શોધખોળ કરો

Reliance Jio IPO: આ વર્ષે મુકેશ અંબાણી આપી શકે છે માલામાલ થવાની તક, રિલાયન્સ જિયોનો આવી શકે છે IPO

Reliance Jio IPO: 2016માં ટેલિકોમ બિઝનેસ શરૂ કરનાર રિલાયન્સ જિયો માત્ર પાંચ વર્ષમાં ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાને પછાડી દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે.

Reliance Jio IPO News: દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે. રિલાયન્સ જિયોનો આઈપીઓ (ઈન્શિયલ પબ્લિક ઑફરિંગ) 2022માં આવી શકે છે.

LICના IPO પછી આ દેશનો બીજો સૌથી મોટો IPO સાબિત થઈ શકે છે. શેરબજારના રોકાણકારો માટે રિલાયન્સ ગ્રુપની કંપનીમાં રોકાણ કરવાની સુવર્ણ તક હશે. તમને જણાવી દઈએ કે 2016માં ટેલિકોમ બિઝનેસ શરૂ કરનાર રિલાયન્સ જિયો માત્ર પાંચ વર્ષમાં ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાને પછાડી દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે.

વિદેશી બ્રોકરેજ ફર્મ CLSAએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે રિલાયન્સ જિયો આ વર્ષે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. CLSA એ એક સંશોધન નોંધમાં જણાવ્યું હતું કે વર્ષ 2022 માં ટેલિકોમ સેક્ટરમાં મોટા વિકાસ જોવા મળશે, જેમાં 5G સ્પેક્ટ્રમની હરાજી અને રિલાયન્સ જિયોની સંભવિત લિસ્ટિંગનો સમાવેશ થાય છે. 

મુકેશ અંબાણીએ Jioમાં 33% હિસ્સો 13 રોકાણકારોને વેચ્યો છે. તેમણે આ હિસ્સો 2020 માં કોરોના સમયગાળા દરમિયાન વેચ્યો હતો. રિલાયન્સ જિયોના 10% ટકા ફેસબુકને અને 8% ગૂગલને વેચવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઇન્ટેલ કેપિટલ, ક્વાલકોમ વેન્ચર્સ અને સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક અને KKR જેવા ટોચના ઇક્વિટી ફંડ્સે પણ રિલાયન્સ જિયોમાં હિસ્સો ખરીદ્યો છે.

વેલ્યુએશન કેટલું હોઈ શકે

CLSAનો અંદાજ છે કે Reliance Jioના મોબાઈલ બિઝનેસનું મૂલ્યાંકન $99 બિલિયન (આશરે રૂ. 7.5 લાખ કરોડ) હોવાનો અંદાજ છે. જેમાં હોમ બ્રોડબેન્ડ JioFiber બિઝનેસ પણ સામેલ છે, જેનું મૂલ્ય $5 બિલિયન (રૂ. 37,500 કરોડ) આંકવામાં આવ્યું છે. CLSA અનુસાર, Reliance Jioનો IPO સમગ્ર ટેલિકોમ સેક્ટરના મૂલ્યાંકનના સંદર્ભમાં મુખ્ય ઉત્પ્રેરક તરીકે કામ કરશે.

રિલાયન્સનો ઇતિહાસ

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના શેરબજારો પર લિસ્ટિંગને લઈને હોબાળો ચાલી રહ્યો છે. જ્યારથી રિલાયન્સ ગ્રુપનો બિઝનેસ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે વહેંચાયેલો છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરનો આઈપીઓ 2008માં માર્કેટમાં આવ્યો હતો, પરંતુ પ્રથમ વખત મુકેશ અંબાણીની માલિકીની કંપની બજારમાં આઈપીઓ આવે તેવી અપેક્ષા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો IPO 44 વર્ષ પહેલા 1977માં આવ્યો હતો અને ત્યારથી તેણે તેના રોકાણકારોને જંગી વળતર આપ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget