શોધખોળ કરો

અમદાવાદમાં જગન્નાથનના મંદિરનું રિડવેલપમેન્ટ થશે, 50 હજાર ભક્તો એકસાથે દર્શન કરી શકશે

રિડેવલપમેન્ટમાં પાર્કિંગ સહિતની વ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. મંદિર પરિસરનું પણ ડેવલપમેન્ટ કરાશે.

Jagannath Temple Redevelopment: અમદાવાદમાં ભગવાન જગન્નાથના મંદિરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જગન્નાથના મંદિરનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે. નવું જે મંદિર હશે તેમાં 50 હજાર ભક્તો એકસાથે દર્શન કરી શકે તેવુ હશે. મંદિરના ટ્રસ્ટી મહેંદ્ર ઝાનું કહેવું છે કે એક ટીમ સર્વે કરીને ગઈ છે. રિડેવલપમેન્ટમાં પાર્કિંગ સહિતની વ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. મંદિર પરિસરનું પણ ડેવલપમેન્ટ કરાશે. સાથે જ નવી વ્યવસ્થામાં સાધુ-સંતોને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે મળી ભગવાનનો રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું. સાંજે 8.30 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજીના રથ નિજ મંદિરે હેમખેમ પહોંચ્યા હતા.

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. કોમી એખલાસના માહોલમાં યોજાયેલી રથયાત્રામાં આશરે 18 લાખથી વધુ લોકો રથયાત્રામાં જોડાયા હતા. કડક પોલીસ બંદોબસ્ત સાથે યોજાયેલી રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટેબ્લો, શણગારેલા ટ્રક, 18 હાથી, 1000થી વધુ ખલાસીઓ અને સાધુ-સંતો જોડાયા હતા. 

ભગવાન જગન્નાથજીની 146ની રથયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરે પહોંચ્યા હતા. અમિત શાહ જગન્નાથ મંદિરે પહોંચ્યા અને મંગળા આરતી કરી પરિવાર સાથે દર્શન કર્યા હતા. તેમની સાથે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીએ પણ મંગળા આરતી કરી હતી. મંગળા આરતી પછી અમિત શાહને પાઘડી, હાર, ખેસ અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. 4.30 વાગ્યે ભગવાનને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો. 6.00 વાગ્યે ભગવાનને નવા રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. 

મોસાળ સરસપુરમાં ભજન, ભોજન અને ભક્તિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. મોસાળમાં લાખો ભક્તોએ જુદા જુદા ઉભા કરેલા રસોડામાં લાખો લોકોએ ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભક્તોને ચોખ્ખા ઘીનો મોહનથાળ, બુંદી, પુરી-શાક, કઢી-ખીચડી, ફુલવડી દાળ-ભાત સહિતનું ભોજન પીરસાયું હતું.

આ પણ વાંચોઃ

Ahmedabad Rath Yatra 2023 Live: અમદાવાદમાં 146મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, ભગવાનના રથ નીજ મંદિર ફર્યા પરત

Ahmedabad: અમદાવાદ રથયાત્રામાં થયેલ દુર્ઘટના મામલે CMએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતક અને ઇજાગ્રસ્ત માટે સહાયની કરી જાહેરાત

Join Us on Telegram: https://t.me/abpasmitaofficial

          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget