શોધખોળ કરો

Bhavnagar: નાયક અવતારમાં જોવા મળ્યા ભાવનગર કમિશનર, ગેરકાયદે દબાણો દૂર કરી બોલાવ્યો સપાટો

ભાવનગર: નાયક ફિલ્મની માફક ભાવનગર કમિશનર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખુદ હાજર રહીને ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવ્યું છે.

ભાવનગર: નાયક ફિલ્મની માફક ભાવનગર કમિશનર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખુદ હાજર રહીને ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવ્યું છે. દાયકાઓથી ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા હતા જેને એક ઝટકામાં હટાવી જાહેર જનતા માટે રોડ રસ્તા ખુલા કરી દેવામાં આવ્યા છે. કોઈની પણ શેહ શરમ વગર પોતાની ફરજ નિભાવતા મનપાના કમિશ્નર પબ્લીક માટે એક પ્રમાણિક અધિકારી બની ગયા છે.

મનમાં કામ કરવાનું દ્રઢ સંકલ્પ હોય તો કોઈ પણ કામ પોસિબલ હોય છે. આ સંકલ્પ સાથે ભાવનગર મનપાના કમિશનર એન.વી ઉપાધ્યાય દ્વારા ધડાધડ પબ્લિક માટે નિર્ણય લઈ રહ્યા છે. જેના કારણે તેઓ ભાવનગરના મોટાભાગના દબાણ હટાવી લેવામાં સફળ થયા છે. છેલ્લા 15 દિવસમાં શહેરમાં 200થી વધુ ગેરકાયદેસર દબાણો હટાવી લેવામાં આવ્યા છે. જોકે કમિશનર દ્વારા શહેરના રોડ રસ્તા પર રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા માટે 50થી વધુ ફરિયાદ દાખલ કરી તે રાજ્યમાં પ્રથમ વખત કહી શકાય છે. આ સાથે જ રખડતા ઢોરને પણ ઢોર ડબ્બે પુરી ત્રાસ દૂર કર્યો છે, ત્યારબાદ ગેરકાયદેસર દબાણોની ઝુંબેશ ચલાવવામાં આવી છે. જેમાં કમિશનર દ્વારા વહેલી સવારથી જ અધિકારીના કાફલા સાથે વિવિધ વિસ્તારોમાં પોચીને મનપાનું જીસીબી દબાણ હટાવી રહ્યું છે.

ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસ બંદોબસ્ત વગર સાંઢિયાવાડ જેવા વિસ્તારમાં એક દસકા કરતા વધું સમય બાદ ભાવનગર મહાનગરપાલિકા દબાણ હટાવાની ઝુંબેશ મોટાપાયે થયેલી જોવા મળી હતી. ભાવનગર શહેરમાં કમિશનર સવારે વહેલા 7 વાગે નીકળ્યાં હતાં અને લઘુમતી સમાજના સાંઢિયાવાડ વિસ્તારમાં ખુરશી નાખીને બપોર સુધી બેસીને અધધધ દબાણો હટાવ્યા હતાં. આ સાથે જ બોરતળાવ, નીલમબાગ, વાઘાવાડી રોડ, મેન બજાર, પીરછલા વિસ્તાર, સાંઢીયાવાડ સહિતના વિસ્તારમાં વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલા ગેરકાયદેસર દબાણોને તાકી દે હટાવી લેવામાં આવ્યા છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ હવે ખુલ્લા રોડ પર ચાલી શકશે. આ સાથે જ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જાહેર જનતાના હિત માટે કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ મનપાને ગેરકાયદેસર દબાણની જાણ કરશે તો તે દબાણ તાકીદે હટાવી લેવામાં આવશે મનપાના કમિશનર દ્વારા થઈ રહેલ કાર્યવાહીને લઈ ભાવનગર હવે દબાણ મુક્ત બનશે.

ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી કમિશનર વહેલી સવારમાં કોઈપણ એક વિસ્તારમાં વોકિંગમાં નીકળે છે. વોકિંગ દરમિયાન રસ્તા ઉપરની સફાઈ દબાણો અને રસ્તાઓ દરેક પ્રકારનું નિરીક્ષણ કરે છે. જે વિસ્તારમાં વોકિંગમાં હોય ત્યાં દબાણ, રસ્તા, સાફસફાઈનો પ્રશ્ન નજરે પડે એટલે સવારે 5, 6, 7 કોઈપણ કલાકે અધિકારીઓને એક કોલ કરીને બોલાવે છે, વિવિધ વિસ્તારોમાં સમગ્ર તંત્રને કામે લગાવે છે તેમણે ફાયર વિભાગ, જીઈબી વિભાગ, એસ્ટેટ વિભાગ તેમજ સોલીડ વેસ્ટ વિભાગ બોલાવીને આજે દબાણ, સાફ-સફાઈના કાર્યો હાથ ઉપર લીધા હતાં. આસપાસના દબાણકર્તાઓની અનેક રજૂઆત બાદ પણ કમિશનર ટસના મશ થયા નહીં દબાણ હટાવ કામગીરી ચાલી ત્યાં સુધી અધિકારીઓને સાથે રાખી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા અને સાફસફાઈ કરવામાં આવી હતી, દબાણ હટાવવા માટે 2 જેસીબી, 1 ક્રેઇન, 5 ટ્રક 7 ટ્રેકટર અને 30 થી 35 મહાનગરપાલિકાનો સ્ટાફ કામે લાગ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget