શોધખોળ કરો

IRCTC માંથી ઓનલાઈન રિઝર્વેશન કરાવતા પહેલા ધ્યાન આપો, આજથી ટિકિટ બુક કરવાના નિયમો બદલાઈ ગયા

IRCTC એપ કે વેબસાઈટ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરવાના નિયમો આજે એટલે કે 1 નવેમ્બર 2024થી બદલાઈ ગયા છે. ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગમાં આ મોટા ફેરફારની જાહેરાત ગયા મહિને કરી હતી.

IRCTC એ એડવાન્સ ટિકિટ બુકિંગના નવા નિયમો આજથી એટલે કે 1 નવેમ્બર 2024થી લાગુ થઈ ગયા છે. જો તમે પણ રેલવે રિઝર્વેશન માટે IRCTC એપ કે વેબસાઈટનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે રેલવેના આ નવા નિયમ વિશે જાણવું જોઈએ. ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરીને તેની મર્યાદા હવે ઘટાડી દીધી છે. ભારતીય રેલવેના આધિકારિક ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મે હવે એડવાન્સ ટિકિટ બુક કરવાની અવધિને 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરી દીધી છે.

ભારતીય રેલવેએ ગયા મહિને આની જાહેરાત કરી દીધી હતી. IRCTC પ્લેટફોર્મની સાથે સાથે આ નવો નિયમ કોઈપણ થર્ડ પાર્ટી ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ કે એપ જેમ કે Paytm, Ixigo, Make My Trip પર પણ લાગુ છે. સાથે જ, આ નિયમ ઓફલાઈન કે કાઉન્ટર ટિકિટ પર પણ લાગુ થશે. ટ્રેનમાં વધતી વેઇટિંગ લિસ્ટને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમોમાં આ ફેરફાર કર્યો છે. ખાસ કરીને તહેવારોની સીઝનથી ચાર મહિના પહેલા જ ઘણી ટ્રેનોમાં ટિકિટ ફુલ થઈ જતી હતી, જેના કારણે ઘણા રેલ યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

IRCTC પ્લેટફોર્મ દ્વારા યુઝર્સ હવે 120 દિવસને બદલે 60 દિવસ પહેલા એડવાન્સ ટિકિટ બુક કરી શકશે. એપ અને વેબસાઈટથી કોઈપણ સમયે રેગ્યુલર ટિકિટ બુક કરી શકાય છે. જ્યારે તત્કાલ ટિકિટ ટ્રેનના શેડ્યુલ ડિપાર્ચરથી 24 કલાક પહેલા બુક કરી શકાય છે. તત્કાલ ટિકિટની વિંડો સવારે 10 વાગ્યે એસી માટે અને 11 વાગ્યે નોન એસી માટે ખુલે છે. આથી જો તમે પણ એડવાન્સમાં કોઈ ટ્રેનની ટિકિટ બુક કરવા માંગો છો તો હવે તમે માત્ર 60 દિવસ પહેલા જ ટિકિટ બુક કરી શકો છો.

IRCTC એ તેના પ્લેટફોર્મને છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું અપગ્રેડ કર્યું છે. હવે ઓનલાઈન ટિકિટ બુક કરવામાં યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. રેલવેએ છેલ્લા કેટલાક વર્ષોમાં IRCTC થી ટિકિટ બુક કરવાના નિયમમાં પણ ફેરફાર કર્યો છે. સવારે 8 વાગ્યા પહેલા જો તમે એપ કે વેબસાઈટમાં લોગ ઇન છો તો બરાબર 8 વાગ્યે તમે લોગ આઉટ થઈ જશો. ટ્રેનની ટિકિટ બુક કરવા માટે તમારે ફરીથી લોગ ઇન કરવું પડશે.

જ્યારે તત્કાલ ટિકિટ માટે તમારે બરાબર 10 વાગ્યે અને 11 વાગ્યે લોગ ઇન કરવું પડશે. આ ઉપરાંત એક વાર લોગ ઇન કર્યા પછી એક જ PNR નંબર જનરેટ કરી શકાય છે. બીજી ટિકિટ એટલે કે PNR માટે તમારે ફરીથી IRCTC ની એપ કે વેબસાઈટમાં લોગ ઇન કરવું પડશે. ભારતીય રેલવેનો આ નિર્ણય ટિકિટોની કાળાબજારી રોકવા માટે લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ

એલચી ખાવાથી પુરુષોને શું ફાયદો થાય છે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget