શોધખોળ કરો

Uttarayan 2024: પતંગરસિકોને પડી જશે મોજ, હવામાન વિભાગે કરી છે આવી આગાહી

Uttarayan 2024: એક એકથી ચડીયાતા રંગબેરંગી પતંગોથી છવાઈ જતા ગગનમાં પતંગોની રંગોળી રચાશે.

Uttarayan 2024: આબાલવૃદ્ધ સૌ કોઈના મનપસંદ મકરસંક્રાંતિના તહેવારની આજે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મકરસંક્રાંતિના પર્વે આખો દિવસ પતંગપ્રેમીઓ અગાશી, ધાબા કે છાપરા પર જ વિતાવશે. એક એકથી ચડીયાતા રંગબેરંગી પતંગોથી છવાઈ જતા ગગનમાં પતંગોની રંગોળી રચાશે.

આજે દિવસભર સારો પવન રહેવાની હવામાન વિભાગની આગાહીથી પતંગરસિકોને મોજ પડી જશે. દિવસભર 10થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. સારા પવનને લીધે પતંગરસિકો વચ્ચે આકાશમાં પતંગ યુદ્ધ જામશે. અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તરાયણના પર્વ નિમીત્તે ડીજેના સંગાથે સવારથી જ પતંગબાજો વચ્ચે અવકાશી યુદ્ધ જામી રહ્યા છે. ઘણી જગ્યાએ વહેલી  સવારથી જ ધાબા, અગાશીઓ પર કાયપો છે, ચલ લપેટના નાદથી માહોલ ગુંજી ઉઠ્યા છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ મકરસંક્રાતિના સમયે પવનની ગતિ સારી રહેશે. પતંગ રસિયા માટે સારા સમાચાર છે કે, 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. પંતગ રસિકો વર્ષભર ઉત્તરાયણની પ્રતિક્ષા કરતા હોય છે. પતંગબાજી ત્યારે જ શક્ય બને છે જ્યારે પવનની ગતિ અનુકૂળ હોય. હવામાન નિષ્ણાત અંબાલાલના અનુમાન મુજબ આગામી 14 અને 15 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિ અને વાસી ઉતરાણમાં પવનની ગતિ સારી રહેશે. મકરસંક્રાતિના અવસરે 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિમાં થોડા ઘટાડો થઇ શકે છે. 

અમિત શાહ અહીં મનાવશે ઉત્તરાયણ

કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગરના સાંસદ અમિત શાહ રવિવારે ઉત્તરાયણ પર્વની ઉજવણી ગાંધીનગર ખાતે કરશે. તેઓ વાવોલ વિસ્તારમાં વૈદેહી-3 સોસાયટી ખાતે ભાજપના સ્થાનિક નેતાઓ સાથે પતંગ ઉડાવશે. સ્થાનિક રહિશો અને ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં તેમની સાથે જોડાશે. ગાંધીનગરના સાંસદ અમિત શાહ પોતાના મત વિસ્તાર પ્રત્યે ખાસ સક્રિય છે અને અવારનવાર તેઓ મત વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે સાથે વિકાસ કામો મામલે અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા પણ કરતા હોય છે. વાયબ્રન્ટ સમિટના સમાપન પ્રસંગે ગુજરાતની મુલાકાતે આવેલા અમિત શાહ ઉત્તરાયણ પર્વ સુધી અમદાવાદ રોકાવાના છે. તે દરમિયાન તેઓ ગાંધીનગરમાં પણ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે આવશે. રવિવારે સવારે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા બાદ તેઓ અમદાવાદ વેજલપુર ખાતે ઉત્તરાયણ મહોત્સવમાં હાજરી આપશે. બપોરે 4 કલાકે તેઓ વાવોલ વૈદેહી-3 સોસાયટી ખાતે સ્થાનિક નેતાઓ અને રહિશો સાથે ઉત્તરાયણ મનાવવા આવી પહોંચશે. તેઓ એક કલાક સુધી વાવોલ રોકાશે તે પછી અમદાવાદ પરત ફરશે. ઉલ્લેખનીય છે કે અમિત શાહે ગત વર્ષે કલોલ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ વખતે તેઓ વાવોલમાં ઉત્તરાયણ મનાવશે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
પાકિસ્તાની વિમાનોની ભારતીય એરસ્પેસમાં હજુ પણ 'નો એન્ટ્રી', કેન્દ્ર સરકારે પ્રતિબંધ લંબાવ્યો
પાકિસ્તાની વિમાનોની ભારતીય એરસ્પેસમાં હજુ પણ 'નો એન્ટ્રી', કેન્દ્ર સરકારે પ્રતિબંધ લંબાવ્યો
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
બાળકોને કઈ ઉંમરમા આપવો જોઈએ ફોન? સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવાની યોગ્ય ઉંમરનો પણ નવા રિસર્ચમાં ખુલાસો
બાળકોને કઈ ઉંમરમા આપવો જોઈએ ફોન? સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવાની યોગ્ય ઉંમરનો પણ નવા રિસર્ચમાં ખુલાસો
Advertisement

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
પાકિસ્તાની વિમાનોની ભારતીય એરસ્પેસમાં હજુ પણ 'નો એન્ટ્રી', કેન્દ્ર સરકારે પ્રતિબંધ લંબાવ્યો
પાકિસ્તાની વિમાનોની ભારતીય એરસ્પેસમાં હજુ પણ 'નો એન્ટ્રી', કેન્દ્ર સરકારે પ્રતિબંધ લંબાવ્યો
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
બાળકોને કઈ ઉંમરમા આપવો જોઈએ ફોન? સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવાની યોગ્ય ઉંમરનો પણ નવા રિસર્ચમાં ખુલાસો
બાળકોને કઈ ઉંમરમા આપવો જોઈએ ફોન? સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવાની યોગ્ય ઉંમરનો પણ નવા રિસર્ચમાં ખુલાસો
550 અબજ ડોલરનું રોકાણ, જાપાન અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ, 15 ટકા ટેરિફ લગાવ્યો
550 અબજ ડોલરનું રોકાણ, જાપાન અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ, 15 ટકા ટેરિફ લગાવ્યો
'પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઈનકાર, અફેર હોવાની શંકા કરવી ક્રૂરતા', કોર્ટે મહિલાની અરજી ફગાવી
'પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઈનકાર, અફેર હોવાની શંકા કરવી ક્રૂરતા', કોર્ટે મહિલાની અરજી ફગાવી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ પ્લેનના એન્જિનમાં લાગી આગ, હોંગકોંગથી આવી રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ પ્લેનના એન્જિનમાં લાગી આગ, હોંગકોંગથી આવી રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન
Embed widget