શોધખોળ કરો

Kedarnath Dham: કેદારનાથમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ, ચારધામ યાત્રા પહેલા મુ્દ્દો ચર્ચામાં, જાણો કોણે કરી માંગણી

Kedarnath Dham:કેદારનાથ હિન્દુ ધર્મનું એક મુખ્ય તીર્થસ્થાન છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. હિન્દુ સંગઠનોનું માનવું છે કે અહીંની ધાર્મિક પરંપરાઓનું ચુસ્તપણે પાલન થવું જોઈએ

Kedarnath Dham: ઉત્તરાખંડના પ્રસિદ્ધ તીર્થસ્થળ કેદારનાથમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ જાણકારી સ્થાનિક ધારાસભ્ય આશા નૌટિયાલે આપી છે. તેમનું કહેવું છે કે કેટલાક બિન-હિંદુ તત્વો કેદારનાથ ધામની પવિત્રતાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે તેમના પર પ્રતિબંધ લગાવવાની જરૂર છે.

ધારાસભ્ય આશા નૌટિયાલના જણાવ્યા અનુસાર કેદારનાથ ધામમાં કેટલાક બિન-હિંદુ લોકો માંસ, માછલી અને દારૂ પીરસી રહ્યા છે, જેના કારણે આ પવિત્ર સ્થળની ગરિમાને અસર થઈ રહી છે. તેમણે કહ્યું, "અમારો પ્રયાસ આવા લોકોની ઓળખ કરવાનો છે અને તેમના પર પ્રતિબંધ લગાવવાનો છે. તીર્થસ્થળની પવિત્રતા જાળવવી એ અમારી પ્રાથમિકતા છે.

આશા નૌટિયાલે જણાવ્યું કે તાજેતરમાં રાજ્યના પ્રભારી મંત્રી સૌરભ બહુગુણાએ કેદારનાથમાં સ્થાનિક લોકો અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં એ મુદ્દો પણ મુખ્ય રીતે ઉઠાવવામાં આવ્યો હતો કે કેટલાક બિન-હિંદુ લોકો કેદારનાથ ધામને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બેઠકમાં સૂચન કરવામાં આવ્યું હતું કે આવી વ્યક્તિઓની ઓળખ કરીને તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

રાજકીય પક્ષો અને માનવાધિકાર સંગઠનોએ પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા

કેદારનાથ હિન્દુ ધર્મનું એક મુખ્ય તીર્થસ્થાન છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આવી સ્થિતિમાં સ્થાનિક લોકો અને હિંદુ સંગઠનોનું માનવું છે કે અહીંની ધાર્મિક પરંપરાઓનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. ઘણી સંસ્થાઓએ પ્રશાસન પાસે એવી પણ માંગણી કરી છે કે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

જો કે આ નિર્ણય પર કેટલાક રાજકીય પક્ષો અને માનવાધિકાર સંગઠનોએ પણ સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે આ બંધારણના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ હોઈ શકે છે. વિપક્ષી દળોએ પણ આ મુદ્દે સરકાર પાસે સ્પષ્ટ વલણની માંગ કરી છે.

 

ધારાસભ્ય આશા નૌટિયાલના આ નિવેદન બાદ રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જો આ પ્રસ્તાવ આગળ વધે તો કાયદાકીય અને સામાજિક સ્તરે તેના પર ઘણી ચર્ચા થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે શું સ્ટેન્ડ લે છે અને ખરેખર કેદારનાથમાં બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવશે કે કેમ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget