શોધખોળ કરો

મોરારિબાપુના ગામ તલગાજરડામાં સ્વામિનારાયણ સંતોનો વિરોધ: ગ્રામજનોએ કહ્યું - ‘જેઓ સનાતન ધર્મને નીચો બતાવે તેને....’

Talgajarda protest news: હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધના ભાષણોને લઇને ગ્રામજનો ઉશ્કેરાયા, સંતોને 'અમારા ગામમાં પ્રવેશ નહીં' કહીને પાછા મોકલ્યા.

  • મોરારિબાપુના વતન તલગાજરડા ગામમાં સ્વામિનારાયણ સંતોને ગ્રામજનોના વિરોધનો સામનો કરવો પડ્યો. 
  • સંતો એક 'ઘર સભા' માટે ગામમાં આવ્યા હતા, પરંતુ ગ્રામજનોએ તેમને સ્પષ્ટપણે કહ્યું કે "અમારા ગામમાં તમારે આવવાનું જ નહીં" અને તેમને પાછા ફરવાની ફરજ પડી.
  • આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં ગ્રામજનો સનાતન ધર્મને સર્વોપરી ગણાવી રહ્યા છે અને અન્ય કોઈ ધર્મના અપમાનનો વિરોધ કરી રહ્યા છે.

Swaminarayan saints blocked: મોરારિબાપુના વતન તલગાજરડા ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ગ્રામજનોના વિરોધનો સામનો કરવો પડ્યો. ગ્રામજનોએ તેમને ગામમાં પ્રવેશતા અટકાવ્યા અને રોકડું પરખાવ્યું કે જેઓ સનાતન ધર્મને નીચો બતાવે છે, તેમને ગામમાં પ્રવેશ મળશે નહીં. સંતો એક 'ઘર સભા' માટે ગામમાં પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિક લોકોએ તેમને અટકાવીને આખી ઘટનાનો વિડીયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિવાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ કરવામાં આવેલા કથિત નિવેદનોને કારણે ઊભો થયો છે.

ગામલોકો અને સંતો વચ્ચેની વાતચીત

મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ગ્રામજનો વચ્ચેની તંગ વાતચીતનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો આશરે 3 દિવસ જૂનો હોવાનું અનુમાન છે. સંતો એક ધાર્મિક સભા માટે ગામમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે ગામના સરપંચ સહિતના લોકોએ તેમને રોક્યા હતા. ગ્રામજનોએ સંતોને સ્પષ્ટપણે કહ્યું કે, 'તમારું ભાષણ અમને પસંદ નથી' અને 'અમારા ગામમાં તમારે આવવાનું જ નહીં.' તેમણે સંતોને તેમના ભક્તોને મંદિરમાં બોલાવવાની સલાહ પણ આપી. આ વિરોધ બાદ સંતોને પાછા ફરવાની ફરજ પડી હતી.

વિરોધનું મુખ્ય કારણ: સનાતન ધર્મનું અપમાન

સ્થાનિક ગ્રામજનોની મુખ્ય દલીલ એ છે કે તલગાજરડા એ સનાતન ધર્મનું ગામ છે, અને તેઓ કોઈ પણ સંપ્રદાયને પોતાના ધર્મનો પ્રચાર કરવા માટે આવકારી શકે છે, પરંતુ તે પ્રચાર અન્ય કોઈ ધર્મને નીચો દેખાડવાના ભોગે ન થવો જોઈએ. ગ્રામજનોએ સંતો પર હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ બોલવાનો આરોપ મૂક્યો, જેનાથી તેમની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે.

ગામલોકોએ ભારપૂર્વક કહ્યું કે સનાતન ધર્મ તેમના માટે સર્વોપરી છે. આ ગામમાં મોરારિબાપુ જેવા મહાન ધર્મગુરુનું વતન હોવાથી પણ આ ઘટનાનું મહત્ત્વ વધી જાય છે. ગ્રામજનોનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિ કે સંપ્રદાયને કોઈ અન્ય ધર્મનું અપમાન કરવાનો અધિકાર નથી, અને આ કારણોસર જ તેમને ગામમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. આ ઘટના ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના અનુયાયીઓ વચ્ચેના વિવાદને સપાટી પર લાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
Advertisement

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
Embed widget