શોધખોળ કરો
Advertisement
મેહુલ ચોક્સીના વધુ એક કૌભાંડનો ખુલાસો, હવે આ સરકારી બેન્કને લગાવ્યો ચૂનો
આ પ્રથમવાર નથી જ્યારે બેન્કે ચોક્સી દ્ધારા ડિફોલ્ટ અંગેની જાણકારી આપી છે.
નવી દિલ્હીઃ લાંબા સમયથી પંજાબ નેશનલ બેન્કના કૌભાંડના માસ્ટરમાઇન્ડ મેહુલ ચોક્સી દેશથી ફરાર છે. મેહુલ ચોક્સીને સ્વદેશ પરત લાવવા માટે ભારતીય તપાસ એજન્સીઓ પ્રયાસ કરી રહી છે. આ વચ્ચે ચોક્સી અંગે એક વધુ ખુલાસો થયો છે. વાસ્તવમાં મેહુલ ચોક્સીએ હવે સાર્વજનિક ક્ષેત્રના પંજાબ એન્ડ સિંધ બેન્કને ચૂનો લગાવ્યો છે. ન્યૂઝ એજન્સીએ આઇએએનએસના મતે પંજાબ એન્ડ સિંધ બેન્કને 44.1 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આ જાણકારી બેન્કે આપી છે.
આ પ્રથમવાર નથી જ્યારે બેન્કે ચોક્સી દ્ધારા ડિફોલ્ટ અંગેની જાણકારી આપી છે. બેન્કના મતે ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ લિમિટેડે લોન લીધી હતી. જ્યારે ચોક્સીએ લોન એમાઉન્ટ ચૂકવ્યું નથી તો 31 માર્ચ 2018ના રોજ તેને નોન પરફોર્મિગ એસેટ એટલે કે એનપીએમાં નાખી દેવામાં આવ્યું. મેહુલ ચોક્સીએ અંગે ખુલાસો એવામાં સમયમાં થયો છે જ્યારે સીબીઆઇ તેને ભાગેડું જાહેર કરવાની માંગ કરી રહી છે. તાજેતરમાં જ મુંબઇની એક કોર્ટને સીબીઆઇએ આગ્રહ કર્યો હતો કે પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીને ભાગેડુ જાહેર કરવામાં આવે.
એજન્સીએ કહ્યું કે તે આ મામલામાં બિન જામીનપાત્ર વોરંટનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યો છે. સીબીઆઇ મામલામાં સ્પેશ્યલ જજ વી.સી બારદે સમક્ષ નિવેદન આપીને એજન્સીએ કહ્યું કે મામલામાં એફઆઇઆર નોંધાઇ તે અગાઉ ચોક્સી દેશ છોડીને ભાગી ગયો છે. હાલમાં મેહુલ ચોક્સી એન્ટીગુઆમાં છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion