શોધખોળ કરો

અમદાવાદમાં જગન્નાથનના મંદિરનું રિડવેલપમેન્ટ થશે, 50 હજાર ભક્તો એકસાથે દર્શન કરી શકશે

રિડેવલપમેન્ટમાં પાર્કિંગ સહિતની વ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. મંદિર પરિસરનું પણ ડેવલપમેન્ટ કરાશે.

Jagannath Temple Redevelopment: અમદાવાદમાં ભગવાન જગન્નાથના મંદિરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જગન્નાથના મંદિરનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે. નવું જે મંદિર હશે તેમાં 50 હજાર ભક્તો એકસાથે દર્શન કરી શકે તેવુ હશે. મંદિરના ટ્રસ્ટી મહેંદ્ર ઝાનું કહેવું છે કે એક ટીમ સર્વે કરીને ગઈ છે. રિડેવલપમેન્ટમાં પાર્કિંગ સહિતની વ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. મંદિર પરિસરનું પણ ડેવલપમેન્ટ કરાશે. સાથે જ નવી વ્યવસ્થામાં સાધુ-સંતોને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે મળી ભગવાનનો રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું. સાંજે 8.30 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજીના રથ નિજ મંદિરે હેમખેમ પહોંચ્યા હતા.

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. કોમી એખલાસના માહોલમાં યોજાયેલી રથયાત્રામાં આશરે 18 લાખથી વધુ લોકો રથયાત્રામાં જોડાયા હતા. કડક પોલીસ બંદોબસ્ત સાથે યોજાયેલી રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટેબ્લો, શણગારેલા ટ્રક, 18 હાથી, 1000થી વધુ ખલાસીઓ અને સાધુ-સંતો જોડાયા હતા. 

ભગવાન જગન્નાથજીની 146ની રથયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરે પહોંચ્યા હતા. અમિત શાહ જગન્નાથ મંદિરે પહોંચ્યા અને મંગળા આરતી કરી પરિવાર સાથે દર્શન કર્યા હતા. તેમની સાથે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીએ પણ મંગળા આરતી કરી હતી. મંગળા આરતી પછી અમિત શાહને પાઘડી, હાર, ખેસ અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. 4.30 વાગ્યે ભગવાનને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો. 6.00 વાગ્યે ભગવાનને નવા રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. 

મોસાળ સરસપુરમાં ભજન, ભોજન અને ભક્તિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. મોસાળમાં લાખો ભક્તોએ જુદા જુદા ઉભા કરેલા રસોડામાં લાખો લોકોએ ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભક્તોને ચોખ્ખા ઘીનો મોહનથાળ, બુંદી, પુરી-શાક, કઢી-ખીચડી, ફુલવડી દાળ-ભાત સહિતનું ભોજન પીરસાયું હતું.

આ પણ વાંચોઃ

Ahmedabad Rath Yatra 2023 Live: અમદાવાદમાં 146મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, ભગવાનના રથ નીજ મંદિર ફર્યા પરત

Ahmedabad: અમદાવાદ રથયાત્રામાં થયેલ દુર્ઘટના મામલે CMએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતક અને ઇજાગ્રસ્ત માટે સહાયની કરી જાહેરાત

Join Us on Telegram: https://t.me/abpasmitaofficial

          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં શુદ્ધ ઘીના નામે ઝેર વેચવાનું કૌભાંડ, ત્રણ સ્થળેથી ₹31 લાખનું 4,850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત
અમદાવાદમાં શુદ્ધ ઘીના નામે ઝેર વેચવાનું કૌભાંડ, ત્રણ સ્થળેથી ₹31 લાખનું 4,850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
અમદાવાદના 25 અંડરબ્રિજમાં ડૂબ્યા તો તમારી જ જવાબદારી: AMC કમિશનર ચેતવણી આપી છટક્યા
અમદાવાદના 25 અંડરબ્રિજમાં ડૂબ્યા તો તમારી જ જવાબદારી: AMC કમિશનર ચેતવણી આપી છટક્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ
ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ
1 લાખના રોકાણ સામે કરોડોની કમાણી! છેલ્લા 10 વર્ષમાં સુપરહિટ સાબિત થયા આ 5 મલ્ટિબેગર શેર
1 લાખના રોકાણ સામે કરોડોની કમાણી! છેલ્લા 10 વર્ષમાં સુપરહિટ સાબિત થયા આ 5 મલ્ટિબેગર શેર
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
જૂનમાં મંગળ બે વાર બદલશે ચાલ: મોંઘવારીમાં આ 4 રાશિવાળા થશે માલામાલ, બેંક બેલેન્સ વધશે
જૂનમાં મંગળ બે વાર બદલશે ચાલ: મોંઘવારીમાં આ 4 રાશિવાળા થશે માલામાલ, બેંક બેલેન્સ વધશે
શું PM મોદીએ મહિલાઓને સોનું વેચવાની અપીલ કરી? જાણો આ વાયરલ મેસેજનું 100% સાચું સત્ય
શું PM મોદીએ મહિલાઓને સોનું વેચવાની અપીલ કરી? જાણો આ વાયરલ મેસેજનું 100% સાચું સત્ય
Embed widget