શોધખોળ કરો

IRCTC Account Aadhaar Link: IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું જરૂરી, જાણો શું છે સરળ રીત?

IRCTC Account Aadhaar Link: તત્કાલ ટિકિટ બુકિંગ માટે તમારા આધારને તમારા IRCTC એકાઉન્ટ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે

IRCTC Account Aadhaar Link: લાખો મુસાફરો દરરોજ ટ્રેન ટિકિટ બુક કરે છે. ઘણા લોકો તેમના IRCTC એકાઉન્ટ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરે છે. રેલવેએ તાજેતરમાં નિયમોમાં ફેરફાર કરીને ખાસ કરીને તત્કાલ ટિકિટ બુકિંગ માટે તમારા આધારને તમારા IRCTC એકાઉન્ટ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. રેલવેએ હવે IRCTC એકાઉન્ટનો ઉપયોગ કરીને ટિકિટ બુક કરવા માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. જો તમને તત્કાલ ટિકિટની જરૂર હોય તો તમારી IRCTC યુઝર્સ પ્રોફાઇલ આધાર સાથે વેરિફાઈ કરવી આવશ્યક છે. આ નવો નિયમ ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે જરૂરી છે.

જો તમે હજુ સુધી તમારા IRCTC એકાઉન્ટને આધાર સાથે વેરિફાઈ કર્યું નથી તો તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં. તેથી આ પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે. તમે તમારા આધારને તમારા IRCTC એકાઉન્ટ સાથે લિંક કરવા માટે વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. તમારે પહેલા તમારા પાસવર્ડ અને યુઝર આઈડીનો ઉપયોગ કરીને તમારા IRCTC એકાઉન્ટમાં લોગ ઇન કરવાની જરૂર પડશે. પછી તમારે My Account વિભાગમાં જવાની જરૂર પડશે.

તમારે Authenticate User વિકલ્પ પસંદ કરવાનો પડશે. પછી તમારો 12-અંકનો આધાર નંબર દાખલ કરો. આ પછી ડિક્લિયરેશનને સ્વીકારો અને સેન્ડ OTP પર ક્લિક કરો. પછી, તમારા મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો અને વેરિફાઈ પર ક્લિક કરો. આ પ્રક્રિયા પછી તમારું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થઈ જશે. આનો અર્થ એ છે કે તમે તમારા IRCTC એકાઉન્ટથી તત્કાલ ટિકિટ ઓનલાઈન બુક કરી શકો છો. વધુમાં આધાર ઓથેંટિકેશન પછી તમને ટિકિટ બુક કરવાની પ્રથમ તક પણ મળે છે.

મુસાફરોના આરામ અને સ્વચ્છતા માટે સાંગનેરી પ્રિન્ટનો ઉપયોગ

ભારતીય રેલવે તેના મુસાફરોના આરામ અને સ્વચ્છતાના ધોરણોને સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતા, હવે AC કોચમાં મુસાફરી કરનારાઓને કવર વિનાના ધાબળાને બદલે કવર સાથેના સ્વચ્છ ધાબળા આપવામાં આવશે, જે ઘરમાં ઉપયોગમાં લેવાતા ધાબળા જેવી સુવિધા આપશે.

આ નવી પહેલનો હેતુ મુસાફરોને વધુ સારી સુવિધા આપવા ઉપરાંત દેશની સ્થાનિક કાપડ કલા અને કારીગરોને પ્રોત્સાહન આપવાનો પણ છે. આ યોજનાનો પ્રારંભ જયપુરના ખાટીપુરા રેલ્વે સ્ટેશનથી થયો હતો અને તેનો સૌપ્રથમ ઉપયોગ રાત્રે 8:45 વાગ્યે ઉપડતી જયપુર-અમદાવાદ (અસારવા) એક્સપ્રેસમાં કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget