શોધખોળ કરો

Railway Concession : સિનિયર સિટિઝન્સને રેલવે આપ્યો આંચકો, ભાડાને લઈ લીધો મોટો નિર્ણય

કોવિડ સમયગાળાની શરૂઆતથી રેલ્વેએ વરિષ્ઠ નાગરિકોને રેલ ભાડામાં આપવામાં આવતી રાહતને સ્થગિત કરી દીધી હતી. રેલ્વે મંત્રીએ કહ્યું હતું કે, રેલ્વેએ પેસેન્જર સેવાઓ પર સબસીડી પર 59,000 કરોડ રૂપિયા ખર્ચવા પડે.

Railway Concession For Senior Citizen: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલ્વેમાં મુસાફરી કરતા વરિષ્ઠ નાગરિકો માટે રાહત દરે ટિકિટની સુવિધા પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કર્યો છે. રેલવે મંત્રીએ કહ્યું હતું કે, ગયા વર્ષે રેલવેએ પેસેન્જર સેવાઓ પર સબસિડી તરીકે 59,000 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે, રેલવે પર પેન્શન અને પગારનો બોજ પહેલાથી જ પણ ઘણો વધારે છે.

સબસિડી કેટલાક રાજ્યોના બજેટ કરતા પણ વધુ

ઉલ્લેખનીય છે કે, કોવિડ સમયગાળાની શરૂઆતથી રેલ્વેએ વરિષ્ઠ નાગરિકોને રેલ ભાડામાં આપવામાં આવતી રાહતને સ્થગિત કરી દીધી હતી. રેલ્વે મંત્રીએ કહ્યું હતું કે, રેલ્વેએ પેસેન્જર સેવાઓ પર સબસીડી પર 59,000 કરોડ રૂપિયા ખર્ચવા પડે છે, જે ઘણી મોટી રકમ છે. તેમણે કહ્યું હતું કે, આ રકમ કેટલાક રાજ્યોના વાર્ષિક બજેટ કરતા પણ વધુ છે. અશ્વિની વૈષ્ણવના કહેવા પ્રમાણે, રેલવેના વાર્ષિક પેન્શન પર 60,000 કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. પગાર ખર્ચ 97,000 કરોડ રૂપિયા છે, જ્યારે 40,000 કરોડ ઈંધણ પાછળ ખર્ચવા પડે છે. તેમણે કહ્યું હતું કે, રેલ્વેએ ગયા વર્ષે સબસિડી પર 59,000 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હતા. તેવી જ રીતે રેલવે નવી સુવિધાઓ પણ લાવી રહી છે. જો નવા નિર્ણયો લેવાના હશે તો અમે લઈશું. પરંતુ અત્યારે રેલવેની હાલત શું છે તેના પર પણ દરેકે ધ્યાન આપવું જોઈએ.

રેલ ટિકિટ પર ડિસ્કાઉન્ટ પુનઃસ્થાપિત કરવા માંગ

મહારાષ્ટ્રના લોકસભા સાંસદ નવનીત રાણાએ રેલ્વે મંત્રીને પૂછ્યું હતું કે, વરિષ્ઠ નાગરિકોને રેલ ભાડામાં આપવામાં આવતી રાહત ક્યારે પુનઃસ્થાપિત કરવામાં આવશે. જેના જવાબમાં રેલ્વે મંત્રીએ કહ્યું હતું કે, હાલમાં રેલ ટિકિટ પરની રાહત પુનઃસ્થાપિત કરવી શક્ય નથી.

દરેક રેલ મુસાફરોને ભાડામાં 53% ડિસ્કાઉન્ટ મળે જ છે

ગયા અઠવાડિયે પ્રશ્નકાળ દરમિયાન વરિષ્ઠ નાગરિકોને રેલ્વે કન્સેશન આપવા અંગે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં રેલ્વે મંત્રાલયે કહ્યું હતું કે, તે રેલવેમાં મુસાફરી કરતા તમામ મુસાફરો પર સરેરાશ 53 ટકા ડિસ્કાઉન્ટ આપે છે. આ સાથે આ મુક્તિ ઉપરાંત તે દિવ્યાંગજનો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને રાહત આપે છે તે અલગ. રેલ્વે મંત્રીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, રેલ્વે કન્સેશનના અભાવમાં 63 લાખ વરિષ્ઠ નાગરિકોએ રેલ્વે મુસાફરી કરવાનું બંધ કરી દીધું છે અને શું સંસદની સ્થાયી સમિતિએ વરિષ્ઠ નાગરિકોને રેલ ભાડામાં રાહત આપવાનો પ્રસ્તાવ ફરીથી આપ્યો છે કે કેમ? આ પ્રશ્નના લેખિત જવાબમાં રેલ્વે મંત્રીએ કહ્યું હતું કે, 2019-20માં રેલ્વેએ પેસેન્જર ટિકિટ પર 59,837 કરોડ રૂપિયાની સબસિડી આપી હતી. એટલે કે રેલ્વેએ દરેક રેલ્વે મુસાફરને ભાડામાં સરેરાશ 53 ટકા ડિસ્કાઉન્ટ આપ્યું જ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દ્વારકા-પોરબંદર બાદ હવે કચ્છમાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
દ્વારકા-પોરબંદર બાદ હવે કચ્છમાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
8th Pay Commission: શું 1 જાન્યુઆરી 2026 થી વધશે પગાર ? નવા વર્ષને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટી આશા, જાણો અપડેટ 
8th Pay Commission: શું 1 જાન્યુઆરી 2026 થી વધશે પગાર ? નવા વર્ષને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટી આશા, જાણો અપડેટ 
Maharashtra Elections: મહાનગરપાલિકાના મતદાન પહેલા જ BJP નું ખાતું ખુલ્યું, આ 4 સીટ પર મળી જીત 
Maharashtra Elections: મહાનગરપાલિકાના મતદાન પહેલા જ BJP નું ખાતું ખુલ્યું, આ 4 સીટ પર મળી જીત 
નવા વર્ષની ઉજવણી થઈ શકે છે ફિક્કી! Swiggy, Zomato, Blinkit ના 1 લાખથી વધુ ડિલીવરી પાર્ટનર્સ હડતાળ પર 
નવા વર્ષની ઉજવણી થઈ શકે છે ફિક્કી! Swiggy, Zomato, Blinkit ના 1 લાખથી વધુ ડિલીવરી પાર્ટનર્સ હડતાળ પર 

વિડિઓઝ

Ambalal Patel Prediction: આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Gujarat Police: દાહોદમાં આરોપી પર પોલીસનું સ્વ બચાવમાં ફાયરિંગ
Vikas Sahay Retirement: વિકાસ સહાયની પોલીસ વડા તરીકે નિવૃત્તિ નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Porbandar Unseasonal Rain: પોરબંદરમાં ભરશિયાળે માવઠું, એરપોર્ટ વિસ્તારમાં વરસ્યા ઝાપટા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દ્વારકા-પોરબંદર બાદ હવે કચ્છમાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
દ્વારકા-પોરબંદર બાદ હવે કચ્છમાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
8th Pay Commission: શું 1 જાન્યુઆરી 2026 થી વધશે પગાર ? નવા વર્ષને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટી આશા, જાણો અપડેટ 
8th Pay Commission: શું 1 જાન્યુઆરી 2026 થી વધશે પગાર ? નવા વર્ષને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટી આશા, જાણો અપડેટ 
Maharashtra Elections: મહાનગરપાલિકાના મતદાન પહેલા જ BJP નું ખાતું ખુલ્યું, આ 4 સીટ પર મળી જીત 
Maharashtra Elections: મહાનગરપાલિકાના મતદાન પહેલા જ BJP નું ખાતું ખુલ્યું, આ 4 સીટ પર મળી જીત 
નવા વર્ષની ઉજવણી થઈ શકે છે ફિક્કી! Swiggy, Zomato, Blinkit ના 1 લાખથી વધુ ડિલીવરી પાર્ટનર્સ હડતાળ પર 
નવા વર્ષની ઉજવણી થઈ શકે છે ફિક્કી! Swiggy, Zomato, Blinkit ના 1 લાખથી વધુ ડિલીવરી પાર્ટનર્સ હડતાળ પર 
25 છગ્ગા અને 35 ચોગ્ગા... સરફરાઝ ખાને મચાવી તબાહી, રમી 157 રનની વિસ્ફોટક ઈનિંગ; મુંબઈએ બનાવ્યા 444
25 છગ્ગા અને 35 ચોગ્ગા... સરફરાઝ ખાને મચાવી તબાહી, રમી 157 રનની વિસ્ફોટક ઈનિંગ; મુંબઈએ બનાવ્યા 444
Mehandipur Balaji Temple: રહસ્યોથી ભરેલું છે આ હનુમાન મંદિર,જ્યાં મળે છે ભૂત-પ્રેતથી મુક્તિ
Mehandipur Balaji Temple: રહસ્યોથી ભરેલું છે આ હનુમાન મંદિર,જ્યાં મળે છે ભૂત-પ્રેતથી મુક્તિ
દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી 3 લોકોના મોત, અનેક બીમાર 
દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી 3 લોકોના મોત, અનેક બીમાર 
ભારતની આ દિગ્ગજ કંપનીઓનો નથી કોઈ માલિક, માત્ર ટ્રસ્ટના ભરોશે ચાલે છે બિઝનેસ
ભારતની આ દિગ્ગજ કંપનીઓનો નથી કોઈ માલિક, માત્ર ટ્રસ્ટના ભરોશે ચાલે છે બિઝનેસ
Embed widget