શોધખોળ કરો

Ayodhya Ram Mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા ડૉ પ્રવિણ તોગડિયાને આપવામાં આવ્યું આમંત્રણ

Ayodhya Ram Mandir: અયોધ્યા ખાતે નવનિર્મિત શ્રીરામ મંદિરમાં ભગવાન શ્રીરામના બાળ સ્વરુપ એવા રામલલાની મુર્તિનો પૂન:પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દિનાંક 22મી જાન્યુઆરીના રોજ થવા જઇ રહ્યો છે.

Ayodhya Ram Mandir: અયોધ્યા ખાતે નવનિર્મિત શ્રીરામ મંદિરમાં ભગવાન શ્રીરામના બાળ સ્વરુપ એવા રામલલાની મુર્તિનો પૂન:પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દિનાંક 22મી જાન્યુઆરીના રોજ થવા જઇ રહ્યો છે. આ સમારોહના નિમંત્રણ અનેક ગણમાન્ય મહાનુભવોને આપવામાં આવી રહ્યા છે ત્યારે શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસ વતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત કાર્યવાહ શૈલેશ પટેલ અને વિશ્વ હિંદુ પરિષદ ગુજરાત પ્રાંત મહામંત્રી અશોક રાવલે ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ શ્રી રામજન્મભૂમિ આંદોલનમાં સક્રીય રહેલા વિશ્વ હિંદુ પરિષદના તત્કાલીન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડિયાને આજે રુબરુ મળીને આપ્યું હતું.

22 જાન્યુઆરી 2024ના રોજ યોજાઇ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના નિમંત્રણનો ડૉ. શ્રી પ્રવિણ તોગડિયાએ સહર્ષ સ્વીકાર કરતા શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસનો આભાર વ્યક્ત કરીને જણાવ્યું કે, 'રામમંદિર મારા જીવનનો એક ભાગ રહ્યું છે. તેમણે 1984ની પ્રથમ ધર્મ સંસદ, તાળા ખોલો અભિયાન, રામજાનકી યાત્રા, શ્રીરામ શિલા પૂજન, 1989 રામજન્મભૂમિ શિલાન્યાસ, 1990ની પ્રથમ કારસેવા, 1992ની કારસેવા આ બધા સાથે તે જોડાયેલા હતા તેનું સ્મરણ કર્યુ.

ડૉ. તોગડિયાએ કહ્યું કે ધારા 370 દૂર થઈ અને શ્રી રામ મંદિર આ બંને હિંદુઓ માટે ઐતિહાસિક વિજયના પ્રસંગ છે. તેમણે એ પણ કહ્યું કે ધારા 370 દૂર કરવામાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઐતિહાસિક ભૂમિકા રહી છે. તેમણે ભગવાન શ્રીરામમંદિરનો યશ 450 વર્ષ સંઘર્ષ કર્યો એ પેઢીઓને અને 8 લાખ કારસેવકોને પણ આપ્યો અને સમૃદ્ધ હિંદુ, સુરક્ષિત હિંદુ, સંન્માનયુક્ત હિંદુ અને સ્વસ્થ હિંદુ અને હિન્દુઓની પ્રગતિ માટે કાર્ય કરવા માટે આવ્હાન કર્યું.

અયોધ્યામાં મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચે તેવી શક્યતા છે અને તેને ધ્યાનમાં રાખીને શહેરમાં મોટા પાયે કામ ચાલી રહ્યું છે. સીએમ યોગી સતત તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં કાશી વિશ્વનાથ અને વૈષ્ણોદેવી મંદિરોના વડા સહિત લગભગ 4,000 સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. હાલમાં, 4,000 થી વધુ લોકો વિવિધ કાર્યોને પૂર્ણ કરવા માટે વિવિધ શિફ્ટમાં સ્થળ પર કામ કરી રહ્યા છે.

 ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરમાં રામલલાના અભિષેક સમારોહનું આયોજન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશના દિગ્ગજ લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. કેટલાક લોકો એવા છે જેમને આમંત્રણ નથી મળ્યું અને કેટલાકે પોતે જ તેને નકારી કાઢ્યું. જેમાં વિપક્ષી ગઠબંધન ભારતના ઘણા નેતાઓ સામેલ છે.

જોકે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ તરફથી તમામ મુખ્યમંત્રીઓ અને મોટા નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આ મામલે કોંગ્રેસના સાંસદ અને દિગ્ગજ નેતા શશિ થરૂરે કહ્યું, “પ્રેસ મારી પાસેથી જાણવા માંગે છે કે શું હું 22 જાન્યુઆરીએ અયોધ્યા જઈ રહ્યો છું. મેં તેમને કહ્યું કે મને આમંત્રણ આપવામાં આવ્યું નથી પરંતુ હું ધર્મને વ્યક્તિગત ગુણ તરીકે જોઉં છું અને રાજકીય (દુરુપયોગ) માટે નહીં.

NCP ચીફ શરદ પવારે કહ્યું, “મને રામ મંદિરનું આમંત્રણ મળ્યું નથી. હું ખુશ છું કે રામ મંદિર બની રહ્યું છે અને આ સંદર્ભમાં વિપક્ષ તરીકે અમારે એટલું જ કહેવાનું છે કે જેઓ સત્તામાં છે તેમની પાસે બીજો કોઈ મુદ્દો નથી, તેથી તેઓ રામ મંદિરના મુદ્દાને આગળ વધારી રહ્યા છે.

જેમાંથી 400 કાર્યકરોને ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રિત કરવામાં આવશે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે બનાવવામાં આવેલી ત્રણ મૂર્તિઓમાંથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યો દ્વારા રામલલાની મૂર્તિની પસંદગી કરવામાં આવશે. અભિષેક સમારોહ પહેલા, શહેરના મુખ્ય માર્ગને પણ સૂર્ય-થીમ આધારિત સૂર્ય સ્તંભોથી શણગારવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Embed widget