શોધખોળ કરો

મુંબઇ એરપોર્ટના બંને રનવે કાલે રહેશે બંધ, ફ્લાઇટના શિડ્યુઅલમાં થયા ફેરફાર

મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) 7 મેના રોજ સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પ્રિમોનસૂન મેન્ટન્સના કારણે સંપૂર્ણપણે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવશે.

મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) 7 મેના રોજ સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચોમાસા પહેલાના મેઇન્ટેનન્સ માટે સંપૂર્ણપણે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવશે. એરપોર્ટ મેનેજમેન્ટે મુસાફરોને અસુવિધા ટાળવા માટે તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા અને તેમની એરલાઇન્સનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. 

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) પર ગુરુવારે (7 મે) ફ્લાઇટ કામગીરી સંપૂર્ણપણે બંઘ ત કરવામાં આવશે. આ સવારે 11:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ સમય દરમિયાન કોઈ ફ્લાઇટ ટેઇક ઓફ કે લેન્ડ  કરશે નહીં. એન્યુઅલ પ્રિમોનસૂન મેઇન્ટેન્સના ભાગ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એરપોર્ટ મેનેજમેન્ટ કંપની મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) મુજબ, એરપોર્ટને બંધ કરવાની યોજના ઘણાં પહેલાંથી બનાવવામાં આવી હતી. આશરે છ મહિના પહેલાં જ એરલાઇન્સ અને વિમાનન અધિકારીઓ સાથે સંકલન કરીને મોટાભાગની ફ્લાઇટ્સના સમયપત્રકમાં પહેલેથી જ ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી મુસાફરોને ઓછામાં ઓછી અસુવિધા થાય.

આ પણ વાંચો:US-Iran War: હવે હોર્મુંઝમાં જહાજોને સુરક્ષા નહીં આપે અમેરિકા, 'પ્રોજેક્ટ ફ્રિડમ' બંધ

બંને રનવે સવારે 11  થી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે
અહેવાલો અનુસાર, મુંબઈ એરપોર્ટ વહીવટીતંત્રે જાહેરાત કરી છે કે મુંબઈના બંને રનવે 7 મેના રોજ સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ન્યુઅલ પ્રિમોનસૂન મેઇન્ટેન્સના ભાગ રૂપે બંધ રહેશે. એરપોર્ટ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, આ સમય દરમિયાન કોઈ ફ્લાઇટ ઉડાન કે ઉતરાણ કરશે નહીં. અધિકારીઓએ મુસાફરોને અસુવિધા ટાળવા માટે ફ્લાઇટનું સમયપત્રક અને સ્થિતિ અગાઉથી તપાસવા અનુરોધ કર્યો  છે.

રનવે અને એરસાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિરીક્ષણ
જાળવણી કાર્ય દરમિયાન, રનવે અને એરસાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવશે. મુંબઈમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને ધ્યાનમાં રાખીને આ જરૂરી પગલું લેવામાં આવ્યું છે, જેથી ચોમાસા દરમિયાન ફ્લાઇટ સલામતી અને કામગીરીમાં વિક્ષેપ ન પડે.

ફ્લાઇટ શેડ્યૂલમાં ફેરફાર
જોકે અગાઉથી તૈયારીઓ કરવામાં આવી છે, છ કલાકના સમયગાળા દરમિયાન મુસાફરી કરતા મુસાફરોને ફ્લાઇટ રદ કરવા, વિલંબ કરવા અથવા રૂટ બદલવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કેટલીક ફ્લાઇટ્સ નજીકના એરપોર્ટ જેવા કે પુણે, અમદાવાદ અથવા ગોવા તરફ ડાયવર્ટ કરવામાં આવી શકે છે, જ્યારે લાંબા અંતરની ફ્લાઇટ્સ દિલ્હી, બેંગલુરુ અથવા ચેન્નાઈ જેવા મુખ્ય એરપોર્ટ દ્વારા ફરીથી રૂટ કરવામાં આવી શકે છે.

પ્રવાસીઓની સલાહ
એરપોર્ટ વહીવટીતંત્રે મુસાફરોને એરપોર્ટ માટે રવાના થતા પહેલા એરલાઇન સાથે અથવા સત્તાવાર CSMIA વેબસાઇટ પર તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપી છે. સવારે 11 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી ફ્લાઇટ્સ ધરાવતા મુસાફરોને વધારાનો સમય આપવાની સલાહ આપવામાં આવે છે કારણ કે બેકલોગને કારણે વિલંબ થઈ શકે છે. જે મુસાફરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અથવા રીશેડ્યૂલ કરવામાં આવી છે તેમને રિબુકિંગ અથવા રિફંડ વિકલ્પો માટે તેમની સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી એરપોર્ટ પર મોટી પ્લેન દુર્ઘટના ટળી, લેન્ડિંગની થોડી ક્ષણ પહેલા એન્જિનમાં લાગી આગ
દિલ્હી એરપોર્ટ પર મોટી પ્લેન દુર્ઘટના ટળી, લેન્ડિંગની થોડી ક્ષણ પહેલા એન્જિનમાં લાગી આગ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
Gold Silver Price: 5000 રુપિયા મોંઘી થઈ ચાંદી, સોનાના ભાવ પણ વધ્યા, ચેક કરો લેટેસ્ટ કિંમત
Gold Silver Price: 5000 રુપિયા મોંઘી થઈ ચાંદી, સોનાના ભાવ પણ વધ્યા, ચેક કરો લેટેસ્ટ કિંમત
PNB માં જમા કરો ₹1,50,000 અને મેળવો ₹1,07,254 નું ફિક્સ વ્યાજ, ખાતામાં આવશે કુલ ₹2,57,254
PNB માં જમા કરો ₹1,50,000 અને મેળવો ₹1,07,254 નું ફિક્સ વ્યાજ, ખાતામાં આવશે કુલ ₹2,57,254
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બદલાશે મોસમનો મિજાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીકાસમાં રકાસ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડ્રાયફ્રુટ ગોળા બીમાર પાડશે
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ
One Nation One Election : ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે JPC અધ્યક્ષનું મોટું નિવેદન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
દિલ્હી એરપોર્ટ પર મોટી પ્લેન દુર્ઘટના ટળી, લેન્ડિંગની થોડી ક્ષણ પહેલા એન્જિનમાં લાગી આગ
દિલ્હી એરપોર્ટ પર મોટી પ્લેન દુર્ઘટના ટળી, લેન્ડિંગની થોડી ક્ષણ પહેલા એન્જિનમાં લાગી આગ
GT vs CSK: અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની 89 રને જીત, IPL 2026 માં CSK પ્લેઓફમાંથી બહાર
GT vs CSK: અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની 89 રને જીત, IPL 2026 માં CSK પ્લેઓફમાંથી બહાર
Gujarat Rain: આકરા તાપ વચ્ચે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે 
Gujarat Rain: આકરા તાપ વચ્ચે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે 
Gold Silver Price: 5000 રુપિયા મોંઘી થઈ ચાંદી, સોનાના ભાવ પણ વધ્યા, ચેક કરો લેટેસ્ટ કિંમત
Gold Silver Price: 5000 રુપિયા મોંઘી થઈ ચાંદી, સોનાના ભાવ પણ વધ્યા, ચેક કરો લેટેસ્ટ કિંમત
શુભમન ગિલે CSK સામે રચ્યો ઈતિહાસ, ટી20 માં કોહલીનો રેકોર્ડ તોડાવાથી ચૂક્યો 
શુભમન ગિલે CSK સામે રચ્યો ઈતિહાસ, ટી20 માં કોહલીનો રેકોર્ડ તોડાવાથી ચૂક્યો 
8th Pay Commission: સરકારી કર્મચારીઓને બખ્ખા! ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે પગાર, જાણો પગારના 7 અપડેટ 
8th Pay Commission: સરકારી કર્મચારીઓને બખ્ખા! ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે પગાર, જાણો પગારના 7 અપડેટ 
પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન POK માં ઠાર, અજાણ્યા લોકોએ મારી ગોળી
પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન POK માં ઠાર, અજાણ્યા લોકોએ મારી ગોળી
Embed widget