શોધખોળ કરો

RBI On KYC: RBIએ બેંક ગ્રાહકોને આપી મોટી રાહત, હવે આ કામ માટે વારંવાર બેંકના ધક્કા નહીં ખાવા પડે, જાણો વિગતે

આરબીઆઈને બેંકો સામે ફરિયાદો મળી રહી હતી કે ઘણી વખત ઓનલાઈન દસ્તાવેજો સબમિટ કરવા છતાં, બેંકોની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા ડિજિટલ રી-કેવાયસીની પ્રક્રિયા થઈ શકતી નથી.

RBI On Re-KYC: બેન્કિંગ સેક્ટરના નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કેવાયસીના નિયમોને સરળ બનાવ્યા છે. હવે KYC કરાવવા માટે બેંકની શાખામાં જવાની જરૂર નહીં પડે. હવે નવી KYC (know-your-customer) પ્રક્રિયા ઘર કે ગમે ત્યાંથી વીડિયો આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયા દ્વારા પૂર્ણ કરી શકાય છે.

આરબીઆઈએ 5 જાન્યુઆરી, 2023ના રોજ એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે નવી KYC પ્રક્રિયા વીડિયો-આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયા દ્વારા અથવા બેંકની શાખાની મુલાકાત લઈને ગમે ત્યાં બેસીને કરી શકાય છે. આરબીઆઈએ કહ્યું છે કે જો KYCમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તો ગ્રાહક માત્ર સ્વ-ઘોષણા આપીને ફરીથી KYCની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે અને આને પૂરતું ગણવામાં આવશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, બેંકોને એવી સુવિધા આપવા માટે કહેવામાં આવ્યું છે જેમાં ગ્રાહકોની સ્વ-ઘોષણાની પ્રક્રિયા નોન-ફેસ-ટુ-ફેસ ચેનલ દ્વારા પૂર્ણ કરી શકાય.

વાસ્તવમાં, આરબીઆઈને બેંકો સામે ફરિયાદો મળી રહી હતી કે ઘણી વખત ઓનલાઈન દસ્તાવેજો સબમિટ કરવા છતાં, બેંકોની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા ડિજિટલ રી-કેવાયસીની પ્રક્રિયા થઈ શકતી નથી. આરબીઆઈએ કહ્યું છે કે ગ્રાહક તેના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, એટીએમ, ઓનલાઈન બેંકિંગ અથવા ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ એપ અથવા પત્ર દ્વારા ફરીથી KYC કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આમાં બેંકની શાખામાં જવાની જરૂર નથી. જો એડ્રેસમાં માત્ર ફેરફાર હોય તો આ માધ્યમથી એડ્રેસ પ્રૂફ સબમિટ કરી શકાય છે અને બેંકે બે મહિનામાં વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ગયા મહિને કહ્યું હતું કે બેંક ખાતાધારકોએ તેમની વિગતો અપડેટ કરવા માટે બેંક શાખાની વારંવાર મુલાકાત લેવાની જરૂર નથી. તેમણે કહ્યું કે ઘરના સરનામામાં ફેરફારને અપડેટ કરવા ઉપરાંત, બેંક ગ્રાહકો હવે ઘરેથી જ રી-કેવાયસી (નો યોર કસ્ટમર) ઓનલાઈન અપડેટ કરી શકશે. આરબીઆઈના કેવાયસી નોર્મ્સ માર્ગદર્શિકા અનુસાર, બેંકોએ એક સમયગાળા પછી ખાતા ધારકોની ઓળખની વિગતો અપડેટ કરવી પડશે.

નાણાકીય નીતિની જાહેરાત કર્યા પછી, આરબીઆઈ ગવર્નરે કહ્યું હતું કે બેંક ગ્રાહકો શાખાની મુલાકાત લીધા વિના તેમના KYC ફરીથી કરાવી શકે છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે આ હોવા છતાં, જો બેંકો ગ્રાહકોને કેવાયસી કરાવવા માટે બેંક શાખામાં આવવા દબાણ કરે છે, તો ગ્રાહકો સમાન ફરિયાદ નોંધાવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget