શોધખોળ કરો

Bank Results: NPA ઘટવાથી SBI ને રેકોર્ડ 9114 કરોડનો ફાયદો, BOB ને પણ થયો ફાયદો

SBI Results: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને નાણાંકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિકગાળામાં રૂ. 9113 કરોડનો નફો થયો છે.

Bank Results: ભારત દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને નાણાંકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિકગાળામાં રૂ. 9113 કરોડનો નફો થયો છે. અંતિમ ત્રિમાસિકગાળામાં બેંકનો નફો વાર્ષિક ધોરણે 41% વધ્યો છે. એનપીએ 4.98 ટકાથી ઘટીને 3.97 ટકા થઈ છે. એનપીએ પણ 1.5 ટકાથી ઘટીને 1.02 ટકા થઈ છે. બેંકે 7.10 રૂપિયા પ્રતિ શેર ડિવિન્ડ પણ જાહેર કર્યુ છે.

“પરિણામોની સાથે બેંકના બોર્ડે 13મી મે, 2022ના રોજ યોજાયેલી બેઠકમાં 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે ઈક્વિટી શેર દીઠ રૂ. 7.10 (710 ટકા)નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ડિવિડન્ડની ચુકવણીની તારીખ 10 જૂન, 2022 નક્કી કરવામાં આવી છે "તેમ એસબીઆઈએ એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું.

બેન્કે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 6451 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.બેંકની વ્યાજની ચોખ્ખી આવક (NII)માં નોંધપાત્ર વૃદ્ધિને પગલે બોટમલાઈનને સપોર્ટ કર્યો છે.

દેશની સૌથી મોટી બેંકની વ્યાજની આવક અને જાવક વચ્ચેનો તફાવત NII જાન્યુઆરી-માર્ચ કવાર્ટર દરમિયાન 15.26 ટકા વધીને રૂ. 31,198 કરોડ થઈ છે, જે Q4FY21માં રૂ. 27,067 કરોડ હતી. ત્રિમાસિક ધોરણે બેંકની વ્યાજની આવક રૂ. 30,687 કરોડથી 1.6 ટકા વધી છે. બેંકના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 29 બેસિસ પોઈન્ટ વધીને 3.40% થયા છે.

જોકે બેંકનો નફો અને વ્યાજની આવક માર્કેટના અંદાજ કરતા ઓછા છે. ચોખ્ખો નફો રૂ. 11,000 કરોડની આસપાસ અને NII રૂ. 32,100 કરોડ થવાનો અંદાજ હતો. SBIની એસેટ ક્વોલિટીમાં સુધરો નોંધાયો છે. ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (GNPA) આંકડાકીય દ્રષ્ટિએ રૂ. 1.2 લાખ કરોડની સામે ઘટીને રૂ. 1.12 લાખ કરોડ થયા છે. નેટ એનપીએ પણ અગાઉના ક્વાર્ટરના રૂ. 34,540 કરોડની સરખામણીએ ઘટીને રૂ. 27,966 કરોડ થયા છે. ટકાવારીની દ્રષ્ટિએ ગ્રોસ અને નેટ એનપીએ અનુક્રમે 53 bps અને 32 bps સુધરીને 3.97 ટકા અને 1.02 ટકા રહ્યાં છે.

આ સિવાય બેંકે ચોથા ત્રિમાસિકગાળામાં રૂ. 7237.45 કરોડના પ્રોવિઝન પણ કર્યા છે. ગત ડિસેમ્બર કવાર્ટરના નવા ઉમેરાયેલા 3069 કરોડના એનપીએની સામે આ વર્ષે માર્ચ કવાર્ટરમાં રૂ. 3,261.7 કરોડના એનપીએ માટે પ્રોવિઝન થયા છે. 31 માર્ચ, 2022ના રોજ પ્રોવિઝન કવરેજ રેશિયો (PCR) 90.20 ટકા છે.

બેંક ઓફ બરોડાને ફાયદો

બેંક ઓફ બરોડાએ નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિકમાં 1779 કરોડનો નફો કર્યો છે. એક વર્ષે પહેલા આ લાભ 1047 કરોડ રૂપિયા હતો. સમગ્ર વર્ષ દરમિયાન કુલ લાભ વધીને 7272 કરોડ થયો છે.

આ બેંકને પણ ફાયદો

યુનિયન બેંકને આઠ ટકા લાભ થયો છે. બેંકનો નફો 8 ટકા વધીને  1440 કરોડ થયો છે. સમગ્ર વર્ષમાં બેંકનો નફો 80 ટકા વધીને 5232 કરોડ થયો છે. એનપીએ ઘટીને 11.11 ટકા થઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ, પોસ્ટ મોર્ટમમાં વિસેરા સુરક્ષિત રહેશે, જાણો મોટી વાતો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ, પોસ્ટ મોર્ટમમાં વિસેરા સુરક્ષિત રહેશે, જાણો મોટી વાતો
2000 Rupee Notes: RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવા પર પ્રતિબંધ મૂક્યો! આ દિવસે સુવિધા બંધ રહેશે
2000 Rupee Notes: RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવા પર પ્રતિબંધ મૂક્યો! આ દિવસે સુવિધા બંધ રહેશે
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Insurance Rules: વીમા પોલીસી લેતા પહેલા નવા નિયમો જાણી લો, IRDAI એ 1લી એપ્રિલથી નિયમોમાં કર્યો ફેરફાર
Insurance Rules: વીમા પોલીસી લેતા પહેલા નવા નિયમો જાણી લો, IRDAI એ 1લી એપ્રિલથી નિયમોમાં કર્યો ફેરફાર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Daily Rashifal 2024 | જાણો આજનો આપનો 29મી માર્ચનો દિવસ કેવો રહેશે? RashifalHun To Bolish : ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ । abp AsmitaHun To Bolish : સવાલ સ્વમાનનો । abp AsmitaMedanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ, પોસ્ટ મોર્ટમમાં વિસેરા સુરક્ષિત રહેશે, જાણો મોટી વાતો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ, પોસ્ટ મોર્ટમમાં વિસેરા સુરક્ષિત રહેશે, જાણો મોટી વાતો
2000 Rupee Notes: RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવા પર પ્રતિબંધ મૂક્યો! આ દિવસે સુવિધા બંધ રહેશે
2000 Rupee Notes: RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવા પર પ્રતિબંધ મૂક્યો! આ દિવસે સુવિધા બંધ રહેશે
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Insurance Rules: વીમા પોલીસી લેતા પહેલા નવા નિયમો જાણી લો, IRDAI એ 1લી એપ્રિલથી નિયમોમાં કર્યો ફેરફાર
Insurance Rules: વીમા પોલીસી લેતા પહેલા નવા નિયમો જાણી લો, IRDAI એ 1લી એપ્રિલથી નિયમોમાં કર્યો ફેરફાર
Bad Cholesterol: શું પાતળા લોકોને પણ બેડ કોલેસ્ટ્રોલનું જોખમ છે? જાણો તેના પ્રારંભિક લક્ષણો...
Bad Cholesterol: શું પાતળા લોકોને પણ બેડ કોલેસ્ટ્રોલનું જોખમ છે? જાણો તેના પ્રારંભિક લક્ષણો...
જો તમે પણ સલાડમાં ઉપરથી મીઠું ઉમેરીને ખાઓ છો તો સાવધાન! તમારી આ ભૂલ તમને મોંઘી પડી શકે છે
જો તમે પણ સલાડમાં ઉપરથી મીઠું ઉમેરીને ખાઓ છો તો સાવધાન! તમારી આ ભૂલ તમને મોંઘી પડી શકે છે
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Embed widget