નાથજીની રથ યાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભકિત ભાવ પૂર્વક આરતી અને દર્શન કર્યા હતા. તેમણે મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે બેઠક કરીને રથયાત્રાની વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ આ અવસરે જણાવ્યું કે, રથયાત્રા એ ધાર્મિકની સાથે સાથે લોકોત્સવ પણ છે. માત્ર અમદાવાદ જ નહી પરંતુ સમગ્ર રાજ્ય માટે રથયાત્રા અનેરું મહત્વ ધરાવે છે. ભગવાન જગન્નાથ લોકોનાં દેવ છે અને લોકોને સામે ચાલીને મળવા, દર્શન આપવા અષાઢી બીજે રથમાં બિરાજીને નગર યાત્રાએ નીકળે છે એ આપણી પરંપરા રહી છે. લોકો પણ આ યાત્રામાં સાથે મળીને ભક્તિભાવ પૂર્વક જોડાય છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે આ વખતની રથયાત્રા આપણા માટે થોડી અલગ છે. રાજ્ય સરકારે લોકોની આસ્થા શ્રદ્ઘા ધ્યાને રાખીને કોવિડની પરિસ્થિતીના પગલે કોવિડ સંક્રમણ નિયંત્રણના પ્રોટોકોલ અને ગાઈડલાઈન પ્રમાણે આ રથયાત્રા નિયંત્રિત રીતે યોજવા મંજૂરી આપી છે ત્યારે લોકો પણ સહયોગ આપે તે જરૂરી છે.

નગરજનો ઘરે બેઠા દર્શન કરે તે સમયની માંગ છે. આ માટે રથયાત્રા ના લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.  તેનો સૌ લાભ લઈ ઘરે બેઠા જ યાત્રા નિહાળે અને ભગવાન ના દર્શન કરે તેવી અપીલ તેમણે કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે સૌ સમાજ વર્ગોના સુખ સમૃદ્ધિ અને વિકાસ થી ગુજરાત અડીખમ રહે વિકાસ માં સતત અગ્રેસર રહે તેવી પ્રાર્થના તેમણે કરી છે.

મુખ્યમંત્રી એ ભગવાન જગન્નાથની કૃપા થી સૌ સ્વસ્થ રહે કોરોના મહામારીમાંથી ગુજરાત   મુક્ત થાય તેવી પ્રાર્થના કરી છે. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મેયર કીરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના પ્રમુખ હિતેષ બારોટ,  અમદાવાદના ધારાસભ્યો અને મહાપાલિકાના પદાધિકારીઓ પણ જોડાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Ahmedabad News: અમદાવાદના કાફેમાં ગ્રાહકને થયો કડવો અનુભવ, Komo by Kaffaમાં ગાર્લિક બ્રેડમાંથી માખી નીકળ્યાનો આરોપ
Ahmedabad News: અમદાવાદના કાફેમાં ગ્રાહકને થયો કડવો અનુભવ, Komo by Kaffaમાં ગાર્લિક બ્રેડમાંથી માખી નીકળ્યાનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નો કેશ, ઓનલી ઓનલાઇન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમલગ્ન - પ્રેમ કે પ્રપંચ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાબાનું ઓપરેશન કરવું પડશે
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Patan Demolition : કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત, કાળા સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB probable playing 11: RCBએ ફરી ચેમ્પિયન બનવું હશે તો પ્લેઈંગ-11માં આ ખેલાડીઓને આપવી પડશે તક
RCB probable playing 11: RCBએ ફરી ચેમ્પિયન બનવું હશે તો પ્લેઈંગ-11માં આ ખેલાડીઓને આપવી પડશે તક
Iran Israel War: ઈરાને ક્લસ્ટર મિસાઈલોથી ઈઝરાયલ પર કર્યો હુમલો, તેહરાને પાવર અને પાણીના પ્લાન્ટ પર હુમલાની આપી ચેતવણી
Iran Israel War: ઈરાને ક્લસ્ટર મિસાઈલોથી ઈઝરાયલ પર કર્યો હુમલો, તેહરાને પાવર અને પાણીના પ્લાન્ટ પર હુમલાની આપી ચેતવણી
મુંબઈ ઈન્ડિયન્સ કે ચેન્નાઈ સુપર કિંગ્સ? ઈરફાન પઠાણના મતે કઈ ટીમ છે IPLમાં સૌથી દમદાર
મુંબઈ ઈન્ડિયન્સ કે ચેન્નાઈ સુપર કિંગ્સ? ઈરફાન પઠાણના મતે કઈ ટીમ છે IPLમાં સૌથી દમદાર
Aaj Nu Rashifal: વેપારમાં નફો કે સ્વાસ્થ્યમાં સમસ્યા? જાણો મેષથી લઈને મીન સુધીનું સોમવારનું રાશિફળ
Aaj Nu Rashifal: વેપારમાં નફો કે સ્વાસ્થ્યમાં સમસ્યા? જાણો મેષથી લઈને મીન સુધીનું સોમવારનું રાશિફળ
Pakistan: હોર્મુઝ સંકટથી પાકિસ્તાનનો નીકળ્યો દમ, ઇંધણના ભાવમાં 200 ટકાનો કરાયો વધારો
Pakistan: હોર્મુઝ સંકટથી પાકિસ્તાનનો નીકળ્યો દમ, ઇંધણના ભાવમાં 200 ટકાનો કરાયો વધારો
IOC, BPCL અને HPCL પર દાવ લગાવનાર રોકાણકારો સાવધાન! 20% સુધી તૂટી શકે છે શેર
IOC, BPCL અને HPCL પર દાવ લગાવનાર રોકાણકારો સાવધાન! 20% સુધી તૂટી શકે છે શેર
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
'ઈરાન દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું' થી લઈને 48 કલાકના અલ્ટીમેટમ સુધી: ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા નિવેદનોથી દુનિયા ગોટે ચડી!
'ઈરાન દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું' થી લઈને 48 કલાકના અલ્ટીમેટમ સુધી: ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા નિવેદનોથી દુનિયા ગોટે ચડી!
Embed widget