શોધખોળ કરો

PM મોદીએ રિઝર્વ બેન્કની બે યોજના કરી લોન્ચ, જાણો આપને શું થશે ફાયદો, રોકાણ પર રિટર્નનો આપ્યો ભરોસો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય રિઝર્વ બેંકની બે મોટી યોજનાઓ લોન્ચ કરી. આ યોજનાઓ આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેંક-ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતીય રિઝર્વ બેંકની બે મોટી યોજનાઓ લોન્ચ કરી. આ યોજનાઓ આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેંક-ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ છે. આ અવસરે પ્રાસંગિક સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ  કહ્યું કે, ભારતમાં નાના રોકાણકારોને સુરક્ષિત રોકાણ પર સારા વળતરની ખાતરી આપવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની બે મોટી યોજનાઓ લોન્ચ કરી છે. આ યોજનાઓ આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેંક-ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ છે. વડાપ્રધાને કહ્યું કે આરબીઆઈ હંમેશા નાણાકીય બાબતોમાં સંવાદ જાળવી રાખે છે. આ બંને યોજનાઓ દેશમાં રોકાણનો વ્યાપ વિસ્તારશે. કેન્દ્રીય બેંકની યોજનાઓનો લાભ નાનાથી મોટા રોકાણકારોને મળશે, સાથે જ પારદર્શિતા પણ આવશે. તેમણે કહ્યું કે લોકશાહીની સૌથી મોટી તાકાત અર્થવ્યવસ્થામાં સૌની ભાગીદારીની ભાવનાનું સન્માન અને પ્રોત્સાહન છે.

શું છે લોકપાલ સ્કિમ?

પીએમ મોદીએ કહ્યું કે ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણ માટે ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ શરૂ કરવામાં આવી છે. આમાં, ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ અથવા અન્ય સંસ્થાઓ વિરુદ્ધ ગ્રાહકોની ફરિયાદોને દૂર કરવા માટે નિયમો બનાવ્યા છે. આ યોજના વન નેશન વન ઓમ્બડ્સમેનના કોન્સેપ્ટ પર લાવવામાં આવી છે.

શું છે રિટેલ ડાયરેક્ટ સ્કિમ શું છે

આમાં, છૂટક રોકાણકારો ભારત સરકારની સંપતિમાં સીધું રોકાણ કરી શકશે અને સારો નફો કમાઈ શકશે. પીએમ મોદીએ કહ્યું કે આરડીજીની ખાસ વાત એ છે કે આમાં ફંડ મેનેજરની જરૂર નહીં પડે. કોઈ રોકાણકારે ક્યાંય જવાની જરૂર નથી. તે સિક્યોરિટીઝમાં સીધું રોકાણ કરી શકશે.આ યોજનાનો લાભ લેવા માટે કોઈપણ રોકાણકાર સરળતાથી ઓનલાઈન સરકારી સિક્યોરિટીઝ પર એકાઉન્ટ ખોલી શકે છે

નાના રોકાણકારોને રિર્ટનનો ભરોસો

આ પ્રસંગે સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આરબીઆઈની યોજનાએ હવે સુરક્ષિત રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ પૂરો પાડ્યો છે. દેશના એક મોટા વર્ગ માટે દેશની સંપત્તિના નિર્માણમાં સીધું રોકાણ કરવું સરળ બનશે. ભારતમાં નાના રોકાણકારોને સુરક્ષિત રોકાણ પર સારા વળતરની ખાતરી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, ટીમ આરબીઆઈ દેશની ભાવનાઓ પર ખરા ઉતરશે અને નાના રોકાણથી મોટી સફળતા મળશે. તેમણે કહ્યું કે વિકાસની દૃષ્ટિએ આ દાયકો ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે.

વડા પ્રધાને વધુમાં કહ્યું કે, આરબીઆઈએ સામાન્ય નાગરિકને ધ્યાનમાં રાખીને અનેક પગલાં લીધાં છે અને આજે શરૂ થયેલી બંને યોજનાઓ સીમાચિહ્નરૂપ સાબિત થશે. દેશમાં રોકાણનો વ્યાપ વિસ્તારવામાં આવશે. તેમણે કહ્યું કે નાના રોકાણકારોને રિટેલ ડાયરેક્ટ સ્કીમમાં રોકાણ કરવા માટે સલામત માર્ગ મળ્યો છે. તે જ સમયે, લોકપાલ યોજનાના બેંકિંગ ક્ષેત્રના ગ્રાહકોની દરેક ફરિયાદની સમસ્યાનું નિરાકરણ સમયસર અને કોઈપણ મુશ્કેલી વિના કરવામાં આવશે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
અનેક હજાર રૂપિયા સસ્તી થઇ ઇલેક્ટ્રિક સ્કૂટી, જાણો હવે કેટલા પૈસા આપવા પડશે?
અનેક હજાર રૂપિયા સસ્તી થઇ ઇલેક્ટ્રિક સ્કૂટી, જાણો હવે કેટલા પૈસા આપવા પડશે?
શું વાસણોમાં રહેલા ડિટર્જન્ટથી પણ કેન્સર થઈ શકે છે? જરૂર જાણી લો જવાબ
શું વાસણોમાં રહેલા ડિટર્જન્ટથી પણ કેન્સર થઈ શકે છે? જરૂર જાણી લો જવાબ
રાજકોટ મનપાની ઘોર બેદરકારી, ગટરના તૂટેલા ઢાંકણાથી બાઈક સ્લીપ થતા એકનું મોત
રાજકોટ મનપાની ઘોર બેદરકારી, ગટરના તૂટેલા ઢાંકણાથી બાઈક સ્લીપ થતા એકનું મોત
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
Embed widget