શોધખોળ કરો

મોટી જાહેરાત : ભાવનગર શહેરમાં આવેલા ઐતિહાસિક વિક્ટોરિયા પાર્કનું નામ બદલવામાં આવશે, જાણો નવું નામ

Victoria Park Bhavnagar : ભાવનગર શહેરની વચ્ચે આવેલા ઐતિહાસિક અને વનવિસ્તાર વિક્ટોરિયા પાર્કનું નામ બદલવાની જાહેરાત કરવામાં આવી છે.

Bhavnagar : ભાવનગર શહેરની વચ્ચે આવેલા ઐતિહાસિક અને વનવિસ્તાર વિક્ટોરિયા પાર્કનું નામ બદલવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ જાહેરાત કરી છે. ભાવનગર શહેર વચ્ચે આવેલું વિક્ટોરિયા પાર્ક કે જે રાજવી પરિવારની દેણ છે જેનું નામ આગામી સમયમાં બદલવામાં આવશે. ઐતિહાસિક વિક્ટોરિયા પાર્કનું નામ બદલીને સ્વામી વિવેકાનંદ પાર્ક કરવામાં આવશે. આમ હવે વિવિધ સ્મારકોને દેશના ગૌરવવંતા ઇતિહાસ સાથે સંકળાયેલા લોકો સાથે જોડી સાચા અર્થમાં  આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 

ઇંગ્લેન્ડના મહારાણી એલેકઝાન્ડ્રીયા વિક્ટોરિયાના નામે નામકરણ થયું હતું 
એક રિપોર્ટ મુજબ મહારાજા તખ્તસિંહજીના સમયમાં ભારતમાં ઇંગ્લેન્ડના મહારાણી એલેકઝાન્ડ્રીયા વિક્ટોરિયાનું શાસન હતું અને તેમના જન્મોત્સવ 24 મેએ હતો આથી ભાવનગરના રાજવીએ 24 મે,1888ના રોજ સાંજના આ પાર્કને વિક્ટોરિયા પાર્ક નામકરણ કરી ખુલ્લો મુક્યો હતો. તે સમયે મોટા પર્વ જેવી રીતે આ ઉજવણી કરવામાં આવી હતી. 101 અશ્વસવારો અને દરબારી લશ્કરની કવાયતો યોજાઇ હતી.

જાણો વિક્ટોરિયા પાર્ક વિશે 
ભાવનગર શહેરમાં આવેલ વિક્ટોરીયા પાર્ક  આરક્ષિત શહેરી વન વિસ્તાર છે. આ વન વિસ્તાર 202 હેક્ટર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે.આ વન વિસ્તારની સ્થાપના 24 મે 1888ના રોજ ભાવનગર રજવાડાંનાં તત્કાલીન મહારાજા તખ્તસિંહજી જસવંતસિંહજી દ્વારા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં એક વન ભોજનશાળા અને બાળકો માટેનું રમતગમતનું ઉદ્યાન પણ આવેલ છે. વન ભોજનશાળાનું નામ મિસ્ત્રી હરીલાલ વન ભોજનશાળા છે. આ પાર્કની અંદર કૃષ્ણકુંજ તળાવ આવેલું છે. જેમાં વચ્ચે એક ટાપુ પર અનેક પ્રકારના બગલા, ચમચા અને જળકાગડા પ્રકારના પક્ષીઓના માળાની વસાહત બને છે. કૃષ્ણકુંજ તળાવની પશ્ચિમ દિશામાં બકી હીલ તરીકે ઓળખાતી ટેકરી આવેલી છે, જેના ઉપરથી આખા વિક્ટોરીયા પાર્ક, કૃષ્ણકુંજ તળાવ અને ગૌરીશંકર તળાવનું અવલોકન શક્ય છે.

241 પ્રકારની વનૌષધિઓ અને 69 પ્રકારનાં વૃક્ષો 
વિક્ટોરિયા પાર્કમાં 241 પ્રકારની વનૌષધિઓ અને 69 પ્રકારનાં વૃક્ષો આવેલા છે, જેમાં અરડૂસો, અરીઠા, અર્જુન, આપ્ટો, આમલી, આમળા, આસોપાલવ, આંબો, ઈંગોરીયો, ઉમરો સહીત અનેક વૃક્ષો આવેલા છે. આ પાર્કમાં 166 પ્રકારના પક્ષીઓ અને 13 પ્રકારનાં સાપ પણ જોવા મળે છે. સાથે અનેક જીવ સૃષ્ટિનું કાયમી વસવાટ છે. 

 




વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે 50 ગેરકાયદેસર પ્રવાસીઓની કરી અટકાયત, 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા
Ahmedabad: અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે 50 ગેરકાયદેસર પ્રવાસીઓની કરી અટકાયત, 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા
Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime: સામાન્ય બોલાચાલીમાં યુવકી હથિયારથી કરાઈ હત્યા, જાણો શું છે મામલો?Mahakumbh 2025: મહાકુંભમાં મહાસ્નાન | Watch VideoUK News:ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર તવાઈ, 19 હજારથી વધુ માઈગ્રન્ટને કરાયા ડિપોર્ટ | Abp AsmitaDwarka Congress News:ભાણવડમાં કોંગ્રેસમાં ભંગાણ, આ દિગ્ગજ ઉમેદવારે આપ્યો ભાજપને ટેકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે 50 ગેરકાયદેસર પ્રવાસીઓની કરી અટકાયત, 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા
Ahmedabad: અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે 50 ગેરકાયદેસર પ્રવાસીઓની કરી અટકાયત, 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા
Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
ધોરાજીમાં પાલિકાની ચૂંટણીના પ્રચાર માટે સરકારી વાહનનો કરાયો ઉપયોગ, વીડિયો વાયરલ
ધોરાજીમાં પાલિકાની ચૂંટણીના પ્રચાર માટે સરકારી વાહનનો કરાયો ઉપયોગ, વીડિયો વાયરલ
Kidney Damage Causes: કિડની ખરાબ હોવા પર રાત્રે શરીરમાં જોવા મળે છે આ લક્ષણો
Kidney Damage Causes: કિડની ખરાબ હોવા પર રાત્રે શરીરમાં જોવા મળે છે આ લક્ષણો
ગાઝાને લઇને   ઈજિપ્ત-જોર્ડને ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ નકારી કાઢ્યો, હવે અમેરિકા શું કરશે?
ગાઝાને લઇને ઈજિપ્ત-જોર્ડને ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ નકારી કાઢ્યો, હવે અમેરિકા શું કરશે?
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Embed widget