શોધખોળ કરો

Raksha Bandhan: રક્ષાબંધન પ્રસંગે અમદાવાદમાં સત્તર તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા યોજાયો નૂતન યજ્ઞોપવિત ધારણ કાર્યક્રમ

Raksha Bandhan 2024: આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હિન્દુ સમુદાય ઉજવી રહ્યો છે, આ પ્રસંગે બ્રહ્મ પરિવારોએ વિધિ વિધાનથી યજ્ઞોપવિત ધારણ કરી છે

Raksha Bandhan 2024: આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હિન્દુ સમુદાય ઉજવી રહ્યો છે, આ પ્રસંગે બ્રહ્મ પરિવારોએ વિધિ વિધાનથી યજ્ઞોપવિત ધારણ કરી છે. બ્રહ્મા સમાજ માટે આજના તહેવારને યજ્ઞોપવિત બદલવાનું પર્વ પણ કહેવામાં આવે છે. આજે રક્ષાબંધનના પવિત્ર પર્વ પ્રસંગે સત્તર તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, શ્રી સર્વમંગલ હૉલમાં બ્રહ્મ પરિવારોએ વિધિ વિધાનથી યજ્ઞોપવિત ધારણ કરી હતી, આજનો આ જનોઈ બદલવાનો ભવ્ય કાર્યક્રમ અમદાવાદમાં બ્રહ્મ સમાજના એર કન્ડિશન હૉલમાં યોજવામાં આવ્યો હતો. જેની તસવીરો પણ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિનાં સનાતન ધર્મના રક્ષક બ્રાહ્મણ સમાજ માટે રક્ષાબંધનએ વિશેષ મહત્વ ધરાવે છે.

આજે બ્રહ્મ પરિવારો નવી જનોઇ ધારણ કરે છે -
આજે રક્ષાબંધનનો તહેવાર છે, બ્રાહ્મણો આજના દિવસે શુભમુહૂર્તમાં નદી, સરોવર, જળાશય કે તીર્થક્ષેત્રનાં સાંનિધ્યમાં વેદોકત મંત્રોચ્ચાર સહિત નૂતન યજ્ઞોપવિત ધારણ કરતાં હોય છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ મુખ્ય અધિષ્ઠાતા પરમાત્માના સ્મરણ સમિન્વત કરીને ગણપતિ પૂજન કર્યા બાદ યજ્ઞોપવીતના નવ તંતુઓના નવ અધિષ્ઠાતા દેવોનું આહવાન કરવામાં આવે છે. યજ્ઞોપવિત સૂર્યનારાયણને બતાવી અને તેને પોતાના કરસંપુટમાં રાખીને દશ વાર ગાયત્રી મંત્ર ભણીને તેને અભિમંત્રિત કરી વિધિપૂર્વક મંત્ર ભણી પોતાના ડાબા ખભા ઉપર જનોઇ ધારણ કરાઇ છે, અને જૂનાં યજ્ઞોપવિતને જળમાં પધરાવવામાં આવે છે.

જનોઇનું શું છે મહત્વ 
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ હેમાંગ રાવલે આ અંગે માહિતી આપી હતી કે, જનોઇ માનવને નમ્ર બનાવવાનો પાઠ શીખવે છે. જનોઇમાં ભગવાન આપણી પડખે છે તે અખંડ રક્ષા કરતાં રહે છે તેવો ઊંડો ભાવ રહે છે. જનોઇ એ પણ એક રક્ષાનું ભાવાત્મક પ્રતિક પણ બની રહે છે. જનોઇ એ નવ તંતુઓને ત્રણવારમાં ગૂંથીને બનાવવામાં આવી છે તેથી તેને ‘ત્રિસૂત્રી’ કહેવામાં આવે છે. આ સૂત્રો ઋગ્વેદ, યજૂર્વેદ અને સામવેદના પ્રતિક સમાન છે. આ બ્રહ્મગાંઠની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ શક્તિ સ્વરૂપના જ્ઞાનના તેજ સ્વરૂપ ધારણ કરે છે.

વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનમાં પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે "બદલતા આધુનિક જમાનામાં બ્રહ્મ સમાજ પણ વૈજ્ઞાનિક અભિગમથી આ જનોઈ બદલવાનો ભવ્ય કાર્યક્રમ અમદાવાદમાં બ્રહ્મ સમાજના એર કન્ડિશન હૉલમાં યોજાયો હતો. જેમાં ૫૦૦થી પણ વધુ બ્રહ્મપરિવારોએ વિધિ વિધાનથી ભાગ લીધો હતો અને અંતમાં બ્રહ્મ ભોજનનો પણ તમામે લાભ લીધો હતો. 

આ પણ વાંચો

Raksha Bandhan 2024: આજે રક્ષાબંધન, અહીં જાણો આજનું પંચાંગ, રાહુકાળથી લઇને શુભમુહૂર્ત સુધીનો સમય...

Raksha Bandhan: રક્ષાબંધન ફક્ત ભાઇ બહેનનો પર્વ નહી, ગ્રંથોમાં જણાવ્યું છે કે કોણ કોને બાંધી શકે છે રાખડી

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા,  2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો  આપશે પરીક્ષા
Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા, 2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની  મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
Advertisement

વિડિઓઝ

India-Pakistan match Row: ભારત-પાકિસ્તાન મેચને લઈ ઓવૈસીના ભાજપ પર પ્રહાર
Mehsana Tragedy: મહેસાણા જિલ્લામાં આગની દુર્ઘટનામાં બેના મોત
Revenue Talati Exam: આજે રાજ્યભરમાં તલાટીની પરીક્ષા, 2384 જગ્યા માટે અંદાજિત 4 લાખથી વધુ ઉમેદવારો
Bharuch Fire Incident: ભરૂચના અંકલેશ્વરની પાનોલી GIDCની કંપનીમાં ભીષણ આગ
Vibrant Navaratri: સરકારી નવરાત્રિમાં રૂપિયા 100નો પાસ, વાઇબ્રન્ટ નવરાત્રિમાં ગરબા રમવા માટે VIP ઝોન બનાવાશે
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા,  2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો  આપશે પરીક્ષા
Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા, 2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની  મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'BCCI ના પરિવારમાંથી કોઈ નથી ગયું', ભારત-પાકિસ્તાનની મેચને લઈ ભાવુક થઈ શહીદ શુભમની પત્ની
'BCCI ના પરિવારમાંથી કોઈ નથી ગયું', ભારત-પાકિસ્તાનની મેચને લઈ ભાવુક થઈ શહીદ શુભમની પત્ની
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
Gujarat News: ભરૂચમાં સંઘવી ફેક્ટ્રીમાં ભીષણ આગ, મોટા નુકસાનનો અંદાજ, જાણો અપડેટ્સ
Gujarat News: ભરૂચમાં સંઘવી ફેક્ટ્રીમાં ભીષણ આગ, મોટા નુકસાનનો અંદાજ, જાણો અપડેટ્સ
Embed widget