શોધખોળ કરો

Bhavnagar dummy candidate case: ડમીકાંડના મુખ્ય આરોપી રમણિક જાનીની કરાઈ ધરપકડ, નવ મહિનાથી હતો ફરાર

રમણિક જાનીની ધરપકડ થતા આગામી દિવસોમાં નવા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે

ભાવનગરઃ ગુજરાતના સૌથી મોટા વ્યાપક ડમી ઉમેદવાર કાંડમાં મુખ્ય આરોપી  રમણિક જાનીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત રમણિક જાની ઉપર ભૂતકાળમાં પણ સરકારી નોકરીની લાલચ આપી ખોટા નિમંણૂક પત્ર બનાવી લોકો સાથે છેતરપિંડી કરવાની ભરતનગરમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

ભરતનગર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ બાદ રમણિક જાની છેલ્લા 9 મહિનાથી ફરાર હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્ક્વોર્ડ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રમણિક જાની મૂળ સિહોર તાલુકાના રબારીકા ગામનો રહેવાસી છે. રમણિક જાનીની ધરપકડ થતા આગામી દિવસોમાં નવા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે.

Bhavnagar: પ્રાથમિક શાળામાં લાખો રુપિયાનું કૌભાંડ,જવાબ અધિકારીઓ સામે કાર્યવાહી ન થતા ઉઠ્યા સવાલો

ભાવનગર: અનેક કૌભાંડોમાં ઘેરાયેલા ભાવનગરમાં હવે એક નવું સરકારી શાળાનું લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે. વાત પાલીતાણા તાલુકાની છે કે જ્યાં 10 થી વધુ પ્રાથમિક શાળામાં સરકારની વિવિધ યોજનામાં સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત આપવામાં આવતી ગ્રાન્ટમાં લાખો રૂપિયાની ઉચાપત બહાર આવી છે. 2018 થી 2020 દરમિયાન કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સરકારી તપાસમાં બહાર આવ્યું છે. આમ છતાં પણ સરકારના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઇ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

સરકાર શાળાઓને અપગ્રેડ અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ સુવિધા પૂરી પાડી શકે તે માટે વિવિધ યોજના અંતર્ગત ગ્રાન્ટ આપતી હોય છે જેમાં પાલીતાણા તાલુકામાં આવેલી અનેક ગ્રામ્ય કક્ષાની શાળામાં સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી. પરંતુ આ ગ્રાન્ટનો સદુપયોગ ના બદલે બારોબાર લાખો રૂપિયા ખવાઈ ચૂક્યા છે. જોકે આ સમગ્ર નેટવર્ક બહાર લાવનાર પણ પાલીતાણા તાલુકાના સરકારી શાળાના આચાર્ય છે જેમને સરકારને પત્ર લખીને આ બાબતે જાણ કરીને આ કૌભાંડને ઉજાગર કર્યું છે. 

જેમાં ગંભીર આક્ષેપો લગાવતા આચાર્યએ જણાવ્યું હતું કે પાલીતાણા તાલુકાની 18 પ્રાથમિક શાળા એવી છે કે જ્યાં સરકારની ગ્રાન્ટ એસટીપી વર્ગ, સીઝનલ હોસ્ટેલ અને ટ્રાન્સપોર્ટેશનની યોજનાના નામે વાપરવાના હતા પરંતુ આ ગ્રાન્ટમાંથી લાખો રૂપિયા બારોબાર ખવાય ગયા છે. જે સરકારના તપાસમાં પણ ખુલી ચૂક્યું છે આમ છતાં ભાવનગરના અધિકારીના પેટનું પાણી પણ હલતું નથી. જોકે સરકારના રૂપિયાની ઉચાપદ બહાર આવ્યા બાદ ભાવનગરના ડીડીઓ દ્વારા ફરિયાદ કરવાના બદલે એક પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

પાલીતાણા તાલુકાની 18 શાળામાં કૌભાંડ થયા હોવાની માહિતી સરકારી શાળાના આચાર્ય દ્વારા આપવામાં આવી હતી પરંતુ તેમાં ત્રણ વર્ષની તપાસમાં માત્ર દસ શાળાની તપાસ કરવામાં આવી છે. આ તપાસ ભાવનગરના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી હતી જેનો રિપોર્ટ પણ ગાંધીનગર સુપ્રત કરવામાં આવ્યો છે. જેમાં પાલીતાણા તાલુકાની વીરપુર પ્રાથમિક શાળા,સગાપરા પ્રા શાળા,લુવારવાવ પ્રા શાળા,ઝવેરચંદ મેઘાણી પ્રા શાળા, સ્વામી વિવેકાનંદ પ્રા શાળા, જામવાળી-1 પ્રા શાળા, આદપુર પ્રા શાળા, જાળિયા કેન્દ્રવર્તી શાળા, દુધાળા પ્રા શાળા, કુંભણ કેન્દ્રવર્તી શાળા માં સરકારી ગ્રાન્ટ નો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું સરકારી તપાસ ના રિપોર્ટ માં ખુલાસો કરવામાં આવ્યો છે આ કૌભાંડમાં તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં થતા ભ્રસ્ટાચારમાં સરકારી શાળા ના આચાર્ય, ક્લસ્ટર ના સી.આર.સી, તાલુકાના બી.આર.સી તેમજ શાળા એસ.એમ.સી ની કમિટી ભ્રસ્ટાચારમાં શામીલ હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
Embed widget