શોધખોળ કરો

Ratan Tata Death: રતન ટાટાના નિધન પર ગુજરાતમાં એક દિવસના શોકની જાહેરાત

Ratan Tata Death: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ બુધવારે રાત્રે મુબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.

Ratan Tata Death:  ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ બુધવારે રાત્રે મુબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મોતના સમાચારથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. રતન ટાટાના નિધન બાદ મહારાષ્ટ્ર અને ઝારખંડ સરકારે એક દિવસના શોકની જાહેરાત કરી હતી. તો આજે ગુજરાત સરકારે પણ રતન ટાટાના નિધનથી ગુજરાતમાં એક દિવસનો શોક જાહેર કર્યો છે. રાજ્ય સરકારે એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. જેથી આજે એક દિવસનો શોક રહેશે અને રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે.

 

ભારતે સાચા અર્થમાં રતન ગુમાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદ્મવિભૂષણથી સન્માનિત અને ટાટા ગ્રૂપના મોભી રતન ટાટાના નિધન અંગે શોક વ્યક્ત કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, ભારતે સાચા અર્થમાં રતન ગુમાવ્યું છે. તેમના અવસાનથી દેશને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી છે, તેવું મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રતન ટાટાએ સમગ્ર વિશ્વમાં ઔધોગિક ક્ષેત્રે દેશને ગૌરવ અપાવ્યું છે. આજે તેઓ જ્યારે આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે દુઃખની લાગણી અનુભવી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.

ટાટા ગ્રુપના માનદ અધ્યક્ષ અને પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાનું દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ 86 વર્ષના હતા. મહારાષ્ટ્ર અને ઝારખંડ સરકારે રતન ટાટાના નિધન પર એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો.

મુખ્યમંત્રી હેમંત સોરેને શોકની જાહેરાત કરી

 

મુખ્યમંત્રી હેમંત સોરેને 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઝારખંડ જેવા પછાત રાજ્યને વૈશ્વિક ઓળખ અપાવનાર ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન અને પદ્મ વિભૂષણ રતન ટાટા જીના નિધન પર એક દિવસીય રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો...

Ratan Tata Death : અમિત શાહ,શાહરુખ, અમિતાભ, અંબાણી અને રોહિત શર્મા સહિતના દિગ્ગજો રહેશે રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજર, જુઓ લીસ્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: નવરાત્રીના છેલ્લા દિવસો બગાડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: નવરાત્રીના છેલ્લા દિવસો બગાડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
જ્યાં એક પણ હિંદુ નથી રહેતો તે દેશમાં PM મોદીએ રામલીલા જોઈ, રામ લક્ષ્મણ સાથે ફોટો ખેંચાવ્યો
જ્યાં એક પણ હિંદુ નથી રહેતો તે દેશમાં PM મોદીએ રામલીલા જોઈ, રામ લક્ષ્મણ સાથે ફોટો ખેંચાવ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ratan Naval Tata Passes Away Updates| PM મોદી સહિતના દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિAhmedabad Congo Fever |  કોંગો ફિવરથી સંક્રમિત 51 વર્ષીય મહિલાનું મોત, જુઓ અપડેટ્સGujarat Rain Forecast | આગામી ત્રણ દિવસ અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી | Abp AsmitaMilton Typhoon In USA | 10 જ દિવસમાં બીજા વાવાઝોડાએ મચાવી દીધી તબાહી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: નવરાત્રીના છેલ્લા દિવસો બગાડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: નવરાત્રીના છેલ્લા દિવસો બગાડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
જ્યાં એક પણ હિંદુ નથી રહેતો તે દેશમાં PM મોદીએ રામલીલા જોઈ, રામ લક્ષ્મણ સાથે ફોટો ખેંચાવ્યો
જ્યાં એક પણ હિંદુ નથી રહેતો તે દેશમાં PM મોદીએ રામલીલા જોઈ, રામ લક્ષ્મણ સાથે ફોટો ખેંચાવ્યો
Ratan Tata Death: 'રતન ટાટાને મળે ભારત રત્ન', મહારાષ્ટ્ર કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી
Ratan Tata Death: 'રતન ટાટાને મળે ભારત રત્ન', મહારાષ્ટ્ર કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી
હરિયાણા અને જમ્મુ કાશ્મીરના ચૂંટણી પરિણામો રાજ્યસભાની સંખ્યાની ગેમ બદલશે! જાણો 'NDA' કે 'INDIA' કોણ મજબૂત થશે
હરિયાણા અને જમ્મુ કાશ્મીરના ચૂંટણી પરિણામો રાજ્યસભાની સંખ્યાની ગેમ બદલશે! જાણો 'NDA' કે 'INDIA' કોણ મજબૂત થશે
Ratan Tata Death:  રતન ટાટાના નિધન પર ગુજરાતમાં એક દિવસના શોકની જાહેરાત
Ratan Tata Death: રતન ટાટાના નિધન પર ગુજરાતમાં એક દિવસના શોકની જાહેરાત
Ratan Tata Death: રતન ટાટા ચાર વખત લગ્નના આરે પહોંચ્યા હતા, ઇન્ટરવ્યૂમાં જણાવી હતી પત્ની અને પરિવાર ન હોવાની પીડા
Ratan Tata Death: રતન ટાટા ચાર વખત લગ્નના આરે પહોંચ્યા હતા, ઇન્ટરવ્યૂમાં જણાવી હતી પત્ની અને પરિવાર ન હોવાની પીડા
Embed widget