શોધખોળ કરો

ધંધુકા હત્યા કેસમાં સામે આવ્યું પાકિસ્તાન કનેક્શનઃ મૌલાનાની પૂછપરછમાં શું થયો ધડાકો?

ધંધુકા કિશન હત્યા કેસમાં હવે પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. જમાલપુરના મૌલવી ઐયુબ જાવરાવાલાની પૂછપરછમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો થયો છે.

અમદાવાદઃ ધંધુકા કિશન હત્યા કેસમાં હવે પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. જમાલપુરના મૌલવી ઐયુબ જાવરાવાલાની પૂછપરછમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો થયો છે.  તહેરીક -એ- નમુસ-એ રિસાલત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. આ સંગઠન પહેલાં તહેરિક એ ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હતું. તેનો પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીકે લબ્બેક સાથે સંબંધ છે. મૌલાના પાકિસ્તાની કટ્ટરવાદી સંગઠનો સાથે જોડાયેલો હોવાનો ખુલાસો થયો છે. કટ્ટરવાદીઓ મુંબઈ, દિલ્લી અને યુપીમાં સંગઠનો ચલાવતા હોવાની માહિતી સામે આવી રહી છે. મસ્જિદની પાછળના ભાગમાંથી પોલીસને બંદૂક અને બાઈક મળી આવી છે. 

આ હત્યા કેસમાં રાજકોટ કનેશનલ સામે આવ્યું છે.  રાજકોટના એક વ્યક્તિએ હથિયાર પુરા પાડયા હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે રાજકોટમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. થોરડા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ હથિયાર આપ્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાયું. મૌલવી હથિયાર આપનાર વસીમ બચાને પણ ઝડપી લેવામાં આવ્યો છે અને તેને અમદાવાદ લાવવા પોલીસની ટીમ રવાના થઈ છે. 

અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસે 3 આરોપીને દબોચી લીધા છે. જેમાં અમદાવાદના એક મૌલવી અને ઈમ્તિયાઝ અને શબ્બીર નામનો આરોપીનો સમાવેશ થાય છે. બાઈક પર આવેલા વ્યક્તિ શબ્બિર અને ઈમ્તિયાઝ હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીઓને અમદાવાદના મૌલવીએ હથિયાર આપ્યા હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીઓ ધંધૂકાના હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. બંને આરોપીઓ દિલ્હીના મૌલાના સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા.

હત્યાનું ષડયંત્ર દિલ્હીના અને અમદાવાદના મૌલવીએ રચ્યૂ હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. કિશન ભરવાડ હત્યા કેસમાં બે મૌલવીની ભૂમિકા સામે આવી છે. બાઈક પર આવેલા વ્યક્તિ શબ્બિર અને ઈમ્તિયાઝ હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીઓને અમદાવાદના મૌલવીએ હથિયાર આપ્યા હોવાનો ખુલાસો થયો છે. 

કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એક આરોપીનું નામ સામે આવ્યું છે. અન્ય બે વ્યક્તિને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે.   અમદાવાદના મૌલવીએ આરોપીને હથિયાર આપ્યા હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીઓ ધંધૂકાના હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. બંને આરોપીઓ દિલ્હીના મૌલાના સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. બાઈક ચલાવનાર આરોપીનું નામ ઈમ્તિયાઝ ઉર્ફ ઈમ્તુ મહેબૂબ પઠાણ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ એક વર્ષ પહેલા દિલ્હી ખાતેના એક મૌલાનાના સંપર્કમાં આવ્યા હતા. દિલ્હીના મૌલાના ખાસ સંગઠન ચલાવતા હોવાનો ખુલાસો થયો છે. 

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ બંને યુવકોએ કિશનની રેકી કરીને હત્યા કરી હતી. બાઇક ઈમ્તિયાઝ નામનો યુવક ચલાવી રહ્યો હતો તો તેની પાછળ બેસેલા શબ્બીરે કિશન પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી શબ્બીર કટ્ટર વિચાર ધરાવનારો છે. તે અમદાવાદ અને દિલ્લીના મૌલવીના સંપર્કમાં આવ્યો હતો. બંને મૌલવીઓએ તેને ધર્મની બાબતમાં ઉશ્કેર્યો હતો. એવામાં કિશને 6 જાન્યુઆરીના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી.  જેને લઈ તેની સામે ફરિયાદ દાખલ થઈ હતી.  જો કે, તેને જામીન મળી જતાં શબ્બીર ગુસ્સે ભરાયો હતો. શબ્બીર અમદાવાદના જમાલપુરમાં રહેતા મૌલવી મહંમદ ઐયૂબ યુસુફભાઈ જાવરાવાલાને મળ્યો. આ મૌલવીએ જ કિશનની હત્યા માટે શબ્બીરને એક પિસ્તોલ અને 5 કાર્ટિસની વ્યવસ્થા કરી આપી હતી. બાદમાં શબ્બીરે ઈમ્યિતાઝ સાથે મળી 25 જાન્યુઆરીની સાંજે 5 વાગ્યે કિશનની ધંધુકા શહેરના મોઢવાડાના નાકે ફાયરિંગ કરી હત્યા કરી નાંખી હતી. આ કેસમાં ત્રણેય આરોપીના 5 ફેબ્રુઆરી સુધીના રિમાંડ મંજૂર કરાયા છે.

આ અગાઉ ગઇકાલે  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મૃતક કિશનના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારને સાંત્વના આપી હતી. તેમણે કહ્યું હતું કે, તેમને ન્યાય અપાવીને જ રહી છશે. કિશનને ન્યાય અપાવવા રાજ્ય સરકાર સક્રીય છે. હત્યારાઓ પાછળ જેટલી શક્તિ લાગેલી છે, તેમને છોડવામાં નહીં આવે. ગુજરાતમાં આ પ્રકારની ઘટના બીજીવાર ન બને તે પ્રકારનો દાખલો બેસાડવામાં આવશે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઋણાનુબંધ
Hun To Bolish : હું તો બોલીશ : માટીના મોલે, ખેડૂતોની જમીન!
Hun To Bolish : હું તો બોલીશ : આ પનીર નહીં પચે!
Amreli News: અમરેલીના મોટા લીલીયામાં આવેલું નિલકંઠ તળાવ બન્યું પ્રદૂષિત
Patan news: પાટણમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે ઈરાની ગેંગની કરી ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
શું કાકા-ભત્રીજા ફરી સાથે આવશે? અજિત પવાર સાથેના ગઠબંધન પર શરદ પવારનો મોટો ખુલાસો - 'હું ક્યારેય ભાજપ.....'
શું કાકા-ભત્રીજા ફરી સાથે આવશે? અજિત પવાર સાથેના ગઠબંધન પર શરદ પવારનો મોટો ખુલાસો - 'હું ક્યારેય ભાજપ.....'
50000 રૂપિયા હોય તો જ આ ખાનગી બેંકમાં ખાતું ખુલશે, મિનિમમ બેલેન્સની મર્યાદા 5 ગણી વધી
50000 રૂપિયા હોય તો જ આ ખાનગી બેંકમાં ખાતું ખુલશે, મિનિમમ બેલેન્સની મર્યાદા 5 ગણી વધી
Building Collapsed:દિલ્લીમાં ભારે વરસાદની વચ્ચે દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોનાં મોત
Building Collapsed:દિલ્લીમાં ભારે વરસાદની વચ્ચે દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોનાં મોત
Gujarat Rain Forecast: રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
Embed widget