![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
2000 Rupee Note: 2000ની નોટ જમા કરાવવાનો પ્રથમ દિવસ કેવો રહ્યો, જાણો લોકોને શું થઈ મુશ્કેલી ?
2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની ઝુંબેશ આજે 23 મે 2023થી શરૂ થઈ ગઈ છે.
![2000 Rupee Note: 2000ની નોટ જમા કરાવવાનો પ્રથમ દિવસ કેવો રહ્યો, જાણો લોકોને શું થઈ મુશ્કેલી ? 2000 rupee note depositing first day witness confusion chaos banks demand proof pressurize to deposit in accounts 2000 Rupee Note: 2000ની નોટ જમા કરાવવાનો પ્રથમ દિવસ કેવો રહ્યો, જાણો લોકોને શું થઈ મુશ્કેલી ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/2dc96eb6426d58b06c11d6dea2af5b7a168484560230478_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
2000 Rupee Note: 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની ઝુંબેશ આજે 23 મે 2023થી શરૂ થઈ ગઈ છે. પરંતુ એનસીઆરમાં પહેલા દિવસે અરાજકતાનો માહોલ જોવા મળ્યો છે. નોટો જમા કરાવનાર કે બદલી આપનાર લોકોમાં સમગ્ર પ્રક્રિયા અંગે મૂંઝવણ રહી હતી. 2000 રૂપિયાની નોટો બદલવા બેંક પહોંચેલા લોકોએ ફરિયાદ કરી હતી કે નોટો બદલવાને બદલે બેંકો તેમના ખાતામાં જમા કરાવવા માટે દબાણ કરી રહી છે. કેટલાક લોકોએ કહ્યું કે બેંકમાં નોટ જમા કરાવતી વખતે તેઓ ઓળખ કાર્ડ પણ માંગે છે જ્યારે મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આની કોઈ જરૂર નથી.
જો કે સવારે દિલ્હી એનસીઆરમાં કોમર્શિયલ બેંકોની શાખાઓમાં વધારે ભીડ જોવા મળી ન હતી, પરંતુ બાદમાં લાંબી કતારો જોવા મળી હતી. આ દરમિયાન ખાસ કરીને વૃદ્ધ નાગરિકોમાં ચિંતા જોવા મળી હતી. દિલ્હીમાં આકરી ગરમીએ સ્થિતિ વધુ ખરાબ કરી દીધી છે. ખાસ કરીને વૃદ્ધો પરેશાન થયા હતા અને કલાકો સુધી રાહ જોવાની ફરિયાદ કરી હતી. ઘણા ગ્રાહકોએ બેંકોની સુવિધાઓ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
પંજાબ નેશનલ બેંકની લાજપતનગર શાખામાં લોકો અને કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. લાઈનમાં ઉભેલી શિવાની ગુપ્તાએ કહ્યું કે બેંક અધિકારીઓએ આનાથી થતી ભારે અસુવિધાનો પહેલેથી જ અંદાજો લગાવી લેવો જોઈતો હતો. આ કાળઝાળ ગરમીમાં ઉભા રહેવું આપણને ભારે પડી રહ્યું છે, ખાસ કરીને વૃદ્ધોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક નિવૃત્ત સરકારી કર્મચારી રાજેન્દ્ર સિંહે જણાવ્યું કે, કેટલાક લોકોને નોટો બદલવાને બદલે તેમના ખાતામાં જમા કરાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. જેનાથી લોકો છેતરાયાનો અહેસાસ કરી રહ્યા છે. કતારમાં ઉભેલા અન્ય ગ્રાહકોએ કહ્યું કે બેંકોએ આ પરિસ્થિતિ માટે વધુ સારી તૈયારી કરવી જોઈતી હતી. તેમને રૂ 2,000ની નોટો જમા કરાવવા માટે કહેવાને બદલે તેમને બદલી આપવાની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈતી હતી.
પાર્લામેન્ટ સ્ટ્રીટ પર આરબીઆઈ બિલ્ડિંગની બહાર તૈનાત એક સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું હતું કે લગભગ 25 લોકો અત્યાર સુધી તેમની રૂ. 2,000ની નોટો બદલવા માટે આવ્યા છે. અહીં વ્યવસ્થા સુચારૂ રીતે ચાલી રહી છે. પેટ્રોલ પંપ પર 2000 રૂપિયાની નોટનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)