શોધખોળ કરો

Interest Rates: દેશની આ મોટી ખાનગી બેંક રિકરિંગ ડિપોઝીટ પર પહેલા કરતા વધુ વ્યાજ આપશે, જાણો શું છે નવા રેટ

અગાઉ, 27 મહિનાથી 36 મહિનામાં પાકતી RDs પર 5.20 ટકા વ્યાજ આપવામાં આવતું હતું, જે હવે વધારીને 5.40 ટકા કરવામાં આવ્યું છે.

HDFC RD Interest Rate: જેઓ ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંકમાં રિકરિંગ ડિપોઝિટ (RDs) કરાવવા જઈ રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે. ફિક્સ ડિપોઝીટ બાદ બેંકે હવે આરડી પર પણ વ્યાજ દરમાં વધારો કર્યો છે. રિકરિંગ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. બેંકે 27 થી 120 મહિનામાં પાકતી RD પરના વ્યાજમાં વધારો કર્યો છે.

રિઝર્વ બેંકે રેપો રેટ વધાર્યા બાદ HDFC સહિત ઘણી બેંકોએ FD પરના વ્યાજદરમાં વધારો કરી દીધો છે. હવે HDFC બેંકે પણ RD (HDFC Bank RDs Rate) પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. RD પર વધેલા વ્યાજ દરો 17 મેથી લાગુ થઈ ગયા છે. બેંકના આ નિર્ણયથી મોટી સંખ્યામાં લોકોને ફાયદો થશે, કારણ કે HDFC બેંક પાસે વિશાળ ગ્રાહક આધાર છે અને ઘણા લોકો આરડી કરાવવા માટે બેંકને પસંદ કરે છે.

નવા વ્યાજ દરો

અગાઉ, 27 મહિનાથી 36 મહિનામાં પાકતી RDs પર 5.20 ટકા વ્યાજ આપવામાં આવતું હતું, જે હવે વધારીને 5.40 ટકા કરવામાં આવ્યું છે. આ રીતે તેમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. બેંકે 39 થી 60 મહિનામાં પાકતી રિકરિંગ ડિપોઝીટ પર મળતા વ્યાજમાં 15 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

પહેલા જ્યાં 5.45 ટકા વ્યાજ મળતું હતું, હવે 5.60 ટકા વ્યાજ ગ્રાહકોને મળશે. 90 થી 120 મહિનામાં પૂર્ણ થયેલા RDs પરના વ્યાજમાં પણ 15 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. તે અગાઉના 5.60 ટકાથી વધારીને 5.75 ટકા વાર્ષિક કરવામાં આવ્યું છે.

વરિષ્ઠ નાગરિકોને વધુ વ્યાજ મળશે

વરિષ્ઠ નાગરિકોને છ મહિનાથી 60 મહિનામાં પાકતી રિકરિંગ ડિપોઝિટ પર વધારાનું 0.50 ટકા વ્યાજ આપવામાં આવશે. આ 0.50 ટકા વ્યાજ ઉપરાંત, 5 અને 10 વર્ષથી વધુ સમયમાં પૂર્ણ થયેલા આરડી પર 0.25 ટકા વધુ વ્યાજ પણ આપવામાં આવશે.

આ વ્યાજ તે વરિષ્ઠ નાગરિકોને મળશે જેઓ 18 મે 20 થી 30 સપ્ટેમ્બર 2022 સુધી 5 કરોડથી ઓછી રિકરિંગ ડિપોઝિટ કરશે અથવા જૂની RD રિન્યૂ કરશે. આ રીતે, વરિષ્ઠ નાગરિકોને 90 થી 120 દિવસની વચ્ચે પાકતી RD પર 6.50 ટકા વાર્ષિક વ્યાજ મળશે.

આ ગાળાની આરડી પર વ્યાજમાં કોઈ વધારો નહીં

છ મહિના, નવ મહિના અને 12 થી 24 મહિનામાં પાકતી રિકરિંગ ડિપોઝિટ પર મળતા વ્યાજમાં કોઈ ફેરફાર થતો નથી. છ મહિનામાં આરડી પાકતી વખતે બેંક અગાઉની જેમ વાર્ષિક 3.50 ટકાના દરે વ્યાજ ચૂકવશે. ગ્રાહકને 9 મહિનામાં પાકતી RDs પર 4.40 ટકાના દરે અને 12 થી 24 મહિનામાં પાકતી RDs પર અગાઉની જેમ 5.10 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Embed widget