શોધખોળ કરો

Bhavnagar: ભાવનગર SOG એ બાતમીના આધારે નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો

એસઓજી પોલીસને બાતમી મળી હતી કે શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સીમાં મોટાપાયે કોડેઈન નામની કફ સીરપનો ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે.  

ભાવનગર: ભાવનગરમાંથી યુવાધનને બરબાદ કરતા કોડેઈન કફ સિરપનો જથ્થો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ભાવનગર શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી હોલસેલ ડીલરને ત્યાં ડોક્ટરની મંજૂરી વગર કફ સિરપની બોટલો વેચીને ગોરખધંધો ચલાવવામાં આવી રહ્યો હતો.  જોકે આ મેડિકલ એજન્સીથી માત્ર એક કિલોમીટરના અંતરે ભરતનગર પોલીસ સ્ટેશન આવેલું છે.  જે હવે શંકાના દાયરામાં ઘેરાયું છે.  કારણ કે શહેરમાં બેફામ કફ સિરપની બોટલોનું વેચાણ પોલીસના નાક નીચે વધી રહ્યું છે. 

ભાવનગર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સીમાં મોટાપાયે કોડેઈન નામની કફ સિરપનો ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે.  જોકે આ કફ સિરપની બોટલથી ભાવનગરના યુવાઓ નશાના રવાડે ચડ્યા છે તે પણ સત્ય છે. પરંતુ આ કફ સિરપની બોટલ યુવાનો માટે ઘાતક સાબિત થઈ રહી છે તે નકારી શકાય નહીં.  તાજેતરમાં ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં જેમકે આણંદ નગર વિસ્તાર, કુંભારવાડા વિસ્તાર, કરચલીયા પરા, આડોડિયા વાસ, ચિત્રા સહિતના પાન મસાલાની દુકાનો પર પણ આસાનીથી ઉપલબ્ધ થાય તેવી કોડેઈન કફ સિરપની બોટલનું મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે.  મેડિકલ શોપ અને દુકાનદારો માત્ર 150 રૂપિયાનું કમિશન મેળવવા માટે આ પ્રકારના નશાકારક કફ સિરપની બોટલ વેચીને યુવાધનને નશાના રવાડે ચડાવી રહ્યા છે. 

ભાવનગરના મેડિકલ એજન્સી સ્ટોર પરથી જે જથ્થો મળ્યો છે તેમાં ભાવનગર એસઓજી પોલીસ અને અમદાવાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.  એજન્સી શોપમાંથી કુલ 579 100 mlની કફ સિરપની બોટલો મળી આવી છે, જેમની કુલ કિંમત 86,850 થાય છે.  આ એજન્સી સ્ટોર પરથી દિલીપ ધોલેતર નામનો વ્યક્તિ છૂટકમાં કફ સીરપની બોટલો વેચીને ગોરખ ધંધો ચલાવતો હતો. હાલ પોલીસ દ્વારા કાર્યવાહી કરી આ મેડિકલ એજન્સી સ્ટોરને સીલ મારવામાં આવ્યો છે તેમજ આ વ્યક્તિની પણ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.  

હાલ તો ભાવનગર પોલીસ દ્વારા આ મેડિકલ સ્ટોરને સીલ મારી દેવામાં આવ્યું છે. આ નશાકારક સિરપ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ સમગ્ર કેસને લઈ ભાવનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
અમરેલીના પાયલ ગોટી લેટરકાંડમાં NHRCનો મોટો આદેશ,  7.50 લાખ રૂપિયા વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ
અમરેલીના પાયલ ગોટી લેટરકાંડમાં NHRCનો મોટો આદેશ,  7.50 લાખ રૂપિયા વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
અમરેલીના પાયલ ગોટી લેટરકાંડમાં NHRCનો મોટો આદેશ,  7.50 લાખ રૂપિયા વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ
અમરેલીના પાયલ ગોટી લેટરકાંડમાં NHRCનો મોટો આદેશ,  7.50 લાખ રૂપિયા વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ
Aadhaar Mobile Number Update: એપ પર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કેવી રીતો બદલશો? સરળ છે પ્રક્રિયા
Aadhaar Mobile Number Update: એપ પર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કેવી રીતો બદલશો? સરળ છે પ્રક્રિયા
Mehsana Firing Case: મહેસાણામાં ફાયરિંગને લઈને SPએ કરી કાર્યવાહી, બી ડિવીઝનના પીઆઈ એ.આર.પટેલની બદલી
Mehsana Firing Case: મહેસાણામાં ફાયરિંગને લઈને SPએ કરી કાર્યવાહી, બી ડિવીઝનના પીઆઈ એ.આર.પટેલની બદલી
Gold Silver Price Today: ચાંદી 5000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Gold Silver Price Today: ચાંદી 5000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Uber Layoffs: Uberએ 3300 કર્મચારીઓની કરી છટણી, વર્ક ફ્રોમ પર લગાવી રોક, AIમાં કરશે રોકાણ
Uber Layoffs: Uberએ 3300 કર્મચારીઓની કરી છટણી, વર્ક ફ્રોમ પર લગાવી રોક, AIમાં કરશે રોકાણ
Embed widget