શોધખોળ કરો

Gandhinagar: રાજ્યના આ ડોક્ટરોને લાગી લોટરી, સરકારે પગારમાં કર્યો અધધ વધારો

Gandhinagar: તજજ્ઞ તબીબોને પ્રતિ માસ મળતા વેતન ઉપરાંત માઇનોર અને મેજર સર્જરી માટે રૂ. ૩૦૦ થી લઇ રૂ. ૨૦૦૦ સુધીની પ્રોત્સાહક રકમ પ્રતિ સર્જરી અપાશે.

Gandhinagar: ગુજરાતમાં CHC, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીસ્ટ હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત ખાનગી પ્રેક્ટિસ વગરના તજજ્ઞ તબીબોને મળતા વેતનમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય આરોગ્ય વિભાગ રાજ્યના તમામ નાગરિકોને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ પ્રદાન કરાવવા કટિબધ્ધ છે.  રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા CHC, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીસ્ટ હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત તજજ્ઞ તબીબોના હિતલક્ષી એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.

તબીબોને ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવાનો નિર્ણય

રાજ્યના કરાર આધારિત તબીબોને ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. વધુ ખાનગી પ્રેક્ટિસ વગર કરાર આધારિત સેવા આપતા તજજ્ઞ તબીબોના પ્રતિ માસના વેતનમાં માતબર રકમનો વધારો કરાયો છે.કરાર આધારિત તજજ્ઞોને ખાનગી પ્રેક્ટિસ વગર હાલ જે રૂ. ૯૫,૦૦૦  પ્રતિ માસ વેતન આપવામાં આવે છે તે વધારીને હવેથી પ્રતિ માસ રૂ. ૧,૩૦,૦૦૦ આપવાનું સરકારી ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે અંદાજીત ૩૭ % જેટલો વધારો કરવામાં આવ્યો છે.

પ્રોત્સાહક રકમના ૫૦ ટકા રકમ પ્રતિ સર્જરી આપવાનું પણ નક્કી
  
વધુમાં સર્જરી સાથે સંકળાયેલા તજજ્ઞ તબીબોને પ્રતિ માસ મળતા વેતન ઉપરાંત મેજર અને માઇનોર સર્જરી માટે રૂ. ૩૦૦  થી રૂ. ૨૦૦૦ સુધીની પ્રોત્સાહક રકમ પ્રતિ સર્જરી આપવામાં આવશે. વધુમાં કરાર આધારિત સેવારત એનેસ્થેટીસ્ટ તબીબોને  પ્રોત્સાહક રકમના ૫૦ ટકા રકમ પ્રતિ સર્જરી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. સર્જીકલ તજજ્ઞો સિવાયના અન્ય તજજ્ઞોને PMJAYના પ્રવર્તમાન ધારા-ધોરણો મુજબ જ ઇન્સ્ટેન્ટિવ મળવાપાત્ર બનશે.
 
રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, ગાયનેકોલોજીસ્ટ અને ઇ.એન.ટીને લગતી વિવિધ મેજર સર્જરી માટે રૂ. ૨૦૦૦ અને રૂ. ૧૨૫૦ તેમજ માઇનોર સર્જરી માટે રૂ. ૬૦૦ અને રૂ. ૩૦૦  પ્રતિ સર્જરી તબીબોને ચૂકવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સામાહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે  તજજ્ઞ તબીબોની સેવા વધુ સુદ્રઢ બને તે માટે આ હિતકારી નિર્ણય લેવમાં આવ્યો છે. જે તજજ્ઞ તબીબોને સરકારી સેવાઓ સાથે જોડાવવા માટે પ્રોત્સાહન પુરૂ પાડશે.

આ પણ વાંચો...

Jan Dhan Yojana: પ્રધાનમંત્રી જન ધન યોજનાના 10 વર્ષ પૂર્ણ, નમો એપ ક્વિઝમાં ભાગ લઇ જીતો ખાસ ઇનામ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડHun To Bolish | હું તો બોલીશ | સારવારની શોધ?Hun To Bolish | હું તો બોલીશ | કોનું ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ?Arvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
Monkeypox In Pregnancy: પ્રેગ્નેન્ટ મહિલાઓને મંકીપોક્સથી વધુ ખતરો, રાખો આ સાવધાની  
Monkeypox In Pregnancy: પ્રેગ્નેન્ટ મહિલાઓને મંકીપોક્સથી વધુ ખતરો, રાખો આ સાવધાની  
Aadhaar Free Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે તમારી પાસે માત્ર એક દિવસ, જાણો પ્રોસેસ  
Aadhaar Free Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે તમારી પાસે માત્ર એક દિવસ, જાણો પ્રોસેસ  
Embed widget