શોધખોળ કરો

Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો કરશે પતંગબાજી

Kite Festival:અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 47 દેશોના પતંગબાજો ભાગ લઇ રહ્યાં છે.

Kite Festival:અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે કાઇટ ફેસ્ટીવલ ખુલ્લો મૂક્યો. જેમાં અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી જોવા મળી. અમદાવાદમાં દર વર્ષે રિવરફ્રન્ટ પર અદભૂત કાઇટ ફેસ્ટીવલ યોજાય છે. આ વર્ષે પણ 11થી 14 જાન્યુઆરી કાઇટ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ કાઇટ ફેસ્ટીવલમાં 47 દેશના પતંગબાજો ભાગ લઇ રહ્યાં છે. જ્યારે 11 રાજ્યોમાંથી 52 પતંગબાજો તો ગુજરાતમાંથી 417 પતંગબાજો પતંગબાજીની મોજ માણશે. રિવરફ્રન્ટ પર પતંગબાજીને લઇને પતંગ રસિકોમાં સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગ ઉત્સવની પ્રારંભે અહીં જુદા જુદા રાજ્યોની સાંસ્કૃતિક નૃત્યની ઝાંખી પણ જોવા મળી હતી.

ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં  મકરસંક્રાંતિના પર્વ પર પતંગ ઉત્સવની બહુ જુની પરંપરા છે.તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રિવરફ્રન્ટ પર કાઇટ ફેસ્ટિવલની શરૂઆત કરવી હતી. કાઇટ ફેસ્ટિવલની સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે. પતંગ વર્કશોપ, હેંડીક્રાફ્ટ સ્ટોલ, રિફ્રેશમેન્ટ સ્ટોલ પણ રખાયા છે.

મકસંક્રાતિ અને પતંગનું શું છે સંબંઘ

મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. મકરસંક્રાંતિના દિવસે જ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિથી જ ઋતુઓ બદલાવાની શરૂઆત થાય છે. ભારતના વિવિધ પ્રદેશોમાં, આ તહેવાર સ્થાનિક માન્યતાઓ અનુસાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ઉત્તરાયણનો સૂર્ય મકરસંક્રાંતિના દિવસે જ ઉગે છે. આ દિવસે દાન અને દક્ષિણાનું વિશેષ મહત્વ છે. આ દિવસે દેશભરમાં પતંગ ઉડાવવાની પણ પરંપરા છે. કેટલાક સ્થળોએ, આ દિવસે મોટી પતંગ ઉડાવવાની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. આવો જાણીએ આ દિવસે પતંગ કેમ ઉગાડવામાં આવે છે.

મકરસંક્રાંતિના દિવસે પતંગ કેમ ઉગાડવામાં આવે છે?

મકરસંક્રાંતિના દિવસે દેશભરમાં પતંગો ઉડાડવામાં આવે છે, તેથી આ દિવસને પતંગ ઉત્સવ પણ કહેવામાં આવે છે. સંક્રાંતિ પર પતંગ ઉડાવવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છે તમિલના તન્નાના રામાયણ અનુસાર, પતંગ ઉડાવવાની પરંપરા ભગવાન શ્રી રામ દ્વારા શરૂ કરવામાં આવી હતી. મકરસંક્રાંતિના દિવસે ભગવાન શ્રી રામે જે પતંગ ઉડાવી હતી તે ઈન્દ્રલોકમાં પહોંચી ગઈ હતી. આ જ કારણ છે કે આ દિવસે પતંગ ઉડાડવામાં આવે છે.

પતંગ ઉડાડવાનો સંદેશ

પતંગને સુખ, સ્વતંત્રતા અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાડીને એકબીજાને ખુશીનો સંદેશ આપવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ તેનું વિશેષ મહત્વ છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્યના કિરણોને શરીર માટે અમૃત સમાન માનવામાં આવે છે. આનાથી વિવિધ પ્રકારના રોગો દૂર થાય છે.

એવું માનવામાં આવે છે કે મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાડવાથી તમે સૂર્યના વધુ કિરણોને શોષી લો છો, શરીરમાં ઊર્જા મેળવો છો અને વિટામિન ડીની ઉણપને દૂર કરો છો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’
રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’
Embed widget