શોધખોળ કરો

'સૌથી સુંદર જગ્યાઓમાંની એક...', CM ઓમર અબ્દુલ્લાએ શેર કરી સાબરમતી રિવરફ્રન્ટની તસવીર, PM મોદીએ કર્યું રિએક્ટ

તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં આયોજિત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરમાં ભાગ લીધો હતો

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા આ દિવસોમાં ગુજરાતના પ્રવાસે છે. તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં આયોજિત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર (TTF) માં ભાગ લીધો હતો. આ પ્રવાસનો હેતુ રાજ્યમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે સાબરમતી રિવરફ્રન્ટ પર સવારે દોડતા હોય તેવી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

ઓમર અબ્દુલ્લાએ ‘એક્સ’ પર લખ્યું હતું કે "અમદાવાદમાં એક પર્યટન કાર્યક્રમમાં ભાગ લેતી વખતે મેં અહીં હોવાનો ફાયદો ઉઠાવતા મારી સવારની દોડ સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર્ણ કરી હતી. તે દોડવા કરવા માટે સૌથી અદ્ભુત સ્થળોમાંનું એક છે અને આટલી મોટી સંખ્યામાં વોકર્સ અને દોડવીરો સાથે તેને શેર કરવાનો આનંદ થયો. હું અહીં અદભૂત અટલ ફૂટ બ્રિજ પાસે પણ દોડ્યો."

ઓમર અબ્દુલ્લાના આ ટ્વિટનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, "કાશ્મીરથી કેવડિયા સુધી! ઓમર અબ્દુલ્લાજીએ સાબરમતી રિવરફ્રન્ટ પર દોડનો આનંદ માણ્યો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી તે જોઈને સારું લાગ્યું. તેમની મુલાકાત એકતાનો મહત્વપૂર્ણ સંદેશ આપે છે અને આપણા દેશવાસીઓને ભારતના વિવિધ ભાગોમાં મુસાફરી કરવા માટે પ્રેરણા આપશે."

ઓમર અબ્દુલ્લા પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત પહોંચ્યા

નોંધનીય છે કે ઓમર અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીર પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ગુજરાત આવ્યા છે. તેમણે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર (TTF) માં ભાગ લીધો હતો અને ગાંધીનગરમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને ગુજરાત ઘરેલુ પર્યટનની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ રાજ્યો છે અને "અમે ફક્ત આ સંદેશ લાવ્યા છીએ કે જમ્મુ અને કાશ્મીર પર્યટન માટે સંપૂર્ણપણે ખુલ્લું છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા, જેઓ પોતે તાજેતરમાં કાશ્મીરની મુલાકાતે આવ્યા છે."

પહલગામ આતંકવાદી હુમલા પછી પર્યટન પર અસર અને સુધારો

ઓમર અબ્દુલ્લાએ સ્વીકાર્યું કે 22 એપ્રિલે થયેલા પહલગામ આતંકવાદી હુમલાથી પર્યટન પર અસર પડી હતી, પરંતુ હવે પરિસ્થિતિમાં સુધારો થયો છે. તેમણે કહ્યું હતું કે, "આપણે એમ કહી શકતા નથી કે હુમલાનો કોઈ પ્રભાવ પડ્યો નથી. આપણે બધા જાણીએ છીએ કે હુમલા પછી શ્રીનગર એરપોર્ટ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો થયો હતો. જ્યાં પહેલા દરરોજ 50થી વધુ ફ્લાઇટ્સ આવતી હતી તે ઘટીને 15 થઈ ગઈ છે. પરંતુ હવે આ સંખ્યા ધીમે ધીમે 30ની નજીક પહોંચી રહી છે."

તેમણે કહ્યું હતું કે અમરનાથ યાત્રા સરળતાથી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં લગભગ સાડા ત્રણ લાખ શ્રદ્ધાળુઓ યાત્રા કરી ચૂક્યા છે. માતા વૈષ્ણોદેવી મંદિરના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ જમ્મુ અને કાશ્મીર પહોંચી રહ્યા છે.

સુરક્ષા એજન્સીઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો

ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે પહલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓને સુરક્ષા દળોએ પર્વતો અને જંગલોમાં શોધી કાઢ્યા બાદ ઠાર માર્યા હતા. આપણી સુરક્ષા એજન્સીઓ ખૂબ જ સક્ષમ છે અને સતત સક્રિય છે." કેટલાક પ્રવાસન સ્થળોને બંધ રાખવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે સુરક્ષાની સમીક્ષા કર્યા પછી તેમને તબક્કાવાર ખોલવામાં આવી રહ્યા છે.

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર અને ગુજરાતનો ઐતિહાસિક સંબંધ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, "અમે ઇચ્છીએ છીએ કે પ્રવાસીઓ ફક્ત એક વાર નહીં પરંતુ વારંવાર જમ્મુ અને કાશ્મીર આવે. અમે સ્થાનિક પ્રવાસન સંગઠનો સાથે મળીને કામ કરીને અનુભવને વધુ સારો બનાવવા માંગીએ છીએ. દેશના અન્ય સ્થળોએ જ્યાં રજવાડા હતા, તેમને કેન્દ્રશાસિત પ્રદેશ (UT) બનાવવામાં આવ્યા હતા. પરંતુ જમ્મુ અને કાશ્મીરને રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું, આ અમારા માટે એક પીડાદાયક રાજકીય પરિવર્તન છે. અમે ઇચ્છીએ છીએ કે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત થાય."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
Embed widget