શોધખોળ કરો

આવતીકાલથી ખિસ્સા પર પડશે અસર: નવા બજેટમાં ટેક્સના નિયમો બદલાયા, જાણો તમારા માટે શું છે ખાસ

૨ લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, શેરબજાર સાથે જોડાયેલા ઇન્શ્યોરન્સ પ્લાન પર લાગશે ટેક્સ; આ ૬ મોટા ફેરફાર તમારા માટે જાણવા જરૂરી.

New budget tax rules 2025: નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું નવું બજેટ આવતીકાલ, ૧ એપ્રિલ ૨૦૨૫થી અમલમાં આવવા જઈ રહ્યું છે. ૧ ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટમાં સરકારે જે જાહેરાતો કરી હતી, તેના પર હવે અમલ શરૂ થશે. જો કે, વિવિધ યોજનાઓના લાભો ક્યારે મળશે તે યોજનાના પ્રકાર અને તેની અમલીકરણની પ્રક્રિયા પર આધાર રાખશે. આવકવેરા મુક્તિ અને સબસિડી જેવા લાભો નાણાકીય વર્ષ સાથે જોડાયેલા હોવાથી ૧ એપ્રિલથી જ લાગુ થશે, જ્યારે માળખાગત સુવિધાઓ અને સમાજ કલ્યાણની યોજનાઓના લાભો મળવામાં સમય લાગી શકે છે. આવતીકાલથી અમલમાં આવનારા ૬ મુખ્ય ફેરફારો નીચે મુજબ છે:

૧. ટેક્સ સ્લેબમાં ફેરફાર: ૨૦થી ૨૪ લાખની આવક માટે નવો સ્લેબ: નવા ટેક્સ રિજીમ હેઠળ હવે ૧૨ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. નોકરિયાત વર્ગ માટે ૭૫ હજારના સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે આ છૂટ ૧૨.૭૫ લાખ રૂપિયા સુધીની થશે. આ ઉપરાંત, નવા ટેક્સ રિજીમમાં ૨૦થી ૨૪ લાખ રૂપિયાની આવક માટે ૨૫% ટેક્સનો એક નવો સ્લેબ પણ ઉમેરવામાં આવ્યો છે. આ ફેરફારથી મધ્યમ અને ઉચ્ચ-મધ્યમ આવક જૂથોને કર બચાવવામાં મદદ મળશે, કારણ કે પહેલાં ૧૫ લાખથી વધુની આવક પર ૩૦%નો મહત્તમ દર લાગુ પડતો હતો, જે હવે ૨૪ લાખ રૂપિયા સુધીની આવક માટે યથાવત રહેશે.

૨. TDS મર્યાદામાં વધારો: ₹૬ લાખ સુધીની ભાડાની આવક પર નહીં લાગે ટેક્સ: સરકારે અમુક ચુકવણીઓ પર TDS (ટેક્સ ડિડક્શન એટ સોર્સ)ની મર્યાદામાં વધારો કર્યો છે. ભાડાની આવક પર TDSની છૂટની મર્યાદા ૨.૪ લાખ રૂપિયાથી વધારીને ૬ લાખ રૂપિયા કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો માટે બેંક એફડીમાંથી મળતી વ્યાજની આવક પર TDSની મર્યાદા ૫૦ હજાર રૂપિયાથી વધારીને ૧ લાખ રૂપિયા કરવામાં આવી છે. વ્યાવસાયિક સેવાઓ પર TDSની મર્યાદા હવે ૩૦ હજાર રૂપિયાથી વધીને ૫૦ હજાર રૂપિયા થઈ ગઈ છે. આ ફેરફારોથી ઓછી આવક ધરાવતા લોકો પર TDSનો બોજ ઘટશે અને તેમના રોકડ પ્રવાહમાં સુધારો થશે.

૩. TCS મર્યાદામાં વધારો: વિદેશમાં અભ્યાસ માટે ₹૧૦ લાખ સુધી મોકલવા પર નહીં લાગે ટેક્સ: વિદેશમાં અભ્યાસ માટે પૈસા મોકલવા પર ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS)ની મર્યાદા હવે ૭ લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરવામાં આવી છે. જો કે, જો પૈસા બેંક વગેરે જેવી કોઈ નાણાકીય સંસ્થા પાસેથી લોન તરીકે લેવામાં આવ્યા હોય તો TCS વસૂલવામાં આવશે નહીં. TCS દૂર થવાથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ફાયદો થશે, કારણ કે પહેલાં ૭ લાખ રૂપિયાથી વધુની રકમ પર ૦.૫%થી ૫% સુધીનો TCS કાપવામાં આવતો હતો.

૪. અપડેટેડ રિટર્ન ફાઇલ કરવા માટે વધુ સમય: ૪૮ મહિના સુધી કરી શકાશે ફાઇલ: હવે કરદાતાઓ આકારણી વર્ષના અંતથી ૨૪ મહિનાને બદલે ૪૮ મહિના સુધી અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકશે. જો કે, આ માટે કેટલીક શરતો છે. ૨૪થી ૩૬ મહિના દરમિયાન ફાઇલ કરાયેલા રિટર્ન પર ૬૦% અને ૩૬થી ૪૮ મહિના દરમિયાન ફાઇલ કરાયેલા રિટર્ન પર ૭૦% વધારાનો ટેક્સ લાગશે. આનાથી કરદાતાઓને તેમની ભૂલો સુધારવા માટે વધુ સમય મળશે અને સ્વૈચ્છિક પાલનને પ્રોત્સાહન મળશે.

૫. યુલિપ પર કેપિટલ ગેઇન ટેક્સ: ₹૨.૫ લાખથી વધુના પ્રીમિયમને ગણાશે મૂડી સંપત્તિ: જો યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન (ULIP)નું વાર્ષિક પ્રીમિયમ ૨.૫ લાખ રૂપિયાથી વધુ હશે, તો તેને મૂડી સંપત્તિ ગણવામાં આવશે. આવી ULIPના રિડેમ્પશનથી થતા કોઈપણ નફા પર મૂડી લાભ કર લાગશે. જો યુલિપ ૧૨ મહિનાથી વધુ સમય માટે રાખવામાં આવે તો તેના પર ૧૨.૫%ના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઇન (LTCG) અને જો ૧૨ મહિનાથી ઓછા સમય માટે રાખવામાં આવે તો ૨૦%ના દરે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન (STCG) તરીકે કર લાગશે. આ ફેરફારથી ઊંચા પ્રીમિયમવાળા ULIPમાં રોકાણ કરનારાઓએ હવે ટેક્સ ચૂકવવો પડશે.

૬. સસ્તું-મોંઘું: કસ્ટમ ડ્યૂટી બદલવાથી ૧૫૦-૨૦૦ ઉત્પાદનો પર થશે અસર: સરકારે બજેટમાં કેટલીક પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી છે અને કેટલીક પર વધારી છે, જેનાથી લગભગ ૧૫૦-૨૦૦ ઉત્પાદનોની કિંમતોમાં ફેરફાર થશે. સામાન્ય રીતે, કસ્ટમ ડ્યૂટીમાં ફેરફાર નાણાકીય વર્ષની શરૂઆતથી એટલે કે ૧ એપ્રિલથી અમલમાં આવે છે. આ ફેરફારથી ૪૦,૦૦૦ ડોલરથી વધુ કિંમતની અથવા ૩,૦૦૦ સીસીથી વધુ એન્જિન ક્ષમતાવાળી આયાતી કાર, ૧૬૦૦ સીસીથી વધુ ન હોય તેવી એન્જિન ક્ષમતાવાળી મોટરસાઇકલ, ૩૬ લાઇફ સેવિંગ દવાઓ અને EV સસ્તા થઈ શકે છે. જ્યારે સ્માર્ટ મીટર, સોલાર સેલ, આયાતી ફૂટવેર, આયાતી મીણબત્તીઓ, આયાતી યાટ્સ અને અન્ય જહાજો જેવી વસ્તુઓ મોંઘી થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે બજેટમાં જાહેર કરાયેલી ખેડૂતો માટેની રોકડ સહાય, મહિલાઓ માટેની યોજનાઓ અને રોજગાર યોજનાઓ જેવા સામાજિક કલ્યાણ યોજનાઓના લાભ જૂન-જુલાઈથી મળવાની શરૂઆત થઈ શકે છે, જ્યારે રસ્તા, રેલવે અને શાળાઓ-હોસ્પિટલ જેવા પ્રોજેક્ટ્સના લાભો મળવામાં સમય લાગશે. બજેટની સંપૂર્ણ પ્રક્રિયામાં તૈયારી, રજૂઆત, સંસદમાં ચર્ચા, વિનિયોગ બિલ, નાણાકીય બિલ, રાષ્ટ્રપતિની સંમતિ અને અમલીકરણ જેવી સાત પ્રક્રિયાઓ સામેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Embed widget