Cyrus Mistry ની કારનો અમદાવાદ - મુંબઈ હાઈવે પર આ રીતે થયો અકસ્માત, જાણો કોણ ચલાવી રહ્યું હતું કાર
ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈના પાલઘરમાં માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. પાલઘર એસપીએ અકસ્માતમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે.
![Cyrus Mistry ની કારનો અમદાવાદ - મુંબઈ હાઈવે પર આ રીતે થયો અકસ્માત, જાણો કોણ ચલાવી રહ્યું હતું કાર Cyrus Mistry's car accident happened on Ahmedabad - Mumbai highway Unkown Woman was driving the car Cyrus Mistry ની કારનો અમદાવાદ - મુંબઈ હાઈવે પર આ રીતે થયો અકસ્માત, જાણો કોણ ચલાવી રહ્યું હતું કાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/04/930a21f9dafb27182d14f3679507c1b81662291030772528_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cyrus Mistry Death: ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈના પાલઘરમાં માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. સાયરસ મિસ્ત્રી બાય રોડ અમદાવાદ થી મુંબઈ જઈ રહ્યા હતા તે દરમિયાન પાલઘર નજીક અકસ્માત થતાં તેમનું અવસાન થયું હતું. પાલઘર એસપીએ અકસ્માતમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. સાયરસ મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968ના રોજ ભારતીય મૂળના આઇરિશ બિઝનેસ ફેમિલીમાં થયો હતો.
એક મહિલા ચલાવી રહી હતી ગાડીઃ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત બપોરે 3 વાગ્યાની આસપાસ પાલઘર નજીક આવેલી સૂર્યા નદી પરના ચારોટી બ્રિજ નજીક આ અકસ્માત થયો હતો અને તે દરમિયાન એક મહિલા તેની કાર ચલાવી રહી હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા બે લોકોના મોત થયા હતા. જેમાંથી સાયરસ મિસ્ત્રી પણ હતા. કારમાં બેઠેલા અન્ય બે લોકો જીવિત છે. આ કારમાં સવાર 4 લોકોના નામ જહાંગીર દિનશા પંડોલે, સાયરસ મિસ્ત્રી, અનાયતા પંડોલ (મહિલા), દરીયસ પાંડોલે છે. જેમાંથી સાયરસ મિસ્ત્રી અને જહાંગીર દિનશા પંડોલેનું આ કાર અકસ્માતમાં નિધન થયું છે.
કેવી રીતે થયો અકસ્માત?
મળતી માહિતી મુજબ મુંબઈ - અમદાવાદ નેશનલ હાઈવે પર પાલઘર નજીક આવેલી સૂર્યા નદી પરના ચારોટી બ્રિજ નજીક આ અકસ્માત થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, નદીના પહેલા પુલ પર એક ડિવાઈડર હતું અને આ કાર ખૂબ જ સ્પીડમાં હતી અને અચાનક તે બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અક્સાત એટલો ભિષણ હતો કે, કારમાં બેઠેલા સાયરસ મિસ્ત્રી સહિત અન્ય એક વ્યક્તિનું મૃત્યું થયું હતું અને અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
Former Chairman of Tata Sons Cyrus Mistry died in a car crash at around 3pm in Maharashtra's Palghar area. A total of 4 people were there in the vehicle; two, including Cyrus Mistry, died: Palghar Police pic.twitter.com/7sE8PgPUno
— ANI (@ANI) September 4, 2022
ડિસેમ્બર 2012માં બન્યા હતા ટાટા ગ્રુપના ચેરમેનઃ
સાયરસ મિસ્ત્રીના પિતા પલોનજી મિસ્ત્રીનું આ વર્ષની શરૂઆતમાં અવસાન થયું હતું. સાયરસ ઉપરાંત, તેમના પરિવારમાં હવે તેમની માતા પેરીન ડુબાસ, તેમની બે બહેનો લૈલા મિસ્ત્રી અને આલુ મિસ્ત્રી છે. સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા. ડિસેમ્બર 2012માં રતન ટાટાએ તેમને ટાટા ગ્રુપના ચેરમેન બનાવ્યા. સાયરસ મિસ્ત્રીને 2016માં ટાટા ગ્રુપના ચેરમેન પદ પરથી હટાવવામાં આવ્યા હતા.
તેમને અચાનક પદ પરથી હટાવવાના કારણે તેઓ કોર્ટમાં પણ ગયા હતા અને તેઓ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં ગયા હતા જ્યાં નિર્ણય તેમની તરફેણમાં આવ્યો હતો. જો કે આ નિર્ણય બાદ રતન ટાટાએ સુપ્રીમ કોર્ટમાં અપિલ પણ કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)