શોધખોળ કરો

માત્ર ધુમ્રપાનના કારણે વીમા કંપની કેન્સરનો દાવો નકારી શકે નહીં, જાણો કોણે આપ્યો ચુકાદો

વીમો આજની જિંદગીમાં જરૂરી થઈ ગયો છે. પરંતુ ઘણી વખત વીમાધારકને અણીના સમયે જ તે કામ આવતો નથી. વીમાકંપનીઓ જાત જાતના બહાના કાઢીને દાવાને નકારતી હોય છે.

વીમો આજની જિંદગીમાં જરૂરી થઈ ગયો છે. પરંતુ ઘણી વખત વીમાધારકને અણીના સમયે જ તે કામ આવતો નથી. વીમાકંપનીઓ જાત જાતના બહાના કાઢીને દાવાને નકારતી હોય છે. ધુમ્રપાનએ કેન્સર થવા માટેના ઘણાં બધાં પરિબળો પૈકીનું એક છે. જોકે તે એક માત્ર કારણ નથી અને વીમા કંપનીઓ વીમાનો દાવો નકારવા માટે તેનો એક બહાના તરીકે ઉપયોગ ના કરી શકે. તાજેતરમાં જ એક ગ્રાહક અદાલતે આ બાબતની નોંધ લઈ ફરિયાદીને દાવાની રકમ ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો હતો.

શું છે મામલો

આલોક બેનરજીએ ઓરિયેન્ટલ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી મેડિક્લેમ લીધો હતો. તેમણે ફેફસાંના એડેનોકારસિનોમાની સારવાર કરાવી હતી જેનો તબીબી ખર્ચ રૂ. 93,297 થયો હતો. વીમા કંપનીએ તેમનો દાવો એમ કહી નકારી કાઢ્યો હતો કે તેમના મેડિકલ પેપર્સમાં જણાવાયું છે કે તેઓ ધુમ્રપાનના બંધાણી છે. કમનસીબે બેનરજીનું અવસાન થયું હતું. ત્યારબાદ તેમના પત્નીએ વીમા કંપની પાસેથી મેડિક્લેમની રકમ મેળવવા કન્ઝ્યૂમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (સીઈઆરસી)નો મદદ માટે સંપર્ક કર્યો હતો.

સીઈઆરસીએ શ્રીમતી બેનરજી વતી જિલ્લા કમિશન, અમદાવાદમાં ફરિયાદ દાખલ કરી હતી. સીઈઆરસીના વકીલોએ આ કેસની વિવિધ હકીકતો રજૂ કરી હતી અને તેઓ અદાલતને એ વાતનો વિશ્વાસ અપાવવામાં સફળ રહ્યાં હતાં કે વીમા કંપનીએ મનસ્વી રીતે બેનરજીનો દાવો નકારી કાઢ્યો હતો.

સીઈઆરસીના વકીલ અભિષેક અવસ્થીએ જણાવ્યું હતું કે બંને પક્ષોને સાંભળ્યા બાદ, બેનરજીને ધુમ્રપાનની ટેવને કારણે કેન્સર થયું હોવાનું મેડિકલ પેપર્સમાં દર્શાવાયું હોવાની દલીલ સાથે પંચ સહમત થયું નહોતું. પંચે એમ પણ જણાવ્યું હતું કે સ્વતંત્ર પુરાવાની ગેરહાજરીમાં ડિસ્ચાર્જ સમરીને પ્રાથમિક અથવા નિર્ણાયક પુરાવો ના માની શકાય અને મામલામાં કોઈ એવો પુરાવો નથી કે જે દર્શાવે કે દર્દીને ધુમ્રપાનને કારણે જ કેન્સર થયું હતું. અદાલતે વીમા કંપનીને શ્રીમતી બેનરજીને રૂ. 93,297 વત્તા 7 ટકા વ્યાજ ઉપરાંત માનસિક કનડગત અને કેસનો ખર્ચ ચૂકવી આપવા આદેશ કર્યો હતો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
Embed widget