શોધખોળ કરો

Kedarnath Dham: કેદારનાથમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ, ચારધામ યાત્રા પહેલા મુ્દ્દો ચર્ચામાં, જાણો કોણે કરી માંગણી

Kedarnath Dham:કેદારનાથ હિન્દુ ધર્મનું એક મુખ્ય તીર્થસ્થાન છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. હિન્દુ સંગઠનોનું માનવું છે કે અહીંની ધાર્મિક પરંપરાઓનું ચુસ્તપણે પાલન થવું જોઈએ

Kedarnath Dham: ઉત્તરાખંડના પ્રસિદ્ધ તીર્થસ્થળ કેદારનાથમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ જાણકારી સ્થાનિક ધારાસભ્ય આશા નૌટિયાલે આપી છે. તેમનું કહેવું છે કે કેટલાક બિન-હિંદુ તત્વો કેદારનાથ ધામની પવિત્રતાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે તેમના પર પ્રતિબંધ લગાવવાની જરૂર છે.

ધારાસભ્ય આશા નૌટિયાલના જણાવ્યા અનુસાર કેદારનાથ ધામમાં કેટલાક બિન-હિંદુ લોકો માંસ, માછલી અને દારૂ પીરસી રહ્યા છે, જેના કારણે આ પવિત્ર સ્થળની ગરિમાને અસર થઈ રહી છે. તેમણે કહ્યું, "અમારો પ્રયાસ આવા લોકોની ઓળખ કરવાનો છે અને તેમના પર પ્રતિબંધ લગાવવાનો છે. તીર્થસ્થળની પવિત્રતા જાળવવી એ અમારી પ્રાથમિકતા છે.

આશા નૌટિયાલે જણાવ્યું કે તાજેતરમાં રાજ્યના પ્રભારી મંત્રી સૌરભ બહુગુણાએ કેદારનાથમાં સ્થાનિક લોકો અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં એ મુદ્દો પણ મુખ્ય રીતે ઉઠાવવામાં આવ્યો હતો કે કેટલાક બિન-હિંદુ લોકો કેદારનાથ ધામને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બેઠકમાં સૂચન કરવામાં આવ્યું હતું કે આવી વ્યક્તિઓની ઓળખ કરીને તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

રાજકીય પક્ષો અને માનવાધિકાર સંગઠનોએ પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા

કેદારનાથ હિન્દુ ધર્મનું એક મુખ્ય તીર્થસ્થાન છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આવી સ્થિતિમાં સ્થાનિક લોકો અને હિંદુ સંગઠનોનું માનવું છે કે અહીંની ધાર્મિક પરંપરાઓનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. ઘણી સંસ્થાઓએ પ્રશાસન પાસે એવી પણ માંગણી કરી છે કે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

જો કે આ નિર્ણય પર કેટલાક રાજકીય પક્ષો અને માનવાધિકાર સંગઠનોએ પણ સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે આ બંધારણના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ હોઈ શકે છે. વિપક્ષી દળોએ પણ આ મુદ્દે સરકાર પાસે સ્પષ્ટ વલણની માંગ કરી છે.

 

ધારાસભ્ય આશા નૌટિયાલના આ નિવેદન બાદ રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જો આ પ્રસ્તાવ આગળ વધે તો કાયદાકીય અને સામાજિક સ્તરે તેના પર ઘણી ચર્ચા થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે શું સ્ટેન્ડ લે છે અને ખરેખર કેદારનાથમાં બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવશે કે કેમ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
Donald Trump: 'યુદ્ધ હજુ પૂર્ણ નહીં, બે-ત્રણ સપ્તાહ ઈરાન પર કરીશું મોટા હુમલાઓ', ટ્રમ્પના સંબોધનની મોટી વાતો
Donald Trump: 'યુદ્ધ હજુ પૂર્ણ નહીં, બે-ત્રણ સપ્તાહ ઈરાન પર કરીશું મોટા હુમલાઓ', ટ્રમ્પના સંબોધનની મોટી વાતો
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના
વેકેશન પ્લાનિંગમાં લાગશે મોંઘવારીનું ગ્રહણ! 2 એપ્રિલથી ઇન્ડિગોની સવારી થશે મોંઘી, જાણો નવા રેટ
વેકેશન પ્લાનિંગમાં લાગશે મોંઘવારીનું ગ્રહણ! 2 એપ્રિલથી ઇન્ડિગોની સવારી થશે મોંઘી, જાણો નવા રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?
Isudan Gadhvi: AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અટકાયત, જુઓ શું છે મામલો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
Donald Trump: 'યુદ્ધ હજુ પૂર્ણ નહીં, બે-ત્રણ સપ્તાહ ઈરાન પર કરીશું મોટા હુમલાઓ', ટ્રમ્પના સંબોધનની મોટી વાતો
Donald Trump: 'યુદ્ધ હજુ પૂર્ણ નહીં, બે-ત્રણ સપ્તાહ ઈરાન પર કરીશું મોટા હુમલાઓ', ટ્રમ્પના સંબોધનની મોટી વાતો
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના
KL રાહુલ અને અક્ષર પટેલ 'ઝીરો' પર આઉટ, છતાં દિલ્હીનો ડંકો! જુઓ કેવી રીતે પાછળથી બાજી પલટાઈ
KL રાહુલ અને અક્ષર પટેલ 'ઝીરો' પર આઉટ, છતાં દિલ્હીનો ડંકો! જુઓ કેવી રીતે પાછળથી બાજી પલટાઈ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ
પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ
બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?
બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?
Embed widget