શોધખોળ કરો

High Court: વિદેશમાં જન્મેલા બાળકના માતા પિતા ભારતીય નાગરિકત્વ છોડે તો બાળકનું ભારતીય નાગરિકત્વ રહે કે નહીં ? હાઇકોર્ટ કરશે નક્કી

બાળકના માતા પિતાએ કેનેડાનું નાગરિકત્વ સ્વીકાર્યા બાદ બાળકને ભારતીય પાસપોર્ટ રિન્યુ કરી આપવા પાસપોર્ટ અધિકારીએ ઇનકાર કર્યો હતો.

Ahmedabad News: ભારતીય નાગરિકત્વને લગતો મહત્વનો મુદ્દો હાઇકોર્ટ પહોંચ્યો છે. વિદેશમાં જન્મેલા બાળકના માતા પિતા ભારતીય નાગરિકત્વ છોડે તો તેનાથી વિદેશમાં જન્મેલા બાળકનું ભારતીય નાગરિકત્વ રહે કે નહીં તે હાઇકોર્ટ નક્કી કરશે. કાયદા પ્રમાણે વિદેશમાં બાળકના જન્મ સમયે માતા પિતા ભારતીય નાગરિક હોય તો બાળક ભારતીય નાગરિક ગણાય, પણ જો માટે પિતા ભારતીય નાગરિક ના રહે તો બાળકનું નાગરિકત્વ ભારતીય તરીકે રહે કે નહિ? એ કોર્ટ કરશે નક્કી

શું છે મામલો

ઓસ્ટ્રેલિયામાં જન્મેલા બાળકના માતા પિતા ભારતીય નાગરિક હતા. જન્મના એક મહિનામાં જ ઓસ્ટ્રેલિયામાં બાળકનો ભારતીય પાસપોર્ટ ઇશ્યુ થયો હતો અને પાંચ વર્ષ બાદ પાસપોર્ટ રીન્યુ પણ કરાયો હતો. બાળકના માતા પિતાએ કેનેડાનું નાગરિકત્વ સ્વીકાર્યા બાદ બાળકને ભારતીય પાસપોર્ટ રિન્યુ કરી આપવા પાસપોર્ટ અધિકારીએ ઇનકાર કર્યો હતો. પાસપોર્ટની અરજી નામંજૂર થતા હાઇકોર્ટમાં અરજી થઈ છે. જેને લઈ હાઇકોર્ટે વિદેશ મંત્રાલય પાસે ખુલાસો માંગ્યો છે અને બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.

તાજેતરમાં કેન્દ્ર સરકારે સંસદમાં માહિતી આપી  કે છેલ્લા ત્રણ વર્ષમાં 4,74,246 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે અને અન્ય દેશોની નાગરિકતા મેળવી ત્યાં સ્થાયી થયા છે. જ્યારે ચાલુ વર્ષ 2023માં જૂન મહિના સુધી કુલ 87,026 લોકોએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે લોકસભામાં પૂછાયેલા પ્રશ્નનો લેખિતમાં જવાબ આપ્યો હતો.

લોકસભા સાંસદ કાર્તિ પી ચિદમ્બરમે વિદેશ મંત્રીને પૂછ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. ઉપરાંત, તેઓએ કયા દેશોની નાગરિકતા મેળવી છે. નાગરિકતા છોડનારા લોકોની સંખ્યા 12 વર્ષમાં સૌથી વધુ છે?

કેટલા લોકોએ છોડી નાગરિકતા

આ પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે 2020માં 85,256 ભારતીયોએ, 2021માં 1,63,256 અને 2022માં 2,25,620 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. જ્યારે જૂન 2023 સુધીમાં આ સંખ્યા 87,026 છે. એસ જયશંકરે કહ્યું કે છેલ્લા બે દાયકામાં મોટી સંખ્યામાં ભારતીયો વૈશ્વિક કાર્યસ્થળો શોધી રહ્યા છે. આમાંથી ઘણા લોકોએ અંગત સગવડતાના કારણે અન્ય દેશોની નાગરિકતા લેવાનો વિકલ્પ પસંદ કર્યો છે. તેમણે કહ્યું કે સરકારે આ અંગે સંજ્ઞાન લીધું છે અને મેક ઈન ઈન્ડિયાની આસપાસ આવા ઘણા પ્રયાસો કર્યા છે, જેથી કરીને તેમની પ્રતિભા દેશોમાં જ વિકસિત થઈ શકે. તેમણે કહ્યું કે સરકારે કૌશલ્યો અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપ્યું છે.

નાણામંત્રીએ કહ્યું કે વિદેશમાં રહેતો ભારતીય સમુદાય આ દેશ માટે એક સંપત્તિ છે. સરકારે ભારતીય સમુદાય સાથે જોડાણ કરવાની રીતમાં મોટો ફેરફાર કર્યો છે. એક સફળ, સમૃદ્ધ અને પ્રભાવશાળી ભારતીય સમુદાયનો અર્થ ભારત માટે ઘણું છે. તેમણે કહ્યું કે સરકારનો અભિગમ આ ડાયસ્પોરાના નેટવર્કનો ઉપયોગ ભારતને ફાયદો કરાવવાનો છે.

ભારતીયોએ કુલ કેટલા દેશની નાગરિકતા મેળવી

વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતીયોએ કુલ 130 દેશોની નાગરિકતા મેળવી છે, જેમાં અમેરિકા, યુકે, સ્વિટ્ઝર્લેન્ડ, સ્પેન, સ્વીડન, પોર્ટુગલ, ઈઝરાયેલ, બહામાસ જેવા દેશોનો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
Embed widget