શોધખોળ કરો

flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર

દરમિયાન નદીમાં પડી ગયેલા વિમાનના કાટમાળની શોધ કરવામાં આવી રહી છે

Washington flight crash: વોશિંગ્ટન ડીસી નજીક રીગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ (DCA) નજીક એક ભયંકર વિમાન દુર્ઘટના બની છે. PSA એરલાઇન્સનું એક પેસેન્જર વિમાન હવામાં જ આર્મી હેલિકોપ્ટર સાથે અથડાયું અને નદીમાં પડી ગયું હતું. એરલાઇન્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાનમાં 60 મુસાફરો સવાર હતા. આ પ્લેન દુર્ઘટમાં 19 લોકોના મોત થયા છે.  પીએસએ એરલાઇન્સ અમેરિકન એરલાઇન્સની પેટાકંપની છે. જે વિમાન અકસ્માતનો ભોગ બન્યું તેમાં 65 મુસાફરોની બેઠક ક્ષમતા હતી.

અકસ્માત બાદ વોશિંગ્ટન ડીસી એરપોર્ટ પર તમામ ટેકઓફ અને લેન્ડિંગ બંધ કરી દેવામાં આવ્યા છે. આ જ મુદ્દા પર યુએસ સેનેટર ટેડ ક્રુઝે ટ્વિટ કર્યું કે અકસ્માતમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. જોકે, મૃત્યુઆંકની ચોક્કસ સંખ્યા હજુ સુધી પુષ્ટી થઈ નથી.

આ ઘટના પર અમેરિકન એરલાઇન્સે એક નિવેદનમાં શું કહ્યું?

અમેરિકન એરલાઇન્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે અમે આ બાબતથી વાકેફ છીએ, જેમાં માહિતી સામે આવી છે કે PSA દ્વારા સંચાલિત અમેરિકન ઇગલ ફ્લાઇટ 5342 ક્રેશ થઈ ગઈ છે. આ વિશે વધુ માહિતી બાદમાં આપવામાં આવશે.

હાલમાં પરિસ્થિતિ શું છે?

ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. આ સમય દરમિયાન નદીમાં પડી ગયેલા વિમાનના કાટમાળની શોધ કરવામાં આવી રહી છે. જોકે, અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટના પાછળનું મુખ્ય કારણ જાણવા માટે વિમાન અને હેલિકોપ્ટરના બ્લેક બોક્સની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત અમેરિકન એરલાઇન્સ અને લશ્કરી અધિકારીઓની પૂછપરછ શરૂ થઈ ગઈ છે.

દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટના

યુએસ પ્લેન ક્રેશ પહેલા ડિસેમ્બર મહિનામાં દક્ષિણ કોરિયામાં એક પ્લેન ક્રેશ થયું હતું જેમાં ફ્લાઇટમાં સવાર 181 લોકોમાંથી 179 લોકોના મોત થયા હતા. ક્રેશ થયેલ જેજુ એર બોઇંગ 737-800 બેંગકોકથી દક્ષિણ કોરિયા આવી રહ્યું હતું. વિમાનમાં મોટાભાગના લોકો ક્રિસમસની રજાઓ માણવા જઈ રહ્યા હતા.

આ પણ વાંચોઃ

અમેરિકાની મોટી કાર્યવાહી, 'હમાસ સમર્થક' તમામ વિદ્યાર્થીઓના વીઝા રદ્દ કરશે ટ્રમ્પ સરકાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi-Ahmedabad Flight News:પાંચ મિનીટ પહેલા જ ફ્લાઈટ રદ્દ થઈ જતા પેસેન્જર્સ થયા લાલઘુમHun To Bolish : હું તો બોલીશ : દાદા સરકારમાં 'કૌભાંડી ઠેકેદાર' કેમ?Hun To Bolish : હું તો બોલીશ : ધમકી આપવાનું બંધ કરોIndra Bharti Bapu : મહાકુંભમાં ગયેલા ઇન્દ્રભારતી બાપુની તબિયત લથડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Gold Rate: પ્રથમવાર 86,000 રૂપિયા પાર પહોંચ્યું સોનું, આખરે કેમ જોવા મળી રહી છે આટલી તેજી?
Gold Rate: પ્રથમવાર 86,000 રૂપિયા પાર પહોંચ્યું સોનું, આખરે કેમ જોવા મળી રહી છે આટલી તેજી?
ઇગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડે અગાઉ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, અચાનક લીધો મોટો નિર્ણય
ઇગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડે અગાઉ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, અચાનક લીધો મોટો નિર્ણય
‘પત્નીની સહમતિ વિના અકુદરતી જાતીય સંબંધ બાંધવો ગુનો નહીં’, કોર્ટે આપ્યો ચુકાદો
‘પત્નીની સહમતિ વિના અકુદરતી જાતીય સંબંધ બાંધવો ગુનો નહીં’, કોર્ટે આપ્યો ચુકાદો
ભારતમાં બાળકોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર રહેશે માતા-પિતાની નજર, મેટાએ જાહેર કર્યું નવું ફીચર
ભારતમાં બાળકોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર રહેશે માતા-પિતાની નજર, મેટાએ જાહેર કર્યું નવું ફીચર
Embed widget