![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
GHCL Foundation: આવકવૃધ્ધીઅને પશુ આરોગ્યમાં સુધારો: ગ્રામીણવિકાસ માટે જીએચસીએલ ફાઉન્ડેશનની અનોખી પહેલ
GHCL Foundation: પશુપાલન એ ઘણા ખેડૂતો માટે ગૌણ આવકનો પસંદગીનો સ્ત્રોત છે. વાસ્તવમાં, કૃષિ સાથે પશુપાલનનું સંકલન એ જૈવિક ખેતીનો મુખ્ય સિદ્ધાંત છે જેને ઘણા ખેડૂતો અનુસરે છે.
![GHCL Foundation: આવકવૃધ્ધીઅને પશુ આરોગ્યમાં સુધારો: ગ્રામીણવિકાસ માટે જીએચસીએલ ફાઉન્ડેશનની અનોખી પહેલ GHCL Foundation's unique initiative for rural development GHCL Foundation: આવકવૃધ્ધીઅને પશુ આરોગ્યમાં સુધારો: ગ્રામીણવિકાસ માટે જીએચસીએલ ફાઉન્ડેશનની અનોખી પહેલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/16/3ac3f549a4ed0d17b60ddc8914ce6b941676549195202397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
GHCL Foundation: પશુપાલન એ ઘણા ખેડૂતો માટે ગૌણ આવકનો પસંદગીનો સ્ત્રોત છે. વાસ્તવમાં, કૃષિ સાથે પશુપાલનનું સંકલન એ જૈવિક ખેતીનો મુખ્ય સિદ્ધાંત છે જેને ઘણા ખેડૂતો અનુસરે છે. જો કે, પશુઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા જાળવવા માટે જરૂરી સાવચેતીઓ અને તકનીકો વિશે ખેડૂતોની જાગૃતતા ઓછી છે.
જીએચસીએલ ફાઉન્ડેશન ગીરના ખેડૂતો સાથે ગુજરાતમાં ગીર સોમનાથ (સુત્રાપાડા, તાલાલા અને વેરાવળ બ્લોક), કચ્છ (માંડવી બ્લોક) અને અમરેલી (રાજુલા, જાફરાબાદ, ખાંભા બ્લોક) માં કામ કરી રહ્યું છે. ફાઉન્ડેશન દ્વારા નાણાકીય અને તબીબી સહાય, ધાસચારા માટે બિયારણ અને વધુ સારા પશુપાલન માટે સંસાધનો પ્રદાન કરે છે. કચ્છમાં જીએચસીએલ ફાઉન્ડેશનની હાજરી તુલનાત્મક રીતે ઓછો રહી હોવા છતાં, રૂ. 34 લાખની ફાળવણી પશુપાલન અને ખેતી કરતા નાના ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે કરવામાં આવી છે.
વેટરનરી કેમ્પ
ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2014માં સુત્રાપાડામાં દુધાળા પશુઓ માટે 7 સારવાર કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રૂ.2,64,912નો ખર્ચ કર્યો હતો અને 12,060 પ્રાણીઓની સારવાર કરી હતી. નાણાકીય વર્ષ 2022-23 સુધીમાં, કેમ્પ ની સંખ્યા વધીને 244 થઈ છે, ખર્ચ લગભગ 80% વધીને રૂ . 71,76,511 અને 1,86,040 પશુઓને સારવાર આપવામાં આવી છે.આ કેમ્પ દ્વારા, ફાઉન્ડેશન ખેડૂતોને મહત્તમ પ્રોત્સાહન આપે છે અને તેમના નાણાકીય પ્રતિકૂળતાઓને દૂર કરવા માટે સહાય પૂરી પાડે છે. પશુ ચિકિત્સક નિષ્ણાતો ખેડૂતોને વિનામૂલ્યે માર્ગદર્શન અને દવાઓ આપે છે.
લમ્પી સ્કીન ડિસીઝ જેવા વિવિધ રોગોના ફેલાવાને રોકવા માટે રસીકરણ માટે વિશેષ સહાય પૂરી પાડવામાં આવે છે. કચ્છ જિલ્લાના બાડા ગામમાં પગ અને મોઢાના રોગ માટે રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને 2000 થી વધુ પશુઓને રસીકરણ કરવામાં આવ્યા હતા. આ પ્રદેશમાં પશુપાલન સાથે સંકળાયેલા તમામ ખેડૂતો માટે પ્રાણીઓની આરોગ્યસંભાળ અને તેની ખાતરી કરવા માટે ફાઉન્ડેશન દ્વારા બે પશુ ચિકિત્સક નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવી છે.
પ્રાણીઓ માટે સંતુલિત પોષણ
એવું નોંધવામાં આવ્યું હતું કે ઘણા ખેડૂતો કપાસની કેક અને ચોખાના બ્રાનનો ઉપયોગ પશુઓના ખોરાક તરીકે કરે છે જેના પરિણામે પ્રાણીઓમાં ઘણી ખામીઓ જોવા મળે છે. આ સમસ્યાને દૂર કરવા માટે, GHCL ફાઉન્ડેશન 23000 થી વધુ ખેડૂતોને અમૂલ, ગોદરેજ અને અન્ય પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ દ્વારા ઉત્પાદિત સંતુલિત પોષક ફીડ્સ પ્રદાન કરે છે. ઉપરાંત, મલ્ટીકટ જુવાર, બાજરા વગેરેના બિયારણો (ઉચ્ચ ઉપજ અને સારા પોષક મૂલ્ય ધરાવતા) ખેડૂતોને પૂરા પાડવામાં આવે છે જેથી તેઓ ઉચ્ચ પોષણયુક્ત ઘાસચારાની પુનરાવર્તિત ઉપજ મેળવી શકે. ચારાનાં બિયારણ પૂરાં પાડવા માટે અત્યાર સુધીમાં 23,28,871 રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આ પહેલને કચ્છના બાડા પ્રદેશ સુધી પણ વિસ્તારવામાં આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં 15 ગામોમાં 661.96 મેટ્રિક ટન ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું છે, જેનો 2000 ફાયદો ખેડૂતો અને 10,225 પશુઓને થયો છે.
વંધ્યત્વ અને કૃત્રિમ ગર્ભાધાન
પ્રાણીઓમાં વંધ્યત્વની સારવાર માટે, કૃત્રિમ બીજદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. શરૂઆતમાં, ગીર ગાય અને જાફરાબાદી ભેંસોની જાતિ સુધારણા પ્રવૃતિઓ BAIF ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશનના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. 2012 માં 1012 પ્રાણીઓથી શરૂ કરીને, ફાઉન્ડેશને પછી ના વર્ષોમાં લગભગ 14,000 પ્રાણીઓનું ગર્ભાધાન કર્યું છે. જો કે, સમય જતાં કૃત્રિમ ગર્ભાધાનની જરૂરિયાતમાં ઘટાડો થયો છે.
ભાવનગરમાં જીએચસીએલના લિગ્નાઈટ વિભાગમાં, 145 ખેડૂતોને ઘાસચારાના બિયારણ અને 736 ખેડૂતોને પૂરક પોષણ આપવા માટે રૂ.4.4 લાખનું રોકાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 250 થી વધુ ખેડૂતો અને 3000 જેટલા પશુઓને લાભ આપતા 8 પશુ સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. GHCL ફાઉન્ડેશન નાના ખેડૂતો માટે નાણાકીય જરૂરિયાતના 90 થી 100% સુધીની સહાય પૂરી પાડે છે. આમાંના ઘણા ખેડૂતોમાં સ્વ-સહાય જૂથોની (સેલ્ફ હેલ્પ ગ્રુપ) મહિલાઓનો સમાવેશ થાય છે, જેઓ મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ વિકાસના બેવડા હેતુ માટે કામ કરે છે. ફાઉન્ડેશનના સમર્થન દ્વારા, ખેડૂતો પાસે આવકનો નિયમિત સ્ત્રોત છે અને તેઓ તેમના દૂધાળા પશુઓ માટે વધુ સારું આરોગ્ય અને સ્વચ્છતા પ્રદાન કરવામાં સક્ષમ છે.
જીએચસીએલ વિશે
GHCL લિમિટેડ એ કેમિકલ અને સ્પિનિંગ વ્યવસાયોમાં નિશ્ચિત પદચિહ્નો ધરાવતું વૈવિધ્યસભર ગ્રુપ છે. કેમિકલ માં, કંપની મુખ્યત્વે સોડા એશનું ઉત્પાદન કરે છે જે ડિટર્જન્ટ, કાચ ઉદ્યોગ અને સોડિયમ બાયકાર્બોનેટ (બેકિંગ સોડા) માટે મુખ્ય કાચો માલ છે. કાપડમાં, મદુરાઈ, તમિલનાડુ ખાતેના કંપનીના સ્પિનિંગ એકમો વિવિધ પ્રકારના ફાઈબર (યાર્ન)નું ઉત્પાદન કરે છે, જે સ્થાનિક ગ્રાહકોને વેચવામાં આવે છે તેમજ વિશ્વભરમાં નિકાસ કરવામાં આવે છે.
જીએચસીએલ લિમિટેડમાં, સસ્ટેનીબીલીટી એ બિઝનેસ સ્ટ્રેટેજી નું મુખ્ય તત્વ છે જે 'જીએચસીએલ વે'ના નેજા હેઠળ તેના ચાર સ્તંભો એટલે કે જવાબદાર કારભારી, સામાજિક સર્વસમાવેશકતા, સંબંધોને પ્રોત્સાહન આપવું અને મૂલ્ય ઉમેરવું. અમે GHCL લિમિટેડના આદર, ટ્રસ્ટ, માલિકી અને સંકલિત ટીમવર્કના મુખ્ય મૂલ્યો પર સસ્ટેનીબીલીટી ના એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે અમારા વિવિધ પ્લાન્ટ સ્થળો પર અમારા હિતધારકો સાથે નજીકથી કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)