શોધખોળ કરો

પાટીદારોને OBC અનામત મુદ્દે નીતિન પટેલના નિવેદન પર કોણે કહ્યું, 'સરકાર બહાના બતાવાના બદલે સર્વેનું કામ શરૂ કરે'

બાંભણીયાએ જણાવ્યું હતું કે, 1999થી 2018 સુધી OBC કમિસનમાં વારંવાર રજુઆત કરી છે.  ગુજરાતના 27 પાટીદાર સમાજ દ્વારા અલગ અલગ અરજીઓ કરવામાં આવી છે.

અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રીના નિવેદન સામે PAASના કન્વીનર દિનેશ બાંભણીયાનું નિવેદન સામે આવ્યું છે. બાંભણીયાએ જણાવ્યું હતું કે, 1999થી 2018 સુધી OBC કમિસનમાં વારંવાર રજુઆત કરી છે.  ગુજરાતના 27 પાટીદાર સમાજ દ્વારા અલગ અલગ અરજીઓ કરવામાં આવી છે. સરકાર બહાના બતાવાના બદલે સર્વેનું કામ શરૂ કરે. નાયબ મુખ્યમંત્રીના આવા નિવેદનથી દુઃખ થાય છે. OBC કમિશન દ્વારા પણ લેખિતમાં જણાવાયું છે કે માગણી થઈ છે. સરકાર કહે તો ફરીથી માગણી અને અરજી કરવા તૈયાર છીએ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદમાં સરદારધામ ભવનનું લોકાર્પણ કર્યું હતું. સરદારભવનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ગામડાના વિદ્યાર્થીઓને છાત્રાલયની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રીએ પાટીદારોને ઓબીસીમાં સમાવવા મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું હતું.

પાટીદાર સમુદાયને OBCમાં સમાવવા મુદ્દે પૂછાયેલા સવાલના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે જે જ્ઞાતિ OBCમાં સમાવવામાં માંગતી હોય, તો તેમને ભલામણ કરવી પડશે. હાલ આવા પ્રકારની કોઈ જ્ઞાતિની માંગણી રાજ્ય સરકાર પાસે આવી નથી.

વધુમાં તેમણે કહ્યું કે ભારત સરકારે સંસદમાં કાયદો પસાર કર્યો છે. જેમાં રાજ્યો OBCમાં જ્ઞાતિનો સમાવેશ કરી શકશે. કોઈપણ જ્ઞાતિ જો OBCમાં સમાવવા માંગતી હશે તો તેનો સર્વે કરવામાં આવશે. જે તે જ્ઞાતિનું સંગઠન માંગણી કરશે તો નિયમ મુજબ તેનો સર્વે કરવામાં આવશે. રાજ્ય સરકાર પાસે હાલમાં કોઈપણ જ્ઞાતિની OBCમાં જોડાવવાની માંગ આવી નથી.

નોંધનીય છે કે, ગત અઠવાડિયાએ ગુજરાતની મુલાકાતે આવેલા  કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પાટીદારને OBCમાં સામેલ કરવા મુદ્દે નિવેદન આપતાં ફરી એકવાર અનામતનો મુદ્દો ચગ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પાટીદારો, મરાઠા અને જાટ સમુદાયના લોકોનો ઓબીસીમાં સમાવેશ ન કરવો જોઇએ. પાટીદારોને ઓબીસીમાં સમાવવાના બદલે સરકાર અલગ વ્યવસ્થા કરે. આ નિવેદન મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કેન્દ્ર સરકાના બિલ પ્રમાણે રાજ્ય સરકારને અધિકાર મળ્યો છે કે કઈ જ્ઞાતિને obcમાં સમાવવા. કેન્દ્રના કોઈ નેતા કે કોઈ પક્ષના નેતા કોઈ નિવેદન કરે તે જરૂરી નથી. ઓબીસીમાં કઈ જ્ઞાતિને કઈ શરતોના આધારે સામેલ કરવી તે રાજ્ય સરકાર નો અધિકાર છે.

તેમણે ઉમેર્યું કે, કોઈ નેતા આ અંગે નિવેદન કરે તે માન્ય નથી. તેમણે પાટીદારોના નામનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું હતું કે, જે જ્ઞાતિને લાભ લેવો હોય તે માંગણી કરે. સર્વે થાય અને માન્ય મળે તો ઓબીસીમાં સામેલ કરી શકાય. ભારત સરકારના કાયદાના આધારે બધા નિયમો નક્કી કરવામાં આવશે. જેને લાભ લેવો હોય એમણે માગણી કરવાની હોય. માગણીના આધારે સર્વે કરી યોગ્ય લાગે તો લાભ અપાય છે. 

કેન્દ્રિય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલે હાલ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમણે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. રામદાસ અઠાવલે કહ્યું કે 2024માં ભાજપ 350 થી 400 બેઠકો જીતશે અને મોદી સરકારના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે.
 
રામદાસ અઠાવલે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને અન્ય ચાર રાજ્યોમાં યોજાનાર ચૂંટણીઓમાં ભાજપને જ સમર્થન કરશે તેવું કહ્યું હતું. આ સાથે તેમણે મોદી સરકારના 7 વર્ષના શાસનના વખાણ કર્યા હતા અને મોદી સરકારની વેક્સિનેશનની કામગીરીને પણ વખાણી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Embed widget