શોધખોળ કરો
અમદાવાદ શહેરના કયા કયા વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, જાણો વિગત
રાજ્યમાં આજે રાત્રીના 8 વાગ્યેને 13 મીનિટે 5.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

અમદાવાદ : રાજ્યમાં આજે રાત્રીના 8 વાગ્યેને 13 મીનિટે 5.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છના ભચાઉથી 13 કિમી દૂર ભૂકંપનું એપી સેંટર નોંધાયું છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતા. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. શહેરના બોપલ, ઘુમા, રાણીપ, ઘાટલોડિયા, સેટેલાઈટ, ઈસનપુર, શાહ આલમ, શાહપુર, મણિનગર વિસ્તારમાં આંચકો અનુભવાયો હતો. રાજકોટમાં ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉપલેટામાં ભૂકંપના કારણે મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા.
વધુ વાંચો



















