![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Biparjoy : બિપરજોય ગુજરાતને મારશે 'ઓઈલ બ્રેક'!!! વિકાસ ગુંગળાશે! ડરામણા આંકડા
કંપનીઓની નિકાસને અસર થઈ છે. દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સિક્કા પોર્ટ પરથી ડીઝલ અને અન્ય તેલ ઉત્પાદનોની નિકાસ બંધ કરી દીધી છે. આ બંદરની દૈનિક ક્ષમતા 704,000 બેરલ છે.
![Biparjoy : બિપરજોય ગુજરાતને મારશે 'ઓઈલ બ્રેક'!!! વિકાસ ગુંગળાશે! ડરામણા આંકડા Biparjoy : Economic Consequences Loom as Infrastructure, Livelihoods to take a Blow Biparjoy : બિપરજોય ગુજરાતને મારશે 'ઓઈલ બ્રેક'!!! વિકાસ ગુંગળાશે! ડરામણા આંકડા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/14/0467fa076c44d1644dbec81583f1df5b1686748334169724_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Biparjoy Cyclone : અરબી સમુદ્રમાં શક્તિશાળી વાવાઝોડું બિપરજોય ચક્રવાત આવતીકાલે એટલે કે ગુરુવારે ગુજરાતના કચ્છના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન 150 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાને જોતા હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વિનાશની સંભાવના છે. રેલવેએ 67 ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરી છે. હજારો લોકો અને પશુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આનાથી માછીમારો, બંદરોમાં કામ કરતા લોકો અને ઓઇલ રિગ્સમાં કામ કરતા લોકોની આજીવિકા પર અસર પડી છે. કંપનીઓની નિકાસને અસર થઈ છે. દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સિક્કા પોર્ટ પરથી ડીઝલ અને અન્ય તેલ ઉત્પાદનોની નિકાસ બંધ કરી દીધી છે. આ બંદરની દૈનિક ક્ષમતા 704,000 બેરલ છે.
યુરોપમાં ડીઝલની નિકાસમાં આ બંદર મહત્ત્વની ભૂમિકા ભજવે છે. રશિયા પર યુરોપિયન યુનિયનના નિયંત્રણો બાદ એશિયન દેશોમાંથી યુરોપની તેલની આયાત વધી છે. અદાણી ગ્રૂપે પણ હાલ તે વિસ્તારમાં તેની કામગીરી બંધ કરી દીધી છે. અદાણીનું મુંદ્રા પોર્ટ હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. તે દેશનું સૌથી વ્યસ્ત કન્ટેનર પોર્ટ છે. આ સાથે વાડીનાર અને સિક્કાના ઓઈલ પોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ કંડલા, ઓખા, બેડી અને નવલખી બંદરો પર પણ કામગીરી બંધ છે. મુન્દ્રા દેશનું સૌથી મોટું વ્યાપારી બંદર છે. તે દેશનું સૌથી મોટું કોલસા આયાત ટર્મિનલ પણ ધરાવે છે. ચક્રવાતને કારણે ગુજરાતમાં આર્થિક ગતિવિધિઓને માઠી અસર થઈ છે.
કેટલુ થયુ હતું નુકશાન?
2019માં ફાની વાવાઝોડાને કારણે ઓડિશાને લગભગ 9,336.26 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. યુએનના એક અહેવાલ મુજબ, ભારત-બાંગ્લાદેશ સરહદ પર ચક્રવાત અમ્ફાનના કારણે મે 2020માં ભારતને 1.16 લાખ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું હતું. એક વર્ષ પછી, યાસ નામના ચક્રવાતે દેશના પૂર્વીય ભાગોમાં તબાહી મચાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આના કારણે પશ્ચિમ બંગાળને $2.76 બિલિયનનું નુકસાન થયું છે. જો આમાં ઓડિશા અને ઝારખંડનું નુકસાન પણ ઉમેરવામાં આવે તો તે સાતથી આઠ અબજ ડોલર થાય છે.
વાવાઝોડાને કારણે થયેલી તબાહી બાદ પાટા પર પાછા આવવામાં ઘણો સમય લાગે છે. જેના કારણે પાક બરબાદ થઈ જાય છે, જેના કારણે ખાદ્ય પદાર્થોના ભાવ વધી જાય છે. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર નાણાકીય બોજ વધે છે. વાવાઝોડાને કારણે આરોગ્યસંભાળ સેવાઓ પર તાણ આવે છે અને વીજળી અને પાણીના પુરવઠાને અસર થાય છે. વાહનવ્યવહાર વ્યવસ્થા, વેપાર-વાણિજ્યને પણ માઠી અસર થઈ છે. વાવાઝોડાને કારણે આવેલા પૂરના કારણે ફળદ્રુપ જમીન રાતોરાત બંજર બની જાય છે. ચક્રવાતને કારણે રસ્તાઓ, પુલ અને પાવર લાઈનો જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકશાન છે. આ તમામ કારણોસર ઉદ્યોગો અને વ્યાપારી પ્રવૃત્તિઓ પ્રભાવિત થઈ રહી છે. આ બધાની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડે છે.
ભારતનું રેન્કિંગ
ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટની ઈસીજી રેટિંગ સર્વિસ અનુસાર, પર્યાવરણ સ્તંભ પર ભારતનું રેન્કિંગ 151 દેશોમાંથી 144 છે. આનો અર્થ એ થયો કે ભારતે ડીકાર્બોનાઇઝેશન, વેસ્ટ અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ અને પર્યાવરણના મોરચે ઘણું કરવાની જરૂર છે. આરબીઆઈ અનુસાર, 2030 સુધીમાં ભારતને આબોહવા પરિવર્તન અનુકૂલન માટે 85.6 લાખ કરોડ રૂપિયાની જરૂર પડશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)