શોધખોળ કરો

Indian Railway: રેલવે કર્મચારીઓને દિવાળી પહેલા મળ્યા સારા સમાચાર, આટલા દિવસના પગાર બરોબર મળશે બોનસ

આ તહેવારોની સિઝનમાં દિવાળી પહેલા મોદી સરકારે લાખો રેલવે કર્મચારીઓને મોટી ભેટ આપી છે

ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આ તહેવારોની સિઝનમાં દિવાળી પહેલા મોદી સરકારે લાખો રેલવે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટે શનિવારે રેલવે કર્મચારીઓને 78 દિવસ જેટલા પગાર બરોબર બોનસ આપવાનો નિર્ણય કર્યો છે.

ખાસ વાત એ છે કે આ બોનસ દશેરા પહેલા જ કર્મચારીઓને મળી જશે. રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારના આ નિર્ણય બાદ લગભગ 11.27 લાખ કર્મચારીઓને તેનો સીધો ફાયદો થશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ બોનસ દશેરાથી દિવાળી વચ્ચે કર્મચારીઓને આપવામાં આવશે. આ બોનસ તમામ નોન ગેજેટ રેલ્વે કર્મચારીઓને મળશે.

કર્મચારીઓને બોનસમાંથી પ્રોત્સાહન મળશે

રેલવેએ તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે આ બોનસ કર્મચારીઓ માટે પ્રોત્સાહન તરીકે કામ કરશે. આ સાથે કર્મચારીઓ રેલવેની કામગીરીમાં પોતાનું સકારાત્મક યોગદાન આપી શકશે. બોનસ મળવાથી કર્મચારીઓની આ તહેવારોની સિઝનમાં ખરીદી કરવાની ક્ષમતા વધશે અને આ તહેવારોની સિઝનમાં અર્થતંત્રને પણ વધુ વેગ મળશે.

કોરોના સમયગાળા દરમિયાન રેલવે કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતુ ક કોરોના સમયગાળા દરમિયાન રેલવે કર્મચારીઓએ રેલવેના યોગ્ય સંચાલનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. દેશની અર્થવ્યવસ્થાને યોગ્ય રાખવામાં રેલવે કર્મચારીઓની મોટી ભૂમિકા રહી છે.

આ સાથે રેલવે મંત્રીએ રેલવે કર્મચારીઓના બોનસને મંજૂરી આપવા બદલ રેલવે વતી તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો છે. લોકડાઉન દરમિયાન રેલ્વેએ દેશમાં ખાદ્યપદાર્થો, કોલસો અને અન્ય આવશ્યક ચીજોની સપ્લાયમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેનાથી દેશમાં આર્થિક ગતિવિધિઓને વેગ આપવામાં મદદ મળી છે.

રેલવેએ ત્રીજી વંદે ભારત ટ્રેન શરૂ કરી

30 સપ્ટેમ્બર 2022ના રોજ પીએમ મોદીએ ગુજરાતના ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. દેશમાં દોડતી આ ત્રીજી વંદે ભારત ટ્રેન છે. આ ટ્રેન ગાંધીનગર અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ
AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
Health Tips: પેશાબમાં દેખાવા લાગે છે આ ખતરનાક રોગના લક્ષણો, ક્યાંક તમે તો નથી કરી રહ્યા છે ઈગ્નોર?
Health Tips: પેશાબમાં દેખાવા લાગે છે આ ખતરનાક રોગના લક્ષણો, ક્યાંક તમે તો નથી કરી રહ્યા છે ઈગ્નોર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhi Nirvan Day:આજે 77માં ગાંધી નિર્વાણ દિવસ નીમિત્તે PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિGujarat Rain Forecast: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ, 2 અને 3 ફેબ્રુઆરી ગુજરાત માટે ભારેBJP Candidate List: નગરપાલિકા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaSurendranagar:ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ હવે ભાજપમાં કકળાટ, મહિલા કાર્યકરને શું પડ્યો વાંધો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ
AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
Health Tips: પેશાબમાં દેખાવા લાગે છે આ ખતરનાક રોગના લક્ષણો, ક્યાંક તમે તો નથી કરી રહ્યા છે ઈગ્નોર?
Health Tips: પેશાબમાં દેખાવા લાગે છે આ ખતરનાક રોગના લક્ષણો, ક્યાંક તમે તો નથી કરી રહ્યા છે ઈગ્નોર?
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
રાશન કાર્ડ ધારકોને રાશન મળવાનું થઇ જશે બંધ, આ તારીખ સુધી પુરુ કરી લો આ કામ
રાશન કાર્ડ ધારકોને રાશન મળવાનું થઇ જશે બંધ, આ તારીખ સુધી પુરુ કરી લો આ કામ
IND vs ENG: ચોથી T20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે મોટી ફેરફાર, જુરેલ ઉપરાંત આ ખેલાડી પર લટકી તલવાર
IND vs ENG: ચોથી T20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે મોટી ફેરફાર, જુરેલ ઉપરાંત આ ખેલાડી પર લટકી તલવાર
Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?
Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?
Embed widget