શોધખોળ કરો

Interest Rates: દેશની આ મોટી ખાનગી બેંક રિકરિંગ ડિપોઝીટ પર પહેલા કરતા વધુ વ્યાજ આપશે, જાણો શું છે નવા રેટ

અગાઉ, 27 મહિનાથી 36 મહિનામાં પાકતી RDs પર 5.20 ટકા વ્યાજ આપવામાં આવતું હતું, જે હવે વધારીને 5.40 ટકા કરવામાં આવ્યું છે.

HDFC RD Interest Rate: જેઓ ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંકમાં રિકરિંગ ડિપોઝિટ (RDs) કરાવવા જઈ રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે. ફિક્સ ડિપોઝીટ બાદ બેંકે હવે આરડી પર પણ વ્યાજ દરમાં વધારો કર્યો છે. રિકરિંગ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. બેંકે 27 થી 120 મહિનામાં પાકતી RD પરના વ્યાજમાં વધારો કર્યો છે.

રિઝર્વ બેંકે રેપો રેટ વધાર્યા બાદ HDFC સહિત ઘણી બેંકોએ FD પરના વ્યાજદરમાં વધારો કરી દીધો છે. હવે HDFC બેંકે પણ RD (HDFC Bank RDs Rate) પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. RD પર વધેલા વ્યાજ દરો 17 મેથી લાગુ થઈ ગયા છે. બેંકના આ નિર્ણયથી મોટી સંખ્યામાં લોકોને ફાયદો થશે, કારણ કે HDFC બેંક પાસે વિશાળ ગ્રાહક આધાર છે અને ઘણા લોકો આરડી કરાવવા માટે બેંકને પસંદ કરે છે.

નવા વ્યાજ દરો

અગાઉ, 27 મહિનાથી 36 મહિનામાં પાકતી RDs પર 5.20 ટકા વ્યાજ આપવામાં આવતું હતું, જે હવે વધારીને 5.40 ટકા કરવામાં આવ્યું છે. આ રીતે તેમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. બેંકે 39 થી 60 મહિનામાં પાકતી રિકરિંગ ડિપોઝીટ પર મળતા વ્યાજમાં 15 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

પહેલા જ્યાં 5.45 ટકા વ્યાજ મળતું હતું, હવે 5.60 ટકા વ્યાજ ગ્રાહકોને મળશે. 90 થી 120 મહિનામાં પૂર્ણ થયેલા RDs પરના વ્યાજમાં પણ 15 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. તે અગાઉના 5.60 ટકાથી વધારીને 5.75 ટકા વાર્ષિક કરવામાં આવ્યું છે.

વરિષ્ઠ નાગરિકોને વધુ વ્યાજ મળશે

વરિષ્ઠ નાગરિકોને છ મહિનાથી 60 મહિનામાં પાકતી રિકરિંગ ડિપોઝિટ પર વધારાનું 0.50 ટકા વ્યાજ આપવામાં આવશે. આ 0.50 ટકા વ્યાજ ઉપરાંત, 5 અને 10 વર્ષથી વધુ સમયમાં પૂર્ણ થયેલા આરડી પર 0.25 ટકા વધુ વ્યાજ પણ આપવામાં આવશે.

આ વ્યાજ તે વરિષ્ઠ નાગરિકોને મળશે જેઓ 18 મે 20 થી 30 સપ્ટેમ્બર 2022 સુધી 5 કરોડથી ઓછી રિકરિંગ ડિપોઝિટ કરશે અથવા જૂની RD રિન્યૂ કરશે. આ રીતે, વરિષ્ઠ નાગરિકોને 90 થી 120 દિવસની વચ્ચે પાકતી RD પર 6.50 ટકા વાર્ષિક વ્યાજ મળશે.

આ ગાળાની આરડી પર વ્યાજમાં કોઈ વધારો નહીં

છ મહિના, નવ મહિના અને 12 થી 24 મહિનામાં પાકતી રિકરિંગ ડિપોઝિટ પર મળતા વ્યાજમાં કોઈ ફેરફાર થતો નથી. છ મહિનામાં આરડી પાકતી વખતે બેંક અગાઉની જેમ વાર્ષિક 3.50 ટકાના દરે વ્યાજ ચૂકવશે. ગ્રાહકને 9 મહિનામાં પાકતી RDs પર 4.40 ટકાના દરે અને 12 થી 24 મહિનામાં પાકતી RDs પર અગાઉની જેમ 5.10 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Advertisement

વિડિઓઝ

Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
Embed widget