શોધખોળ કરો

Yes Bank પર આરબીઆઈના નિર્ણય બાદ તમારા મનમાં ઉઠી રહેલા દરેક સવાલના જવાબ

બેંક પર દેવાનો ભાર વધતો જઈ રહ્યો હતો અને બેંકનો સ્ટોક સતત નબળો પડી રહ્યો હતો. ગ્રાહકોને પોતાના રૂપિયાની ચિંતા સતાવી રહી હતી.

નવી દિલ્હી: રિઝર્વ બેન્કે ગુરુવારે મોડી સાંજે સંકટમાં ફસાયેલી ખાનગી ક્ષેત્રની યસ બેન્ક પર કલમ 36એસી હેઠળ પ્રતિબંધ મૂકીને નાણાં ઉપાડની મર્યાદા 50 હજારની જ કરી છે. બેન્કના કોઈ પણ ખાતેદાર હવે 50 હજારની રકમ જ ઉપાડી શકશે. રિઝર્વ બેન્કે બેન્કનું બોર્ડ ઓફ ડાયરેક્ટર પણ ભંગ કરી દીધું છે. એસબીઆઈના માજી સીએફઓ પ્રશાંતકુમારને બેન્કના વહીવટદાર બનાવ્યા છે. યસ બેન્કને જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન 629 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. બેન્કે ડિસેમ્બર અંતે પૂરા થયેલા ત્રિમાસિક પરિણામો ટાળીને કહ્યું હતું કે 14 માર્ચ સુધીમાં પરિણામો જાહેર થશે. બેન્ક છેલ્લા એક વર્ષથી મુશ્કેલીમાં ફસાયેલી છે. 50 હજાર રૂપિયા સુધીની રકમનો પ્રતિબંધ 3 એપ્રિલ સુધી અમલમાં રહેશે. 16 વર્ષ જૂની યસ બેન્ક પાસે એનપીએ વધુ હોવાથી રોકડ નાણાંની તંગી ઊભી થઈ છે. બેન્કના પ્રમોટરનું હોલ્ડિંગ 8.33 ટકા છે. યસ બેન્કના ખાતેદાર એક મહિનામાં 50 હજાર સુધીનો જ રોકડ ઉપાડ કરી શકશે. એટીએમ કે ઓનલાઈન વ્યવહાર પણ કરી શકશે નહીં, એટલું જ નહીં જે તે બ્રાન્ચ 50 હજાર રૂપિયા એક સામટા આપશે કે કેમ એ વિશે પણ શંકા છે. બેન્ક રોકડ તંગીના સંકટથી ઝઝૂમતી હોવાથી આટલી રોકડ લાવવી મુશ્કેલ હશે. Yes Bank પર આરબીઆઈના નિર્ણય બાદ તમારા મનમાં ઉઠી રહેલા દરેક સવાલના જવાબ આરબીઆઈએ કેમ લીધો આ નિર્ણય? આરબીએએ આ નિર્ણય એટલા માટે લીધો જેથી બેકંની નાણાંકીય હાલત સુધારી શકાય. ખાતા ધારકોના રૂપિયા ડૂબવાથી બચાવી શકાય. આરબીઆઈએ ગ્રાહકો અને બેંકની મદદ માટે એટલા માટે આવવું પડ્યું કારણ કે 2004માં શરૂ થયેલ યસ બેંકની આર્થિક સ્થિતિ ઠીક ન હતી. બેન્ક આખા દેશમાં લગભગ 1 હજાર જેટલી શાખા ધરાવે છે. 1800 જેટલા ATM છે. બેન્કની સ્થાપના રાણા કપૂર અને તેમના ભાઈએ કરી હતી. પરંતુ રાણા કપૂરના ભાઈના અવસાન પછી કૌટુંબિક વિખવાદ થયો હતો. બેંક ક્યારથી ગોટાળા કરી રહી હતી? બેંક પર દેવાનો ભાર વધતો જઈ રહ્યો હતો અને બેંકનો સ્ટોક સતત નબળો પડી રહ્યો હતો. ગ્રાહકોને પોતાના રૂપિયાની ચિંતા સતાવી રહી હતી. 2018થી આરબીઆઈને લાગી રહ્યું હતું કે બેંક પોતાની એનપીએ અને બેલેન્સશીટમાં ગોટાળો છે. ત્યાર બાદ આરબીઆઈના  દબાણમાં યસ બેંકના ચેરમેન રાણા કપૂરને પદ છોડવું પડ્યું. યસ બેંકને લઈને હવે આગળ શું થશે? YESની કમાન પોતાના હાથમાં લીધા બાદ આરબીઆઈએ નોટિફિકેશન જારી કર્યું છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ખાતાધારકોએ ગભરાવાની જરૂરત નથી. ટૂંકમાં જ બેંક માટે રીસ્ટ્રક્ચરિંગ પ્લાન રજૂ કરવામાં આવશે અને ગ્રાહકોના રૂપિયા સુરક્ષિત કરવામાં આવશે. બીજી બાજુ યસ બેંકન નાણાંકીય સંકટમાંથી બહાર કાઢવા માટે એસબીઆઈ આગળ આવી શકે છે. એસબીઆઈએ યસ બેંકમાં રોકાણને મંજૂરી આપી દીધી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Embed widget