શોધખોળ કરો

માત્ર શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ જ નહીં, પોસ્ટ ઓફિસની આ સ્કીમ પણ બનાવી શકે છે કરોડપતિ, જાણો કેવી રીતે?

આ સ્કીમમાં રોકાણ પર બજારના ઉતાર-ચઢાવની અસર થતી નથી. આ યોજનાના વ્યાજ દરો સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, જેની સમીક્ષા ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે.

Post Office Scheme: જો તમે યોગ્ય રીતે પૈસાનું રોકાણ કેવી રીતે કરવું તે જાણો છો, તો આવી ઘણી યોજનાઓ છે જે તમને અમીર બનાવી શકે છે. આવી જ એક યોજના પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) છે. પોસ્ટ ઓફિસની આ યોજના લાંબા ગાળે એક વિશાળ ભંડોળ ઊભું કરવામાં ખૂબ મદદરૂપ છે. આ સ્કીમની ખાસિયત એ છે કે તેમાં તમારું રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેને બજારના ઉતાર-ચઢાવની અસર થતી નથી. આ યોજનાના વ્યાજ દરો સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, જેની સમીક્ષા ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે. હાલમાં પોસ્ટ ઓફિસની PPF સ્કીમ પર 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે.

પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એવા લોકોને કરોડપતિ બનવામાં મદદ કરી શકે છે જેઓ કોઈપણ જોખમ વિના લાંબા સમય સુધી રોકાણ કરી શકે છે. PPF ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકાય છે. આમાં રોકાણ કરનારાઓને સરકાર તરફથી તેમના પૈસા પર સુરક્ષા પણ મળે છે. ચાલો જાણીએ કે આની મદદથી તમે કેવી રીતે કરોડપતિ બની શકો છો.

તમે પોસ્ટ ઓફિસ અથવા બેંક શાખામાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ખાતું ખોલાવી શકો છો. આ ખાતું માત્ર રૂ.500થી ખોલી શકાય છે. જેમાં વાર્ષિક 1.50 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે. આ ખાતાની પાકતી મુદત 15 વર્ષની છે. પરંતુ, પાકતી મુદત પછી, તેને 5-5 વર્ષના બ્રેકેટમાં લંબાવવાની સુવિધા પણ છે.

જો તમે PPF ખાતામાં દર મહિને 12,500 રૂપિયા જમા કરો છો અને તેને 15 વર્ષ સુધી જાળવી રાખો છો, તો તમને મેચ્યોરિટી પર કુલ 40.68 લાખ રૂપિયા મળશે. આમાં તમારું કુલ રોકાણ 22.50 લાખ રૂપિયા હશે, જ્યારે 18.18 લાખ રૂપિયા તમારી વ્યાજની આવક હશે. આ ગણતરી આગામી 15 વર્ષ માટે વાર્ષિક 7.1 ટકા વ્યાજ દર ધારીને કરવામાં આવી છે. વ્યાજ દરમાં ફેરફાર સાથે પાકતી મુદતની રકમ બદલાઈ શકે છે.

જો તમે આ સ્કીમથી કરોડપતિ બનવા માંગો છો, તો 15 વર્ષ પછી તમારે તેને 5-5 વર્ષ માટે બે વાર લંબાવવું પડશે. એટલે કે હવે તમારા રોકાણનો સમયગાળો 25 વર્ષનો થઈ ગયો છે. આ રીતે, 25 વર્ષ પછી, તમારું કુલ ભંડોળ 1.03 કરોડ રૂપિયા થશે. આ સમયગાળા દરમિયાન તમારું કુલ રોકાણ રૂ. 37.50 લાખ હશે, જ્યારે તમને વ્યાજની આવક તરીકે રૂ. 65.58 લાખ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
અક્ષર પટેલની ઈજાએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, શું 2026 T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર?
અક્ષર પટેલની ઈજાએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, શું 2026 T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર?
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
Embed widget