શોધખોળ કરો

Kedarnath Dham: કેદારનાથમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ, ચારધામ યાત્રા પહેલા મુ્દ્દો ચર્ચામાં, જાણો કોણે કરી માંગણી

Kedarnath Dham:કેદારનાથ હિન્દુ ધર્મનું એક મુખ્ય તીર્થસ્થાન છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. હિન્દુ સંગઠનોનું માનવું છે કે અહીંની ધાર્મિક પરંપરાઓનું ચુસ્તપણે પાલન થવું જોઈએ

Kedarnath Dham: ઉત્તરાખંડના પ્રસિદ્ધ તીર્થસ્થળ કેદારનાથમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ જાણકારી સ્થાનિક ધારાસભ્ય આશા નૌટિયાલે આપી છે. તેમનું કહેવું છે કે કેટલાક બિન-હિંદુ તત્વો કેદારનાથ ધામની પવિત્રતાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે તેમના પર પ્રતિબંધ લગાવવાની જરૂર છે.

ધારાસભ્ય આશા નૌટિયાલના જણાવ્યા અનુસાર કેદારનાથ ધામમાં કેટલાક બિન-હિંદુ લોકો માંસ, માછલી અને દારૂ પીરસી રહ્યા છે, જેના કારણે આ પવિત્ર સ્થળની ગરિમાને અસર થઈ રહી છે. તેમણે કહ્યું, "અમારો પ્રયાસ આવા લોકોની ઓળખ કરવાનો છે અને તેમના પર પ્રતિબંધ લગાવવાનો છે. તીર્થસ્થળની પવિત્રતા જાળવવી એ અમારી પ્રાથમિકતા છે.

આશા નૌટિયાલે જણાવ્યું કે તાજેતરમાં રાજ્યના પ્રભારી મંત્રી સૌરભ બહુગુણાએ કેદારનાથમાં સ્થાનિક લોકો અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં એ મુદ્દો પણ મુખ્ય રીતે ઉઠાવવામાં આવ્યો હતો કે કેટલાક બિન-હિંદુ લોકો કેદારનાથ ધામને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બેઠકમાં સૂચન કરવામાં આવ્યું હતું કે આવી વ્યક્તિઓની ઓળખ કરીને તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

રાજકીય પક્ષો અને માનવાધિકાર સંગઠનોએ પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા

કેદારનાથ હિન્દુ ધર્મનું એક મુખ્ય તીર્થસ્થાન છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આવી સ્થિતિમાં સ્થાનિક લોકો અને હિંદુ સંગઠનોનું માનવું છે કે અહીંની ધાર્મિક પરંપરાઓનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. ઘણી સંસ્થાઓએ પ્રશાસન પાસે એવી પણ માંગણી કરી છે કે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

જો કે આ નિર્ણય પર કેટલાક રાજકીય પક્ષો અને માનવાધિકાર સંગઠનોએ પણ સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે આ બંધારણના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ હોઈ શકે છે. વિપક્ષી દળોએ પણ આ મુદ્દે સરકાર પાસે સ્પષ્ટ વલણની માંગ કરી છે.

 

ધારાસભ્ય આશા નૌટિયાલના આ નિવેદન બાદ રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જો આ પ્રસ્તાવ આગળ વધે તો કાયદાકીય અને સામાજિક સ્તરે તેના પર ઘણી ચર્ચા થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે શું સ્ટેન્ડ લે છે અને ખરેખર કેદારનાથમાં બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવશે કે કેમ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
Embed widget