શોધખોળ કરો

2000 Rupee Note: હજુ આટલા કરોડની 2000 રૂપિયાની નોટો છે લોકો પાસે, આરબીઆઈએ કરી પુષ્ટિ

RBI અનુસાર, 2000 રૂપિયાની 97.82 ટકા નોટો તેની પાસે પહોંચી ગઈ છે. બાકીની નોટો હજુ પણ લોકો પાસે છે. કોઈએ તેમને પરત કર્યા નથી.

2000 Rupee Note: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગયા વર્ષે જ 2000 રૂપિયાની નોટ (Rs 2000 bank notes) પર પ્રતિબંધ મૂક્યો હતો. આમ છતાં, અંદાજે રૂ. 7755 કરોડની કિંમતની રૂ. 2000ની નોટો તેમને પરત કરવામાં આવી નથી. RBI અનુસાર, 2000 રૂપિયાની 97.82 ટકા નોટો તેની પાસે પહોંચી ગઈ છે. બાકીની નોટો હજુ પણ લોકો પાસે છે. કોઈએ તેમને પરત (deposit or exchange) કર્યા નથી.

3.65 લાખ કરોડ રૂપિયાની નોટો બજારમાં હતી

RBIએ સોમવારે કહ્યું કે 2000 રૂપિયાની નોટને (withdraw Rs 2000 notes) બંધ કરવાનો નિર્ણય 19 મે, 2023ના રોજ લેવામાં આવ્યો હતો. આ નિર્ણય લેવાના સમયે અંદાજે રૂ. 3.65 લાખ કરોડના મૂલ્યની રૂ. 2000ની નોટો ચલણમાં (circulation) હતી. લોકોને આ નોટો બેંકોમાં જમા કરાવવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. આમ છતાં માત્ર 97.82 ટકા જ નોટો પરત આવી છે. અંદાજે રૂ. 7755 કરોડની નોટો પાછી આવી નથી. RBIનો નવો ડેટા 31 મે 2024 સુધીનો છે.

RBI ઓફિસમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકો છો

સેન્ટ્રલ બેંકે કહ્યું કે લોકો પાસે 7 ઓક્ટોબર, 2023 સુધી 2000 રૂપિયાની નોટ બદલી કે જમા કરવાની તક હતી. તે આ કામ કોઈપણ બેંકની શાખામાં જઈને કરી શકતા હતા. આ સિવાય લોકો આ નોટો બદલવા માટે રિઝર્વ બેંકની 19 ઓફિસમાં પણ જઈ શકશે. આરબીઆઈ ઈસ્યુ ઓફિસ પણ 9 ઓક્ટોબર, 2023થી રૂ. 2000ની નોટ સ્વીકારી રહી છે. આ પૈસા તેમના ખાતામાં જમા કરવામાં આવશે.

નોટબંધીની જાહેરાત બાદ આ નોટ ચલણમાં આવી હતી

આ સિવાય લોકો કોઈપણ પોસ્ટ ઑફિસમાંથી 2000 રૂપિયાની નોટો ઈન્ડિયા પોસ્ટ દ્વારા તેમના ખાતામાં જમા કરાવવા માટે RBI ઈશ્યૂ ઑફિસમાં મોકલી શકે છે. RBIની ઈશ્યુ ઓફિસ અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે. ભારત સરકાર દ્વારા નોટબંધીની જાહેરાત બાદ 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી. નોટબંધીને કારણે તે સમયે ચલણમાં રહેલી 500 અને 1000 રૂપિયાની નોટો બંધ થઈ ગઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget