શોધખોળ કરો

Ayodhya Ram Mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા ડૉ પ્રવિણ તોગડિયાને આપવામાં આવ્યું આમંત્રણ

Ayodhya Ram Mandir: અયોધ્યા ખાતે નવનિર્મિત શ્રીરામ મંદિરમાં ભગવાન શ્રીરામના બાળ સ્વરુપ એવા રામલલાની મુર્તિનો પૂન:પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દિનાંક 22મી જાન્યુઆરીના રોજ થવા જઇ રહ્યો છે.

Ayodhya Ram Mandir: અયોધ્યા ખાતે નવનિર્મિત શ્રીરામ મંદિરમાં ભગવાન શ્રીરામના બાળ સ્વરુપ એવા રામલલાની મુર્તિનો પૂન:પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દિનાંક 22મી જાન્યુઆરીના રોજ થવા જઇ રહ્યો છે. આ સમારોહના નિમંત્રણ અનેક ગણમાન્ય મહાનુભવોને આપવામાં આવી રહ્યા છે ત્યારે શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસ વતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત કાર્યવાહ શૈલેશ પટેલ અને વિશ્વ હિંદુ પરિષદ ગુજરાત પ્રાંત મહામંત્રી અશોક રાવલે ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ શ્રી રામજન્મભૂમિ આંદોલનમાં સક્રીય રહેલા વિશ્વ હિંદુ પરિષદના તત્કાલીન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડિયાને આજે રુબરુ મળીને આપ્યું હતું.

22 જાન્યુઆરી 2024ના રોજ યોજાઇ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના નિમંત્રણનો ડૉ. શ્રી પ્રવિણ તોગડિયાએ સહર્ષ સ્વીકાર કરતા શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસનો આભાર વ્યક્ત કરીને જણાવ્યું કે, 'રામમંદિર મારા જીવનનો એક ભાગ રહ્યું છે. તેમણે 1984ની પ્રથમ ધર્મ સંસદ, તાળા ખોલો અભિયાન, રામજાનકી યાત્રા, શ્રીરામ શિલા પૂજન, 1989 રામજન્મભૂમિ શિલાન્યાસ, 1990ની પ્રથમ કારસેવા, 1992ની કારસેવા આ બધા સાથે તે જોડાયેલા હતા તેનું સ્મરણ કર્યુ.

ડૉ. તોગડિયાએ કહ્યું કે ધારા 370 દૂર થઈ અને શ્રી રામ મંદિર આ બંને હિંદુઓ માટે ઐતિહાસિક વિજયના પ્રસંગ છે. તેમણે એ પણ કહ્યું કે ધારા 370 દૂર કરવામાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઐતિહાસિક ભૂમિકા રહી છે. તેમણે ભગવાન શ્રીરામમંદિરનો યશ 450 વર્ષ સંઘર્ષ કર્યો એ પેઢીઓને અને 8 લાખ કારસેવકોને પણ આપ્યો અને સમૃદ્ધ હિંદુ, સુરક્ષિત હિંદુ, સંન્માનયુક્ત હિંદુ અને સ્વસ્થ હિંદુ અને હિન્દુઓની પ્રગતિ માટે કાર્ય કરવા માટે આવ્હાન કર્યું.

અયોધ્યામાં મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચે તેવી શક્યતા છે અને તેને ધ્યાનમાં રાખીને શહેરમાં મોટા પાયે કામ ચાલી રહ્યું છે. સીએમ યોગી સતત તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં કાશી વિશ્વનાથ અને વૈષ્ણોદેવી મંદિરોના વડા સહિત લગભગ 4,000 સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. હાલમાં, 4,000 થી વધુ લોકો વિવિધ કાર્યોને પૂર્ણ કરવા માટે વિવિધ શિફ્ટમાં સ્થળ પર કામ કરી રહ્યા છે.

 ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરમાં રામલલાના અભિષેક સમારોહનું આયોજન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશના દિગ્ગજ લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. કેટલાક લોકો એવા છે જેમને આમંત્રણ નથી મળ્યું અને કેટલાકે પોતે જ તેને નકારી કાઢ્યું. જેમાં વિપક્ષી ગઠબંધન ભારતના ઘણા નેતાઓ સામેલ છે.

જોકે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ તરફથી તમામ મુખ્યમંત્રીઓ અને મોટા નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આ મામલે કોંગ્રેસના સાંસદ અને દિગ્ગજ નેતા શશિ થરૂરે કહ્યું, “પ્રેસ મારી પાસેથી જાણવા માંગે છે કે શું હું 22 જાન્યુઆરીએ અયોધ્યા જઈ રહ્યો છું. મેં તેમને કહ્યું કે મને આમંત્રણ આપવામાં આવ્યું નથી પરંતુ હું ધર્મને વ્યક્તિગત ગુણ તરીકે જોઉં છું અને રાજકીય (દુરુપયોગ) માટે નહીં.

NCP ચીફ શરદ પવારે કહ્યું, “મને રામ મંદિરનું આમંત્રણ મળ્યું નથી. હું ખુશ છું કે રામ મંદિર બની રહ્યું છે અને આ સંદર્ભમાં વિપક્ષ તરીકે અમારે એટલું જ કહેવાનું છે કે જેઓ સત્તામાં છે તેમની પાસે બીજો કોઈ મુદ્દો નથી, તેથી તેઓ રામ મંદિરના મુદ્દાને આગળ વધારી રહ્યા છે.

જેમાંથી 400 કાર્યકરોને ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રિત કરવામાં આવશે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે બનાવવામાં આવેલી ત્રણ મૂર્તિઓમાંથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યો દ્વારા રામલલાની મૂર્તિની પસંદગી કરવામાં આવશે. અભિષેક સમારોહ પહેલા, શહેરના મુખ્ય માર્ગને પણ સૂર્ય-થીમ આધારિત સૂર્ય સ્તંભોથી શણગારવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget