શોધખોળ કરો
Advertisement
સ્વામિનારાયણ સંપ્રદાયના આ સ્વામીને બચાવવા મુંબઈથી બોલાવાયા ડોક્ટર, બે વાર અપાઈ પ્લાઝમા થેરાપી...
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી(પી.પી.સ્વામી)ની તબિયત વધુ બગડી છે. પહેલા ફેફસામાં ઈન્ફેક્શન બાદમાં કિડનીમાં ઈન્ફેક્શન થતાં તબિયત વધુ બગડી
અમદાવાદઃ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી(પી.પી.સ્વામી)ની તબિયત વધુ બગડી છે. પહેલા ફેફસામાં ઈન્ફેક્શન બાદમાં કિડનીમાં ઈન્ફેક્શન થતાં તબિયત વધુ બગડી છે. સ્વામીજી છેલ્લા 10 દિવસથી સિમ્સ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
છેલ્લા ત્રણ દિવસથી પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજ વેન્ટિલેટર પર છે. આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસને સતત બે દિવસ પ્લાઝમા થેરાપી પણ આપવામાં આવી છે. આમ છતાં સ્વાસ્થ્ય હજુ પણ નાજુક છે. ત્યારે આચાર્ય સ્વામીના ઈલાજ માટે ખાસ મુંબઇથી નિષ્ણાંત ડોક્ટર બોલાવાયા છે.
મુંબઈની એક ખાનગી હોસ્પિટલના જાણીતા તબીબને પણ આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીના ઈલાજ માટે ખાસ બોલવવામાં આવ્યા છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સૂત્રોના દ્વારા જાણવા મળ્યું છે કે, આચાર્ય સ્વામીજી મહારાજનું સ્વાસ્થ્ય સુધરે તે માટે વિશ્વના શ્રી સ્વામિનારાયણ ગાદી હસ્તકના તમામ મંદિરોમાં ધૂન-પ્રાર્થના કરવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion