![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ક્રૂ મેમ્બર્સે વધારી એર ઇન્ડિયા એક્સપ્રેસની મુશ્કેલીઓ, 70 ફ્લાઇટ્સ કરવી પડી કેન્સલ
જો તમે પણ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈન્સની ફ્લાઈટ ટિકિટ બુક કરાવી હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે
![ક્રૂ મેમ્બર્સે વધારી એર ઇન્ડિયા એક્સપ્રેસની મુશ્કેલીઓ, 70 ફ્લાઇટ્સ કરવી પડી કેન્સલ Air India Express Cancels 70 Flight As Senior Crew Members Take Mass Sick Leaves ક્રૂ મેમ્બર્સે વધારી એર ઇન્ડિયા એક્સપ્રેસની મુશ્કેલીઓ, 70 ફ્લાઇટ્સ કરવી પડી કેન્સલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/07/b748ff7f03ffffb46e3e184622145ec21709790229671426_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
એર ઈન્ડિયા એક્સપ્રેસની 70 થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. વાસ્તવમાં એરલાઇન્સના ઘણા સભ્યો માસ સિક લિવ પર ગયા છે, જેના કારણે કંપનીએ આ પગલું ભરવું પડ્યું છે.
More than 70 international and domestic flights of Air India Express from Tuesday night till Wednesday morning have been cancelled after the senior crew member of the airline went on mass 'sick leave'. Civil Aviation authorities are looking into the issue: Aviation Sources
— ANI (@ANI) May 8, 2024
સૂત્રોએ જણાવ્યું હતું કે ટાટા ગ્રુપની માલિકીની એરલાઇનમાં કથિત ગેરવહીવટના વિરોધમાં ઘણા ક્રૂ સભ્યો સીક લીવ પર ઉતરી ગયા છે. સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે સોમવારે સાંજથી ઘણા ક્રૂ સભ્યોએ સીક લીવની સૂચના આપવાની શરૂઆત કરી હતી અને ક્રૂ મેમ્બર્સની અપૂરતી સંખ્યાને કારણે કોચ્ચિ, કાલિકટ અને બેંગલુરુ સહિત અનેક એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
એર ઈન્ડિયા એક્સપ્રેસ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ક્રૂ મેમ્બર્સના સીક લીવના રિપોર્ટ બાદ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની આટલી મોટી સંખ્યામાં ક્રૂ મેમ્બર્સના બીમાર હોવાની જાણ કરવા પાછળના કારણોને સમજવા માટે તેમનો સંપર્ક કરી રહી છે અને ટીમ આ મુદ્દાનું સમાધાન કરી રહી છે
એર ઈન્ડિયા એક્સપ્રેસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, 'અમારા કેબિન ક્રૂના એક વિભાગે ગઈકાલે રાતથી માસ સીક લીવ પર જવાની જાણ કરી હતી.જેના પરિણામે ફ્લાઈટ વિલંબ અને રદ થઈ છે. જ્યારે અમે આ ઘટનાઓ પાછળના કારણોને સમજવા માટે ક્રૂના સંપર્કમાં છીએ ત્યારે અમારી ટીમો મુસાફરોને કોઈપણ અસુવિધા ઘટાડવા માટે સક્રિયપણે આ મુદ્દાનો હલ કરી રહી છે.
એરલાઈને કહ્યું હતું કે "અમે અમારા મુસાફરોની નિષ્ઠાપૂર્વક માફી માંગીએ છીએ. જેઓ પ્રભાવિત થયા છે તેમને સંપૂર્ણ રિફંડ અથવા બીજા દિવસની ટિકિટ આપવામાં આવશે." અમારા મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઈટને અસર થઈ છે કે કેમ તે તપાસી લે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)