શોધખોળ કરો

Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર

અમદાવાદમાં વધુ એકવાર મેગા ડિમોલીશનની કામગીરી ચાલી રહી છે. શહેરમાં ચંડોળા તળાવ બાદ સૌથી મોટુ ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે

અમદાવાદમાં વધુ એકવાર મેગા ડિમોલીશનની કામગીરી ચાલી રહી છે. શહેરમાં ચંડોળા તળાવ બાદ સૌથી મોટુ ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. ઈસનપુરના રામવાડી તળાવ નજીક AMCનું મેગા ડિમોલીશન કરાયું હતું. 900થી વધુ કાચા-પાકા ગેરકાયદે બાંધકામો દૂર કરાશે. કડક પોલીસ બંદોબસ્ત સાથે મનપાએ ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરી હતી. 20થી વધુ હિટાચી, JCB અને ડમ્પરની કાર્યવાહી શરૂ કરાઈ હતી. AMCના ચાર ઝોનની એસ્ટેટ ટીમે સાત ટીમ બનાવી છે. 950 મકાનો અને 27 કોમર્શિયલ બાંધકામ અને ધાર્મિક બાંધકામો દૂર કરાશે. પોલીસ અને AMCના અંદાજિત 1200 કર્મી ડિમોલીશનમાં જોડાયા હતા. વોટર બોડીમાં ઉભા થયેલા બાંધકામો દૂર કરાશે. 

ઇસનપુર તળાવની આસપાસ અને અંદર 900થી વધુ ગેરકાયદેસર રીતે કાચા-પાકા મકાનો બનાવવામાં આવ્યાં હતા. જેના પર અમદાવાદ મહાનગર પાલિકાની ટીમે મેગા ડિમોલીશનનું કામ શરૂ કર્યુ છે.  ચંડોળા તળાવમાં જેમ લોકો મકાન બાંધીને રહેતા હતા તેવી રીતે ઈસનપુરના આ તળાવમાં પણ 1000થી વધુ લોકો રહેતા હોવાની વાત સામે આવી છે, જેને લઈ આજે વહેલી સવારથી કોર્પોરેશન દબાણ દૂર કરવા માટે પહોંચી હતી. ઈસનપુર તળાવમાં છેલ્લા અનેક વર્ષોથી થયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી 24 નવેમ્બર સવારથી શરૂ કરવામાં આવી છે. ડિમોલિશનની કાર્યવાહી પહેલા લોકો પોતાનો સામાન ખાલી કરી શક્યા નહતા. એવામાં બુલડોઝર કાર્યવાહીથી ત્યાં રહેતા લોકોને જેટલો સામાન મળ્યો તેટલો બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સરકાર અને એએમસી દ્વારા હાલમાં તળાવોના બ્યૂટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે તળાવો પર દાયકાઓથી બાંધવામાં આવેલા દબાણોને પણ દૂર કરવામાં આવી રહ્યા છે. 

નોંધનીય છે કે, આ પહેલાં અમદાવાદના ચંડોળા તળાવ પાસે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 29 એપ્રિલથી શરૂ થયેલી આ કામગીરી પહેલાં આ વિસ્તારમાંથી 800થી વધુ જેટલા શંકાસ્પદની અટકાયત કરવામાં આવી હતી.બે તબક્કામાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં અંદાજે 40થી 50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરના ઉપયોગથી દબાણ સાફ કરવામાં આવ્યા હતા. જેમાં ઘરો સિવાય અનેક ગેરકાયદે ધાર્મિક માળખાને પણ તોડી પાડવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કામાં 4,000 કાચા-પાકા બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા અને 1.50 લાખ સ્કેવર મીટર જમીન ખાલી કરાવાઈ હતી. તો 20 મે 2025એ બીજા તબક્કામાં 8,500 કાચા-પાકા બાંધકામ દૂર કરી કુલ 2.50 લાખ સ્કવેર મીટર જમીન ખાલી કરાવાઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
Advertisement

વિડિઓઝ

Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
1 તોલા સોનાનો ભાવ ₹3 લાખ? આ રિપોર્ટ વાંચીને મધ્યમ વર્ગનું ટેન્શન વધી જશે
1 તોલા સોનાનો ભાવ ₹3 લાખ? આ રિપોર્ટ વાંચીને મધ્યમ વર્ગનું ટેન્શન વધી જશે
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા -
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા - "અમે મનસે સાથે ક્યારેય નહીં..."
Embed widget